Opinion Magazine
Number of visits: 9548695
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નવલકથાના નિમિત્તે

ભરત મહેતા|Opinion - Opinion|3 December 2019

હાલમાં દેશને ખુશીનો ખજાનો મળી ગયો છે. આ દેશ વાજતેગાજતે હિંદુ રાષ્ટ્ર બનવા જઈ રહ્યો છે! જે એની આડશે આવે તે બધા જ દેશવિરોધી! જે કોઈ એનો વિરોધ કરે એ રાષ્ટ્રદ્રોહી, પછી ભલે ને એને અર્થશાસ્ત્રનું નોબેલ પ્રાઈઝ મળ્યું હોય! સંસદમાં અને સડક પર આ હિંદુરાષ્ટ્રના ઘડવૈયા ગોડસેને દેશભક્ત કહેતાં ય શરમાતા નથી. આવા વાતાવરણમાં જે.એન.યુ.ની યુવાપેઢી, વિદ્યાર્થીઓ ઉચ્ચશિક્ષણમાં વધતી જતી ફી સામે વાજબી આંદોલન કરે ત્યારે કાળાડિબાંગ અંધકારમાં રૂપેરી કોર મારા જેવાને તો દેખાય છે. આ આંદોલનને ખોરવવા શક્યતમ અફવાઓનું બજાર ફેસબુકના જગતમાં ગરમાગરમ છે. એમાં કેટલીકવાર ચતુરાઈથી ઘી હોમવામાં આવી રહ્યું છે.

કનૈયાકુમારે જે.એન.યુ.માં રહીને, બંધારણીય રીતે સરકારને જે રીતે પડકારી હતી એ નિઃશંક અભિનંદનને પાત્ર છે. તેમ છતાં આવા આંદોલનને વગોવતી એક નવલકથા હિંદીમાં લખાઈ. જેનું નામ છે ‘જે.એન.યુ.મેં આકાંક્ષા’ જેના લેખિકા છે અંશુ જોશી. જેમની ફેસબુક તપાસતાં એમને ભા.જ.પ. સાથે દૃઢ નિસબત છે. કોઈ લેખકને આવી નવલકથા લખવાનો અધિકાર છે, લખી શકે. આશ્ચર્યની વાત એ છે કે આ નવલકતાની હિંદી સાહિત્ય કે સમીક્ષાએ નોંધી લીધી જ નથી! આ પ્રકારની નવલકથાને એકાએક ગુજરાત સાહિત્ય અકાદમીને પ્રગટ કરી, જે ગુજરાત સાહિત્ય અકાદમી (સ્વાયત્ત/અર્ધસ્વાયત્ત/આપખુદ) એ ક્યારે ય કોઈ હિંદી નવલકથાનો અનુવાદ પ્રગટ કર્યો નથી!

જો કરવો જ હોય તો પ્રેમચંદજી, રેણુ, ભીષ્મ સહાની, યશપાલ, નિર્મલ વર્મા, રણેન્દ્ર શ્રીલાલ શુક્લ, વિનોદકુમાર શુક્લ કોઈપણને લઈ શકાત. જ્ઞાનપીઠ પુરસ્કૃત નવલકથાને લઈ શકાત. કોઈ મોટી કૃતિને આવો લાભ નહીં અને લેખિકાની પ્રથમ કૃતિને આવો લાભ પ્રકાશકના બદઈરાદાને સ્વયં પ્રગટ કરે છે. વળી, કેવળ આર્થિક સહાય અનુવાદને અપાતી હોય છે તે યોજના હેઠળ નહીં પણ આ નવલકથા ખુદ અકાદમીએ જ પ્રગટ કરવાની હોંશ દાખવી છે. અત્યારે આ જે.એન.યુ. આંદોલન ગતિમાં છે ત્યારે જ એની ચર્ચા પણ રાખવામાં આવી. ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ વિષ્ણુભાઈને એમની મિત્ર અંશુ જોશીની આ નવલકથા એટલી પ્રિય છે કે એના પર ‘શબ્દસૃષ્ટિ’માં સંપાદકીય પણ ફટકારી દીધું!

સત્તાની ચાપલુસીનું આ અત્યંત પારદર્શક ઉદાહરણ છે. મને યાદ છે કે વિષ્ણુભાઈએ દક્ષિણની એક નાટ્યલેખિકાનું કટોકટીવાળાએ કસ્ટડીડૅથ થયેલું ત્યારે લખેલું. કટોકટી વખતનો એમનો સત્યાગ્રહ હવે સત્તાગ્રહમાં પલટાઈ ગયેલો લાગે. વળી, આ એકલા વિષ્ણુભાઈનો દોષ કેવી રીતે? ગુજરાત સાહિત્ય અકાદમીમાં માર્ગદર્શકમંડળ જેવું કંઈક બચ્યું છે. શું એ સાહિત્ય વિદ્વાનોને પણ આ કૃતિ અકાદમી દ્વારા પ્રગટ કરવાની અગ્રિમતા લાગી? જો એમ ન હોય તો ગુજરાત સાહિત્ય અકાદમી પ્રમુખની પેઢી બની ગઈ કહેવાય. વળી, આ કૃતિ એવી છે કે સત્તામાં બેઠેલાં પણ રાજી થાય.

હકીકતે, આ સંસ્કૃતિની વાતો કરનારાઓનો સંસ્કૃતિદ્રોહ છે. સ્વાયત્તતા છીનવાઈ જાય પછી સંસ્થાનું ધોવાણ કઈ હદે થાય એનું આ ઉદાહરણ છે. ક્રમશઃ ગુજરાતી સાહિત્ય અકાદમી ‘સરકારી વાજિંત્ર’નાં પરિવર્તિત થઈ ચૂકી છે એનું આ રોકડું ઉદાહરણ છે.

E-mail :bharatmehta864@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2019; પૃ. 16

Loading

3 December 2019 admin
← Bengal Bypoll
કાર્ટૂનિસ્ટોની નજરે ડો. બાબાસાહેબ આંબેડકર →

Search by

Opinion

  • ગુજરાતની સાહિત્યિક સંસ્થાઓમાં વ્યાપેલું મીંઢાપણું ઘાતક છે …
  • પ્રાપ્તિ અને પ્રતિષ્ઠાથી અલિપ્ત પ્રતિભાઓ : મેરી અને પિયરી ક્યુરી 
  • નેહરુ શું બાબરી મસ્જિદ ઉપર બીજી બાબરી મસ્જિદ બનાવવા ઇચ્છતા હતા?
  • ‘ટ્રુ સેક્યુલર’  સરદારે અયોધ્યામાં સોમનાથવાળી કેમ ન કરી, ભાઈ?
  • જો અને તો : છેતરપિંડીની એક ઐતિહાસિક રમત 

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો
  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved