Opinion Magazine
Number of visits: 9483318
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એશિયાઈ રાષ્ટ્રોને ભૂલીશું તો ભીંત ભૂલીશું

સનત મહેતા|Samantar Gujarat - Samantar|16 October 2014

એશિયાઈ રાષ્ટ્રોને ભૂલીશું તો ભીંત ભૂલીશું

વિદેશનીતિ : વિદેશી મૂડીરોકાણ માટે વરસોના સાંસ્કૃિતક સંબંધો ભારતે ભૂલવા ન જોઈએ

ભારત આંતરરાષ્ટ્રીય નજરે કેવું બદલાઈ રહ્યું છે? સ્વરાજના આંદોલન વેળા હજુ અંગ્રેજ હતાં છતાં ય ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વાર્ષિક અધિવેશન વેળા, આંતરરાષ્ટ્રીય નીતિ અંગેના ઠરાવોમાં શું જોવા મળતું હતું? એ વેળા તો, કોંગ્રેસ જ મુખ્ય રાષ્ટ્રીય પ્રવાહની એક માત્ર પ્રતીક હતી. તો જોવા મળશે કે ભારતીય જનતા એ વેળા પણ પેલેસ્ટાઈનના આરબ પ્રજાના અધિકારને પૂરો ટેકો આપતી હતી. દક્ષિણ એશિયાના રાષ્ટ્રોની સ્વતંત્રતાને સદા ય ટેકો આપતું રહ્યું હતું.

અત્યારનું મ્યાંમાર જે તે સમયે બ્રહ્મદેશ અથવા બર્માના નામે ઓળખાતું હતું. ત્યાં અનેક ભારતીયો વસતા હતા. આગળ જતા ચીન સ્વતંત્ર થયા પછી એણે તિબેટ પર બૂરી નજર નાખી ત્યારથી આજ સુધી ભારત તિબેટની મુકિત અને દલાઈ લામાના સાથમાં ઊભું રહ્યું છે. ગાંધીના સવિનય કાનૂન ભંગ – સત્યાગ્રહનો પ્રથમ પ્રયોગ ગાંધીએ રંગભેદથી રંગાયેલ દક્ષિણ આફ્રિકાથી કર્યો હતો અને ત્યારથી માંડી આજ સુધી ભારત દક્ષિણ આફ્રિકાની રંગભેદ નીતિ સામે લડનારા નેલ્સન મંડેલા અને અમેરિકાના હબસી નેતા માર્ટિન લ્યુથર કિંગના આંદોલનનું ટેકેદાર રહ્યું છે.

ટુંકમાં, કહેવાનું એ છે કે, ભારત પોતાની સ્વતંત્રતા માટે લડતું હતું અને ત્યાર પછી સ્વતંત્ર થયું એ બધા વરસોમાં પોતાના એશિયાઈ ભાઈભાંડુઓની અને દક્ષિણ આફ્રિકાના હબસીઓના રંગભેદની લડાઈમાં સાથે ઊભા રહેવામાં ગૌરવ અનુભવતું રહ્યું છે. પણ જ્યારથી, બજાર આધારિત અર્થતંત્ર અને નવતર મૂડીવાદ વિશ્વમાં પ્રસર્યો છે ત્યારથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાંથી સંસ્કૃિત, સમાનતા, લોકતંત્ર અને પુરાણી સંસ્કૃિતની વિરાસત જેવા મૂલ્યોને બદલે ‘વિદેશી રોકાણ' નામના દેવતાની અસર વધુની વધુ સર્વસ્વ બની જવાની હોય તો આ એશિયાઈ પડોશીની જાણે આપણને બહુ જરૂરત જ ન હોય, એવા આંતરરાષ્ટ્રીય સંબંધો અને વિદેશનીતિ બની રહ્યા છે.

પરિણામે બૌદ્ધ સંસ્કૃિતનો વિચાર કરતી વખતે આપણને, જપાન અને ચીન, મ્યાંમાર અને ઇન્ડોનેશિયા કે થાઇલેન્ડથી વધુ નજીક અને વધુ વ્હાલા લાગી રહ્યા છે. વિદેશી રોકાણની દોટમાં આમ જ, આપણે વિદેશનીતિમાંથી વરસો જૂની સંસ્કૃિતમાંથી નીતરેલા મૂળભૂત મૂલ્યોની બાદબાકી કરતા રહીશું તો હજારો વરસોનો ઇતિહાસ કહે છે કે, આપણે ભીંત ભૂલ્યા જેવું કરી બેસીશું. કારણ ચીનને એશિયા અને આફ્રિકામાં આવવું છે. તેની પાછળ બહુ જુદી ગણતરી છે, નહીં કે મૂડીરોકાણ કરી ભારતને માલામાલ કરવું છે.

ચીનને એશિયા અને આફ્રિકા તરફ આવવાનું કારણ વિશ્વપર એને યેનકેન પ્રકારેણ પોતાનું વર્ચસ્વ વધારવાનું છે. પણ ભૂલવા જેવું નથી કે, પૂર્વ એશિયાની 1998-99ની નાણાંકીય કટોકટી, 2008ની અમેરિકન પેઢી લેહમેનના દેવાળા પછી આવેલી વિશ્વવ્યાપી આર્થિકમંદી અને છેલ્લે પ્રસરેલી યુરોપિયન દેશોની આર્થિક કટોકટી પછી વિશ્વ બદલાઈ ગયું છે. ટચુકડો વિએટનામ, શહેરી રાજય સિંગાપોર કે દક્ષિણ અમેરિકાનું બ્રાઝિલ કે હોંગકોંગની ઉવેખના ભલભલાને ભારે પડી રહી છે.

આર્થિક દૃષ્ટિએ પણ, નવતર મૂડીવાદના વરસોમાં આવું જ બની રહ્યું છે. એટલે જ ‘GO EAST'ની વાત વિશ્વભરમાં સ્વીકારાઈ રહી છે. એશિયાના જે પડોશી રાજયો તરફ આપણી વિદેશીનીતિ બેધ્યાન છે તે – ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, મલેશિયા, વિએટનામ, સિંગાપોર, ફિલિપાઇન્સ સહિતના દસ દેશોએ ‘એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ’ (ASEAN)ની સ્થાપના કરી છે. આ દેશોની કુલ વસતી 6300 લાખની છે. પંદર વરસથી એનો વાર્ષિક વિકાસ દર સતત છ ટકા રહ્યો છે.

એ ‘એસિએન'ના દસ દેશો એક જ રાષ્ટ્ર હોત તો તે વિશ્વનું સાતમાં નંબરનું વિકાસશીલ રાષ્ટ્ર બન્યું હોત અને તે પણ ભારત કરતા આગળ હોત. એનું જીડીપી 2.4 ટ્રિલિયન ડોલર ભારતથી વધુ છે. ખૂબી તો એ છે કે, વિએટનામના ચીન વિરોધી તોફાનો કે થાઇલેન્ડના સૈન્યના બળવાએ એમના રોકાણ પર કશી વિપરીત અસર કરી નથી. ANZ બેંક તો માને છે કે, ‘એસિએન' ચીન અને ભારતની જેમ એશિયાના વિકાસનો ત્રીજો સ્તંભ સાબિત થયો છે.

આપણને મૂડીરોકાણનું ઘેલું લાગ્યું છે અને તાજેતરના વડાપ્રધાનના અમેરિકાના પ્રવાસ પછી આપણે માનીએ છીએ કે, ‘ભારતે અમેરિકાને ગાંડુ કર્યું છે' તો નોંધી લઈએ કે, અમેરિકાનું ત્રીજા ભાગનું રોકાણ ‘એસિએન' રાષ્ટ્રોમાં છે. ચીન, ભારત, દક્ષિણ કોરિયા, હોંગકોંગ, તાઇવાન અને ન્યૂઝીલેન્ડ એ પ્રત્યેક દેશ કરતાં વધુ રોકાણ છે.  આ દેશો નાના છે એટલે ‘એસિએન'ની ઉપેક્ષા વિદેશીનીતિ અને રોકાણ બંને રીતે ગેરવાજબી છે.

છતાં મોદી સરકાર ભારતમાં સ્થપાયા પછી ‘એસિએન'ની વ્યાપારિક સંબંધો અંગેની બેઠકમાં ભારતને નિમંત્રણ હતું પરંતુ ભારતના વ્યાપાર મંત્રી નિર્મળા સેતુરામને વડાપ્રધાનની ‘જનધન યોજના' ઉદ્દઘાટનમાં હાજરી આપવાના કારણે ‘એસિએન'ની મુલાકાત છેક, છેલ્લી ઘડીએ રદ્દ કરી એ શું વાજબી ગણાય ખરું ? ભારત એના વરસો જૂના પડોશી રાષ્ટ્રોને ન ભૂલે એમાં એનું ભલું છે.

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 16 અૉક્ટોબર 2014

Loading

16 October 2014 admin
← ચાર ગાંધી કાવ્યો
ગંભીર અને અગંભીરની રાજરમત ! →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved