Opinion Magazine
Number of visits: 9558707
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નફાખોર ઈજારાશાહી અને સરકારની જવાબદારી  

નેહા શાહ|Opinion - Opinion|13 December 2025

નેહા શાહ

બજારનું માળખું ત્યારે શ્રેષ્ઠ પરિણામ આપે જ્યારે બજારમાં સ્પર્ધા હોય. જ્યારે એક કંપની અથવા મુઠ્ઠીભર કંપનીનું સમગ્ર બજારમાં રાજ હોય અને કંપની રાજાની માફક વર્તન કરે ત્યારે ગ્રાહકના કલ્યાણ સાથે સૌથી વધુ બાંધછોડ થાય. ઈજારાશાહીના પ્રશ્ન શું હોઇ શકે એનો સાક્ષાત્કાર ઈન્ડિગો એરલાઈન્સ ની તાજેતરની કટોકટીથી થયો. 

અઠવાડિયા જેટલી લાંબી ચાલેલી અરાજકતા માટે ફ્લાઈટની ફરજ સંબંધી સમય મર્યાદા નક્કી કરતા નવા નિયમો જવાબદાર છે – જેનો અમલ નવેમ્બર મહિનામાં શરૂ કરવાનો હતો. ભારતમાં પાયલોટના કામ કરવાના કલાક સબંધી નિયમો આંતરરાષ્ટ્રીય ધોરણો કરતાં ઘણા વિપરીત છે. થાકેલા પાયલોટ વધુ કામ કરે તો અકસ્માતનું જોખમ પણ વધે. પાયલોટનું સંગઠન – ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલોટ તરફથી  વારંવાર રજૂઆત થયા બાદ અને સંલગ્ન પક્ષોના અભિપ્રાય સમજ્યા બાદ અને આંતર રાષ્ટ્રીય ધોરણોને ધ્યાનમાં રાખતા સરકારે મે-૨૦૨૪માં પાયલોટનાં કામ કરવાના કલાક અંગે નિયમો બદલ્યા. બધી એરલાઈન્સને એનું પાલન કરવા માટે એક વર્ષથી વધુ સમય મળ્યો હતો. એકાદ એક્સ્ટેન્શન પછીની આ તારીખ હતી. નવેમ્બર ૨૦૨૫ સુધીમાં અમલીકરણ કરવાનું હતું. ઈન્ડિગો સિવાયની કંપનીઓએ શરૂઆતમાં વધારે સમય માંગ્યો પણ નવેમ્બર ૨૦૨૫ સુધી અમલ કરવામાં તેમને ખાસ વાંધો ન આવ્યો. પણ ઈન્ડિગો પાછળ પડ્યું. નવા નિયમો પ્રમાણે પાયલોટે કામના કલાક ઘટાડ્યા તો ફ્લાઈટ રદ્દ કરવી પડી. બેથી અઢી લાખ મુસાફરો અટવાઈ પડ્યા, અન્ય એરલાઈન્સે પોતાના ભાડામાં દસ ગણા જેટલો તોતિંગ વધારો ઝીંક્યો, અને રાતોરાત મુખ્ય રૂટ પરની ટ્રેનમાં ડબ્બા વધારવા પડ્યા. આ ઘટનાને શું કહીશું? મોટી કંપનીની બેજવાબદારી, બિનકાર્યક્ષમતા, અહંકાર, કે પછી રાજકીય સાંઠગાંઠમાંથી જન્મતો આત્મવિશ્વાસ? 

ભારતનું ઉડ્ડયન ક્ષેત્રમાં નફા સાથે સાતત્યપૂર્ણ ધંધો કરવો ખૂબ મોટો પડકાર છે. ખૂબ મોટા મૂડી રોકાણ ઉપરાંત ઇંધણનો તેમ જ બાકીના ઓપરેશનનો ખર્ચ વધતો જાય છે, પણ સામે ટિકિટના ભાવ વધારી શકાતા નથી, કારણ કે, ગ્રાહકનો મોટો હિસ્સો મધ્યમ વર્ગમાંથી આવે છે, જે કિંમત પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે. ઘણી વાર તો ગ્રાહકને આકર્ષવા એરલાઈન્સ કંપની કિંમત યુદ્ધ પર ઊતરી જાય છે. ઈન્ડિગોનો  વૃદ્ધિ દર પણ ખૂબ ઝડપી રહ્યો છે – વિશ્વમાં સૌથી વધુ સીટ કેપેસિટીમાં બીજો નંબર અને દૈનિક ઉડાનના હિસાબે સાતમો. સમય પર પહોંચાડવા માટે પણ ઈન્ડિગોનું પ્રદર્શન ઘણું સારું છે. આટલી કાર્યદક્ષતા સાથે એનો નફો પણ સાતત્યપૂર્ણ રહ્યો છે, જેને માટે એની ખર્ચ ઘટાડવાની વ્યૂહરચના જાણીતી છે. એક જ કંપનીના એક સરખા વિમાન વાપરી ઈન્વેન્ટરીનો ખર્ચ ઘટાડવો, એન્જિનિયર, પાયલોટ, અને ક્રુ સભ્યોની તાલીમ માટે થતો ખર્ચ ઘટાડવાનો ફાયદો એણે મેળવ્યો છે. તેમ જ એક રૂટના સ્ટાફને જરૂર પડ્યે બીજા રૂટ પર આસાનીથી મોકલી શકાય. આ ઉપરાંત વિમાનમાં ઇંધણના વપરાશ માટે વજનનું મહત્ત્વ હોય છે. એક અંદાજ પ્રમાણે ઈન્ડિગો વજનને નિયંત્રણમાં રાખીને વર્ષના આશરે ૨૯૨ કરોડ રૂપિયા બચાવે છે. આ વ્યૂહરચના ખરેખર કાબિલે તારીફ છે. અહી એ ભૂલવું ન જોઈએ કે પ્રતિ વિમાન-પાયલોટનો ગુણોત્તર ઓછો રાખવો એ પણ ઈન્ડિગોની ખર્ચ ઘટાડવાની વ્યૂહરચનાનો ભાગ છે. નફાની ગણતરીએ મપાતી બિઝનેઝની સફળતામાં કંપનીના કર્મચારીઓના કલ્યાણમાં થતી બાંધછોડ, જેની સીધી અસર યાત્રીઓની સુરક્ષા પર પણ પડે છે – જે આ કંપનીને નફાખોરની શ્રેણીમાં મૂકે છે. આજે જ્યારે આ કટોકટી સર્જાઈ છે ત્યારે સૌનું  ધ્યાન એ દિશામાં ગયું. 

દરેક દેશમાં ઈજારાશાહીને રોકવા કે નિયંત્રિત કરવા માટે કાયદા છે. ભારતનો કોમ્પીટીશન એક્ટ સરકારને ઇજારાને અને એની નફાખોર વૃત્તિને કાબૂમાં રાખવા સત્તા આપે છે. ઉડ્ડયન જેવી પાયાના સેક્ટરમાં એક કંપનીના હાથમાં ૬૪ ટકા જેટલા બજારનો કબજો હોય તો સરકારે પહેલા જ ચેતી જવું જોઈએ અને વાતાવરણ વધારે સ્પર્ધાત્મક બનાવવા માટે પગલાં લેવાં જોઈએ. કારણકે કોઈ નાની ચૂક પણ આખું બજાર ગબડાવી શકે છે. 

આ ઉપરાંત નવા નિયમોનો અમલ સમયસર થઇ શકે એ માટે ઈન્ડિગો જેવી તોતિંગ કંપનીએ પાછલા છ મહિનામાં કેટલી તૈયારી કરી એ અંગે નાગરિક ઉડ્ડયનનાં મહાનિર્દેશકે શું દેખરેખ રાખી એ અંગે કોઈ સ્પષ્ટતા જ નથી. સરકારે કદાચ ધારી લીધું કે નિયમ બનવાયા એટલે દરેક કંપની આજ્ઞાંકિત થઈને એનું પાલન કરી જ લેશે. જો એ પાલન ના કરે તો શું થાય એનો વિચાર નાગરિક ઉડ્ડયન વિભાગે કર્યો હતો? હું આ પ્રશ્ન આખું મંત્રાલય ચલાવતા મંત્રી અને એમના અધિકારીઓને સહજ રીતે થવો ન જોઈએ? ‘ઇન્ડિયન એક્સપ્રેસ’નો એક રિપોર્ટ કહે છે કે ઈન્ડિગોના ૨૦૨૩-૩૪ તેમ જ ૨૪-૨૫ના વાર્ષિક અહેવાલમાં નવા નિયમોને કારણે કંપનીના વેપાર પર પડી શકવાની અસરનો કોઈ ઉલ્લેખ જ નથી. આટલી તપાસ જો સરકારે આગોતરી કરી હોત તો ઈન્ડિગોના બિનજવાબદાર વર્તનને કાબૂમાં રાખી શકાયું હોત અને આ હાલાકી ઊભી થઇ ન હોત. કટોકટી ટાળવા અત્યારે લેવાયેલા પગલામાં ન તો કર્મચારીનું કલ્યાણ સચવાયું ન મુસાફરોની સલામતી !

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

13 December 2025 Vipool Kalyani
← દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
સેલ્સમેનનો શરાબ →

Search by

Opinion

  • સેલ્સમેનનો શરાબ
  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved