Opinion Magazine
Number of visits: 9446880
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હવે સન્માન પાછું મેળવવાનો વારો

પ્રીતીશ નંદી|Samantar Gujarat - Samantar|22 October 2014

ઇમિગ્રેશનથી માંડીને કસ્ટમ અને ઇન્કમટેક્સ સુધી સરકારી કચેરીઓમાં દુર્વ્યવહાર ક્યારે બંધ થશે?

શું તમને ખબર છે કે ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ખાતેના ભાષણમાં વડાપ્રધાનને સૌથી વધુ તાળીઓ કઈ વાતે મળી? જ્યારે તેમણે બિનનિવાસી ભારતીયોને જણાવ્યું કે, તેઓ જાણે છે કે ભારતવંશી લોકો જ્યારે સ્વદેશ આવે છે ત્યારે એરપોર્ટ પર તેમને કઈ ઇમિગ્રેશન અને કસ્ટમની સમસ્યામાંથી પસાર થવું પડે છે. ઇમિગ્રેશન અધિકારી ઉપરથી નીચે સુધી શંકાની નજરે જૂએ છે અને તમને એવું લાગે છે કે તમારું અહીં સ્વાગત કરવામાં આવતું નથી. લાંબી મુસાફરી અને લાંબી લાઈનમાં ઊભા રહ્યા બાદ તમને ક્યારે ય એવું નહીં ગમે કે કોઈ કપાળે કરચલીઓ ચડાવી તમારી સાથે વર્તણુક કરે. ખાસ કરીને તમારા પોતાના વતનમાં, જેનું કામ પાસપોર્ટ પર સિક્કો મારીને તમને જવા દેવાનું છે.

બીજી તરફ કસ્ટમ અધિકારીઓ એવા અનુમાન સાથે શરૂઆત કરી છે કે તમે દાણચોરી કરીને કોહિનૂર લઈને આવી રહ્યા છો. એ સાચું છે કે આવા લોકો પણ હોય છે, ગેરકાયદે રીતે કોણ જાણે કેવી-કેવી વસ્તુઓ લઈને આવતા હોય છે, પરંતુ સત્ય એ છે કે મોટાભાગના લોકો આ બધું જ એકદમ કાયદેસર ધોરણે કરતા હોય છે. સામાન્ય રીતે તંત્રની સાંઠગાઠથી. સ્વદેશ આવી રહેલા ભારતીયો કે પીઠ પર બેગ લટકાવીને આવતા વિદેશીઓ માલવહન કરતા ખચ્ચર નથી કે તેમની વારંવાર તપાસ કરવામાં આવે. તેમાં સામાન્ય અપવાદ હોય છે, પરંતુ તેમની સાથે પણ પ્રેમથી વર્તી શકાય છે. આવી બાબતો માટે કલાકો સુધી એરપોર્ટ પર હેરાન કરવાની જરૂર હોતી નથી, પરંતુ દંડ ફટકારવો કે ચેતવણી આપવી જ પૂરતું છે. જેક ડેનિયલની વધારાની બોટલ કે કોઈ નવા આઈપેડને જાણીજોઈને કરવામાં આવેલી ગતિવિધિ માનવાની જરૂર નથી. કે પછી મધ્યપૂર્વમાં કામ કરતો કોઈ કામદાર બિચારો ઘર માટે ટીવી સેટ લાવ્યો છે.

આવો, આવા જ કેટલાક ઉદાહરણ જોઈએ. શું તમને ટેક્સની નોટિસ મળી છે? શું વેટના લોકો તમારી પાસે કોઈ લેણ-દેણની માહિતી માગી છે, જેની સાથે તમારો કોઈ સંબંધ નથી? તમે તો માત્ર કોઈ ક્લાર્કની ભૂલને કારણે ફસાયા છો, શું તમે આવા પત્રો વાંચ્યા છે? હવે કલ્પના કરો કે જો તમારા 90 વર્ષના પિતાને આવી નોટિસ મળે છે? શું તમને લાગે છે કે તેઓ આવું સહન કરી શકશે? પલાનીઅપ્પન ચીદમ્બરમના સમયમાં તમે એ સરકારી જાહેરાત વાંચી હશે જેમાં ટેક્સ અધિકારી તમને સલાહ આપે છે કે, ‘ખબરદાર! તમારી દરેક ગતિવિધિ, દરેક લેણ-દેણ જ નહીં પરંતુ દરેક શ્વાસ પર સરકારની નજર છે અને જો તમે બધા જ ટેક્સ સમયસર નહીં ચૂક્વયા તો તમને ભગવાન જ બચાવે!’. મેં ક્યારે ય કોઈ સરકારને પોતાનાં જ નાગરિકોને આ પ્રકારની ધમકી આપતાં જોઈ નથી. જો આ જાહેરાત પાસેથી કોઈ વિદેશી પસાર થતો હોય તો તેને એમ જ લાગે કે આ કરચોરોનો દેશ છે.

ઈમાનદાર કરદાતા માટે તો સ્થિતિ સૌથી વધુ ખરાબ છે. આપણને પોતાનો ટેક્સ ભરવામાં જ કેટલી મુશ્કેલી પડે છે એ તો તમે જાણતા જ હશો, પરંતુ હવે તો આપણે સરકાર તરફથી અન્ય લોકોનો પણ ટેક્સ વસુલવો પડે છે. જો તમે આમ કરવામાં નિષ્ફળ રહો છો કે તમારાથી મોડું થઈ જાય છે તો સજા એટલી આકરી છે, જેટલી પોતાનો ટેક્સ ન ચુકવવાની છે. હા, હું એ નક્કામી બાબતની વાત કરી રહ્યો છું, જેનું નામ ટી.ડી.એસ. છે. હું જ્યારે કરદાતા બન્યો ત્યારે મને આવો કોઈ સંકેત અપાયો ન હતો કે હું ટેક્સ કલેક્ટર પણ બની ગયો છું. ખાસ વાત એ છે કે આવી બધી અપમાનજનક બાબતો મારા-તમારા પર જ ઠોકી બેસાડવામાં આવે છે. પૈસાદાર લોકો તો હત્યા કરીને પણ બચી જાય છે. તેમને કોઈ હાથ લગાડી શકતું નથી.

તેમને રહેવા માટે પણ આકર્ષક લુટિયન્સ બંગલા મળે છે અને તેઓ તેમાં વર્ષો સુધી તંબુ તાણીને પડ્યા રહે છે. ભાડું એટલું કે જેટલું તમે અને હું વન બીએચકે માટે ચૂકવીએ છીએ. તેમની જિંદગીમાં દરેક બાબત પર સબસિડી છે. સંસદમાં તેમનાં ભોજનથી માંડીને હવાઈ મુસાફરી, ફોન બિલ, વીજળી, પાણી, તેમના અને તેમના પરિવારના સબ્યો માટે તબીબી ઇલાજ, પેટ્રોલ બિલ અને કોણ જાણે કેટ-કેટલું. અને સમાજ સેવા કે ખેડૂત હોવાનો દાવો કરીને તેઓ એ તમામ ટેક્સથી બચી જાય છે, જે હું અને તમે ચૂકવીએ છીએ.

જો કે, વાત માત્ર ટેક્સની નથી. વાત એ વ્યવહારની છે, જે આપણી સાથે કરવામાં આવે છે. જો તમારે કોઈ ગંભીર સમસ્યા હોય અને તમે કોઈ સરકારી અધિકારીને પત્ર લખ્યો છે તો શું તમને ક્યારે ય તેનો જવાબ મળ્યો છે? ના. ક્યાં તો તેના માટે શક્ય હશે તો સમસ્યાને વધુ જટિલ બનાવી દેશે કે પછી તમે નસીબદાર હશો તો તમારો પત્ર કચરાપેટીમાં નાખી દેશે. આ જ કારણ છે કે મોદી જ્યારે આટલું બોલીને થોડા અટક્યા કે દેશે તાળીઓ વગાડી હતી. તેઓ જાણતા હતા કે તેમણે લોકોનાં મનની વાતને પકડી લીધી છે. બ્રિટિશ સામ્રાજ્ય તો ક્યારયનું ય જતું રહ્યું છે, પરંતુ આજે પણ એ વ્યવસ્થાના ગુલામ બનેલા છીએ. હવે, જ્યારે તમારી સરકાર જ તમારું અપમાન કરીને ખુશ થતી હોય તો આપણે કેવી રીતે અપેક્ષા રાખી શકીએ કે દુનિયા આપણું સન્માન કરશે? 

પ્રીતીશ નંદી લેખક ફિલ્મ નિર્માતા અને વરિષ્ઠ પત્રકાર છે.

સૌજન્ય : 'આર-પાર', “દિવ્ય ભાસ્કર”, Oct 22, 2014

Loading

22 October 2014 admin
← નવા વિક્રમ વર્ષે, મામલો ભૂખનો નહીં એટલો ભાવઠનો છે
માણસનો પર્યાય શોધી રહેલી ટેક્નોલોજી ન પાલવે! →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved