Opinion Magazine
Number of visits: 9449499
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આંબેડકર ૨૦૦૯

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|1 December 2012

ઓણ આંબેડકર જયંતી, એમના સૌ ચાહકો, પ્રશંસકો અને કૃતજ્ઞતાવિનત લોકો માટે કદાચ કંઈક જુદી જ અનુભૂતિ અને આહ્વાન લઈને આવે છે.

એક તો, જયંતીનો આ અવસર ચાલુ ચૂંટણીઝુંબેશે આવેલો છે, અને એમાં પણ દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીપદે માયાવતી વિરાજેલાં છે. સૌથી વધુ લોકસભાસભ્યોને ચૂંટનાર ઉત્તર પ્રદેશમાંથી આ વખતે માયાવતીના બહુજન સાંસદો મોટી સંખ્યામાં હોવાના છે. તેથી કૉંગ્રેસ-નીત યુપીએ (વત્તા કથિત ચોથો મોરચો) અને ભાજપ-નીત એનડીએ સિવાયના વિકલ્પાર્થીઓમાં માયાવતીનો પાટલો આગળના ક્રમે પડવાનો છે. બને કે તેઓ વડાપ્રધાનપદ માટેના વિકલ્પો પૈકી એક હોઈ શકે છે, અને આમ પણ વડાપ્રધાનપદની શરતે એમણે પોતાની સેવાઓ ખુલ્લંખુલ્લા ઑફર કરેલી છે.

શરૂમાં જે એક જુદી અનુભૂતિની વાત કરી તે આ સંદર્ભમાં હતી. દલિતની દીકરી દેશના વડાપ્રધાનપદે પહોંચી શકે એવી મજબૂત સંભાવના, પોતે એક ખયાલની રીતેય કેવી તો રોમહર્ષક છે! પરંતુ, આ અનુભૂતિ જે આહ્વાને ભરેલી અને ભારેલી છે એનો ખરો ને પૂરો ખયાલ માયાવતીના ચાહકો અને ટીકાકારોને કદાચ નયે હોય. આંબેડકર-કલ્પી દલિત રાજનીતિ કેવળ અને કેવળ લાભાર્થીઓની નહોતી. હકભેર નાગરિકમાં સ્થપાતા સમતા-સિપાહી તરીકે એમણે એ દલિત કર્મશીલને જોયો હતો જેને એમણે શિક્ષિત-સંગઠિત-સંઘર્ષશીલ બનવાની આરતભરી અપીલ અને આગ્રહી અનુરોધ સતત કર્યો હતો. આજે માયાવતી બેલાશક માયાવતીઉપમ શૈલીએ, ઉત્તર પ્રદેશમાં મજબૂત અને નવી દિલ્હીમાં મજબૂર (બહુજન સમર્થન પર ટકેલી) સરકાર માટે મથી રહ્યાં છે ત્યારે દેશહિતૈષી સૌ આંબેડકરની આ શીખના અને એમના આજીવન મથામણોના ઉજાસમાં એમને અવશ્ય પૂછવા ઇચ્છશે કે તમે લાભાર્થીઓ અને સત્તાદલાલોની રાજનીતિમાં છો કે પરિવર્તનની રાજનીતિમાં ઇતિહાસનિમિત્ત છો.

માયાવતીએ માગ મુકાવ્યો છે એમાં શંકા નથી. કલ્યાણસિંહ-મુલાયમસિંહ-રાજનાથસિંહ, બધા સિંહોની લાળલથબથ અને પૂંછડીપટપટ બકરી બેંથી હટીને એમણે રાજાભૈયા પ્રકારનાં માફિયા તત્ત્વો સાથે કાનૂની રાહે કડક કારવાઈ શાસકીય સંકલ્પપૂર્વક કરી જાણી તે આપણે જોયું છે. રાજનીતિને ડકૈત-લઠૈત પાશમાંથી મુક્ત કરવાનું કૌવત તે જરૂર ધરાવે છે. વરુણ ઘટના સાથે પણ (એનએસસે પ્રકરણની અદાલતી મૂલવણી જે પણ હોય) એમને પક્ષે, થોડાક આરંભિક વિલંબ પછી ચોક્કસ કારવાઈની કોશિશ જરૂર થઈ છે.

જો તેઓ પોતાની ભૂમિકા કોઈ ઇતિહાસનિમિત્ત તરીકે અને પરિવર્તનના સક્રિય કરણ રૂપે જોતાં હોય તો એમણે યાદ રાખવું જોઈશે કે આત્મસ્થાપનાની રાજનીતિમાં કોઈ ઉજળિયાતવેડામાં ફસાવાપણું નથી. કેવળ આંબેડકર જ નહીં, 'માન્યવર કાંશીરામ' જ નહીં, મહાત્મા ફૂલે અને શાહુ મહારાજનાં નામો ઉત્તર ભારતમાં આ વર્ષોમાં લખનૌની રાજગાદી થકી પૂર્વે કદાપિ નહીં એટલાં ચલણી બન્યાં છે. પણ બહુ ડહાપણભરી ને સલાહભરી ઢબે સર્વજનવ્યૂહ ભણી જઈ રહેલાં માયાવતીનાં પોતાનાં પગલાંમાં તેમજ એમના બહુજન કાર્યકરોની કાર્ય-અને-જીવન-શૈલીમાં ફૂલે-આંબેડકરની પ્રબોધન પરંપરા કેટલી છે એ પ્રશ્ન અત્યારે પૂછવો જરૂરી છે એટલો કદાચ ક્યારેય ન હતો, કેમકે પછી મોડું થઈ ગયું હશે.

આ પ્રબોધન પરંપરા પરત્વે સમર્પિત તેમ દેશના રાજકારણ-સમાજકારણમાં મળતાં મળે એવા ગાંધીયુગ પરત્વે સહૃદય વલણો જો માયાવતીના નેતૃત્વમાં વિકસવાનાં હશે તો એમની અડખેપડખેનું ધાડું લાભાર્થી સત્તાદલાલોની ફોજ મટીને પરિવર્તનની લડાઈ લડતા સમતા-સિપાહીઓની સેનામાં ફેરવાઈ રહેશે. લડવૈયા આંબેડકરે, વિનોબાએ સમુચિતપણે જેને ભીમસ્મૃતિનું નામ આપ્યું છે તે બંધારણ ઘડવામાં આપેલા યોગદાનને એ એક મોટી અંજલિ લેખાશે.

Loading

1 December 2012 admin
← રાજ્યમાં મહિલા નીતિની વ્યાપક ચર્ચા જરૂરી
Modi’s McLuhan moment →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved