Opinion Magazine
Number of visits: 9734858
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોટા મિયાં સાહેબ

દીપક બારડોલીકર|Profile|29 August 2018

કોઈકે કહ્યું છે કે જ્યાં જિજ્ઞાસા ત્યાં જ્ઞાન. બાળકોનાં મનમાં રમતી આ સ્વાભાવિક વૃત્તિ, સમય જતાં, બાળકોને પાઠશાળાનાં પગથિયાં ચડ-ઊતર કરતાં કરી દે છે.

મારા માટે જ્ઞાનપ્રાપ્તિનાં દ્વાર, ઘણું કરીને, 1932-33માં ખુલ્યાં હતાં, જ્યારે મને મદ્રસામાં બેસાડવામાં આવ્યો હતો. મદ્રસો અમારા ઘરથી પાંચ મિનિટના અંતરે હતો. એની ઈમારત ખાસી સંગીન હતી. નીચેના મજલામાં ભાડૂતો હતા, ઉપરને મજલે તાલીમી વર્ગોની વ્યવસ્થા હતી.

આ મદ્રસાના વડા ઉસ્તાદ હતા મુલ્લા અબ્દુર્રહીમ, જે સામાન્ય રીતે મોટા મિયાં સાહેબના ઉપનામે ઓળખાતા હતા. એ જ મારા ઉસ્તાદ. એકવડા બાંધાના, ઊંચા ને વાને ગંદુમી સાંવરા-શા એ ઉસ્તાદ આમ તો ખુશમિજાજ હતા, પણ ઢીલુંઢાલું – નબળું કામ તેમને ગમતું ન હતું. કહેતા ય ખરા, ‘સબક કડકડાટ યાદ હોવો જોઈએ, કડકડાટ પઢે તે શેઠાઈ કરે !’

એક કાબેલ ઉસ્તાદના બધા ગુણો તેમનામાં હતા. નિયમિતતા, પ્રમાણિકતા તથા ફરજપાલનમાં તેમનો જોટો ન હતો. તેઓ બહુ રસપૂર્વક અને ચીવટાઈથી કુરઆન પઢાવતા. એક – એક શબ્દનો ઉચ્ચાર ચોખ્ખો કરાવે અને રવાનીથી પઢવા ન લાગે ત્યાં સુધી વિદ્યાર્થીને ઊઠવા ન દે.

મારા ઉસ્તાદ, મોટા મિયાં સાહેબની કુરઆન પઢવાની ઢબ પણ અનોખી હતી. તેઓ એવા ચિત્તાકર્ષક અંદાઝથી તિલાવત કરતા કે આપણે સાંભળ્યા કરીએ ! બારડોલીની મોટી મસ્જિદની ઈમામત પણ તેમને હસ્તક હતી; અને તેમનાથી મસ્જિદ સુશોભિત હતી. ખાસ કરીને જુમ્આ(શુક્રવાર)નો તેમનો ખુત્બો તો લાજવાબ હતો !

શુક્રવારે ખુત્બાના સમયે, મિયાં સાહેબ કુરતો-પાયજામો ને અચકનમાં સજ્જ થઈ, શિરે ફેંટો સજી જમાતખાનામાં પધારે, મિમ્બર પર બિરાજે અને બાંગી સાહેબ, આભલે મઢેલો એક સોનેરી અસો (ડંડ) તેમના હાથમાં થમાવે, અઝાન પોકારે અને ત્યાર પછી મિયાં સાહેબ એક હાથમાં અસો ને બીજા હાથમાં કિતાબ લઈને ઊભા થાય ત્યારે એવું લાગતું, જાણે આકાશથી પુનિત પ્રભાવ ન ઊતરી રહ્યો હોય !

અને ‘અલ-હમ્દુિલલ્લાહ-અલ-હમ્દુ-લિલ્લાહ!’ના ઉચ્ચારણ સાથે ખુત્બો શરૂ થતો ત્યારે મસ્જિદ ગુંજ્યા કરતી ! ખુત્બાના શબ્દો એવા રણકતા કે મૃત હૃદયમાં પ્રાણ પડી જાય ! તેઓ કારી ન હતા, પણ તેમની પઠનશૈલી નિ:શંક હૃદયસ્પર્શી હતી ! અનેરી હતી !

મારા આ ઉસ્તાદમાં બીજી પણ ઘણી ખૂબીઓ હતી. તેઓ ખુશમિજાજ તો હતા જ, ભેગા સંસ્કારી, સત્યવાદી, વિનમ્ર અને ઉદાર પણ હતા. તેમની આ સારાઈઓ હતી કે મસ્જિદની આસપાસના હિંદુ દુકાનદારો તેમનો આદર કરતા. ઘણી બાબતોમાં તેમની સલાહ પણ લેતા. નાનાં બાળકોને ભૂતપ્રેતની ઝપટથી બચાવવા ખાતર દમ પણ કરાવતા.

અને હાજી આદમ, હાજી ઈસા વગેરે મેમણ શેઠો તથા સુરતથી આવી વસેલા કાગદી – પટણી વહોરા કુટુંબો તો જાણે મિયાં સાહેબના મુરીદ જ જોઈ લો ! ખૂબ માન આપતા, સેવા કરતા અને દુઆઓ લેતા.

મિયાં સાહેબ ખેડૂતોની ગાય – ભેંસો માટે કપાસિયા, ખોળ વગેરે પદાર્થો પણ મંત્રી આપતા. તાવીઝ પણ લખતા.

દુન્યવી ઝંઝટોથી વેગળા રહીને મસ્જિદ, મદ્રસાની જવાબદારી સચ્ચાઈપૂર્વક બજાવનારા અમારા ઉસ્તાદની સેવાને લોકો પોતાનું સદ્દભાગ્ય સમજતા હતા. મેં તથા મારા ભેરુઓએ પણ તેમની ઘણી સેવા કરી હતી. ઉસ્તાદને અળાયાની જરૂરત હોય તો હું મિત્રો ભેગો જઈ સીમ-પાદરથી તે વીણી લાવતો. કાઠી માટે ગાડું જોડીને વગડામાં જતો અને ઉસ્તાદના ઘરના વાડામાં કાઠીની થપ્પી સીંચી આપતો. બકરીઓને ચરાવવા લઈ જતો ને ઘરનાં પાણીયે ભરી આપતો.

અમારા આ ઉસ્તાદના સમયમાં મોટી મસ્જિદમાં ઘણી રોનક હતી. અવારનવાર બહારથી આવતા, આલિમોથી વઅઝના કાર્યક્રમો ગોઠવાતા, તો ક્યારેક કુલ, ક્યારેક ખત્મે કુરઆનની મજલિસો યોજાતી. અને આમ થતું ત્યારે મસ્જિદ ચિરાગોથી ઝળાંઝળાં થઈ રહેતી. આવા કાર્યક્રમો અમારા માટે અનેક રીતે લાભદાયક થતા. અમારા ધાર્મિક જ્ઞાનમાં વધારો થતો, સંબોધનની રીત સમજાતી, મહેફિલમાં બેસવાની તમીઝ આવડતી અને મજલિસના અંતે સારી સરખી શીરીની મળતી, લાડુ, જલેબી, વગેરે. એ સમયે અમે લોકો એ શીરીનીને શેરની કહેતા હતા. ત્યારે અમને કદાચ એ વહેંચનારાઓને પણ ખબર નહીં હોય કે શેરની શબ્દનો અર્થ વાઘણ થાય છે ! શીરીની એટલે મીઠાશ, મીઠાઈ અને શેરની એટલે વાઘણ !

મોટા મિયાં સાહેબ એક સિદ્ધાન્તવાદી આદમી હતા. કોઈની બિનજરૂરી પ્રશંસા કે ખોટો લાભ લેવાનું પસંદ કરતા ન હતા. એ જ પ્રમાણે અગર કોઈ વ્યક્તિ ક્યારેક કોઈક બાબતમાં સહાયભૂત થતી તો તેનો બદલો વાળી આપવાનું ચુકતા ન હતા. અમે તો તેમના વિદ્યાર્થી હતા અને તેમની સેવા કરવી એ અમારી ફરજ હતી. આમ છતાં ઉસ્તાદે અમને ઉમદા તાલીમ આપીને તથા અમારા ઉજ્જવળ ભાવિ માટે દુઆઓ કરીને અમારી સેવાનું જાણે સાટું વાળી આપ્યું હતું. તેઓ સાદા હતા, સાચા હતા, સેવાનિષ્ઠ હતા. દેખાડાને, મોટામખોરીને પસંદ કરતા ન હતા. કેવો સુંદર આદર્શ ! કેવી પ્રેરક જીવનચર્યા !

‘હક મગફેરત કરે, બડા આઝાદ મર્દ થા.’

11, Croston Terrace, Ayres Road, Old Trafford MANCHESTER M16 7FD [U.K.]

Loading

29 August 2018 admin
← સાચાહાડના શિક્ષક : ફાજલભાઈ
હઠીસિંઘ →

Search by

Opinion

  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો
  • શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ !

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved