Opinion Magazine
Number of visits: 9483212
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસનો પર્યાય શોધી રહેલી ટેક્નોલોજી ન પાલવે!

સનત મહેતા|Opinion - Opinion|24 October 2014

માણસનો પર્યાય શોધી રહેલી ટેક્નોલોજી ન પાલવે !

ત્રીજો પ્રવાહ : ગાંધી યંત્રવિરોધી નહોતા, માણસને બેકાર બનાવે એવા યંત્રોના વિરુદ્ધમાં હતા

બધા એ વાતનો સ્વીકાર છે કે, ભારત પાસે વિશ્વના, ચીન, અમેરિકા કે જર્મની પાસે નથી, તે છે. વિશાળ યુવાન જનસંખ્યા. ચીનની જનસંખ્યા ભારત કરતાં વધુ છે, પણ ત્યાંની જનતાની ઉંમર સરેરાશ ઊંચી છે. જ્યારે ભારત પાસે વિશ્વના સૌથી વધુ યુવાન જનતા છે. જેને અર્થશાસ્ત્રની પરિભાષામાં Demograhic Divdend ‘વસ્તીજન્ય ફાયદો’ કહેવાય છે. કુદરતે ચાર હાથે આપેલા આ ફાયદાનો લાભ લેવાનો સહુથી ઉત્તમ માર્ગ છે – પૂરતી રોજગારી ઊભી કરવાનો. ઉદ્યોગો આવશે તો રોજગારી લાવશે.

ઉદ્યોગો લાવવા વિશાળ મૂડી જોઈશે. ભારત હજુ વિકાસશીલ દેશ છે એટલે મૂડી રોકાણ ઊભુ કરવું પડશે. આ માટે ભારતના વડાપ્રધાન જાપાન જઈ આવ્યા. હમણાં જ વધુમાં જાહેર કરાયું કે જાપાન ગુજરાતને મેટ્રો માટે નાણાં આપશે. પણ સવાલ એફ.ડી.આઈ.થી નથી ઉકેલતો. એ તો ઉકલે કેટલી વધુ રોજગારી ઊભી થઈ છે એનાથી! આ વસ્તીજન્ય ફાયદો મેળવવા એવું રોકાણ કરવું પડે, જે રોજગારીમાં ઝડપી વધારો કરી શકે!

એટલે કે ઓછા મૂડી રોકાણ છતાં વધુ રોજગારી. હવે નજર નાંખીએ, આપણી રોજીની જરૂરિયાત પર. આધારભૂત ગણતરી જણાવે છે કે, 2012-17 વચ્ચે ભારતે દર વરસે ખેતી સિવાયના ક્ષેત્રમાં 170 લાખ રોજગારી પેદા કરવી પડશે. એટલે કે પાંચ વરસમાં (2012-17) વચ્ચે નવી સાડા આઠ કરોડ રોજગારી ઊભી કરવી પડે! આ વધારાને રોકી કે મોડો કરી શકાતો નથી. હવે, આપણે હકીકત પણ સમજી લઈએ. ગુજરાતમાં અખબારોમાં બે ઉદ્યોગો વિષે હમણાં સમાચારો ચમક્યા છે.બેચરાજી પાસે વિઠ્ઠલાપુર નજીક મુખ્યપ્રધાનશ્રીએ વરસે બાર લાખ સ્કૂટરનું ઉત્પાદન કરનારા હોન્ડા કંપનીના પ્લાન્ટનું ખાતમુર્હૂત કર્યું છે.

જેમાં રૂ. 1,100 કરોડનું રોકાણ થનાર છે. પરિણામે 3,000 વ્યક્તિને સીધી રોજગારી મળશે. એનો અર્થ એ થયો કે રૂ. એક કરોડ આઠ લાખના રોકાણે ત્રણ વ્યક્તિને રોજી મળશે. ગુજરાતના મુખ્ય પ્રધાને આજ સમયમાં ઝઘડિયામાં અમેરિકાની અબોટ કંપનીના ગ્રીન ફીલ ન્યુટ્રીશન મેન્યુફેકચરીંગ પ્લાન્ટનું લોકાપર્ણ કર્યું છે. આ પ્લાન્ટ પણ રૂ. 450 કરોડના રોકાણથી 400 વ્યક્તિને રોજગારી આપશે એટલે કે રૂ. 1.25 કરોડના રોકાણે એક વ્યક્તિને રોજી મળશે. હવે ભારતને દર વરસે 120 લાખને રોજી આપવી હોય તો રૂ. 1.25 કરોડના હિસાબે રૂ. 150 લાખ કરોડ જોઈએ.

નિષ્ણાતો કહે છે કે વિશ્વમાં અત્યાર સુધીમાં ત્રણ ટેકનોલોજી એવી આવી છે જેણે વિશ્વની પ્રગતિ અને સમૃદ્ધિમાં મુખ્ય હિસ્સો આપ્યો છે. પહેલી ટેકનોલોજી દુનિયામાં 18મી સદીના અંતમાં આવી જે ‘ઔદ્યોગિક ક્રાંતિ’ તરીકે જાણીતી છે. જ્યારે વરાળથી ચાલતા યંત્રો અમલમાં આવ્યા, ત્યાર પછીના 100 વરસ પછી બીજી ટેકનોલોજી વીજળીની આવી. જ્યારે ઘોડાથી દોડાવાતા વાહનો ગાયબ થઈ ગયા. હાથશાળોનો યુગ સમાપ્ત થઈ ગયો.

આ બે ટેકનોલોજીના કારણે નવાં આર્થિક માળખાં, કારખાનાં અમલમાં આવ્યાં. ટેકનોલોજીના આ બે પ્રવાહથી સમાજમાં રોજગારીના પ્રકારમાં અનિચ્છનીય ફેરફાર ન થયા. પણ વિશ્વમાં વીજળીના શોધક એડિસન પછી ત્રીજો પ્રવાહ કમ્પ્યૂટર અને કમ્પ્યૂટર આધારિત, એની ચીપ આધારિત સંદેશા વ્યવહારે, વિશ્વને બદલાવવાનું શરૂ કર્યું છે. 1950 સુધીમાં ઈન્ટીગ્રેટેડ સર્કિટ આવી પછી સ્માર્ટ ફોન આવ્યા અને પછી તો સુપર કમ્પ્યૂટરની શક્તિને વટાવી શકે એવી પ્રોસેસિંગ શક્તિ આવી.

તાજેતરમાં એરીક બ્રિન્જાલ્ફસન અને એન્ડ્રયુ મેકફીના પુસ્તક ‘Race against Machine’ જણાવે છે કે, આજે કમ્પ્યૂટરની અસરકારકતા 43 ગણી વધી ગઈ છે. હવે તો અશક્ય મનાતા ક્ષેત્રોમાં વિજ્ઞાન સફળ થવા માંડ્યું છે. હવે ડ્રાઈવર વગરની મોટરકાર અને પાયલોટ વગરના ડ્રોનનો ઉપયોગ શરૂ થયો છે. પહેલા જે ભાષાઓ બોલાવી કે સમજવી અઘરી ગણાતી હતી, એપલે એવી શોધ સફળ બનાવી છે કે ઈ-મેઈલ કોઈ પણ ભાષાનું ડિકટેશન લઈ શકે. ગુગલની ભાષાંતર શક્તિ ચોક્કસ અને પલકવારમાં ટાઈપ કરી તમારા હાથમાં એની પ્રત મૂકી શકે છે.

આ ત્રીજો પ્રવાહ તો વિકાસ, રોજગારીને નામશેષ કરી રહ્યો છે. વિશ્વના અર્થશાસ્ત્રીઓ માને છે કે, લગભગ 700 પ્રકારના ધંધા રોજગારને અસર કરશે. ટૂંકમાં વિકાસશીલ દેશો આ ત્રીજા રસ્તે આગળ વધશે તો મૂડીરોકાણ વધુ અને રોજગારીક્રમ એ પ્રક્રિયા ભયજનક સ્તરે પહોંચી જશે. એટલે ભારતે આજના વિશ્વમાં વિકાસ સાધવો હશે, કરોડોને રાતોરાત રોજગારી આપવી હોય તો મૂડીરોકાણ અને આવી રહેલી ટેકનોલોજીની પસંદગી ભારતની જરૂર મુજબની હોવી જોઈએ.

જે પહેલી અને બીજી ટેકનોલોજીથી સમૃદ્ધ બની ગયા છે એનું આંખમીંચી અનુકરણ કરીશું તો અબજો ખર્વોના મૂડી રોકાણ પછી પણ ટેકનોલોજીની આંધળી પસંદગી બરબાદી લાવશે. ગાંધી યંત્રવિરોધી નહોતા, માણસને બેકાર બનાવે એવા યંત્રોના વિરુદ્ધમાં હતા. વિશ્વમાં આ ટેકનિકક્રાંતિના ત્રીજા પ્રવાહની વિશદ્દ ચર્ચા અને વિચારણા ચાલી રહી છે ત્યારે ભારતે સમજવું પડશે કે, વરાળ કે વીજળીએ ઘોડાનો પર્યાય આપ્યો હતો. હવે ટેકનોલોજીનો આ ત્રીજો પ્રવાહ માણસનો પર્યાય વિકસાવી રહ્યો છે ત્યારે વિચારીને આગળ વધીએ.

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, Oct. 23, 2014

Loading

24 October 2014 admin
← સ્થાપત્ય અને સંસ્કૃિત : અદ્દભુત સ્વામીનારાયણ મંદિર
પુસ્તકોનાં વાર્ષિક સરવૈયાંની પરંપરા →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved