Opinion Magazine
Number of visits: 9449012
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મૂર્તિઓનાં જળવિસર્જનની ઘેલછા : મસમોટો અપરાધ

બીરેન કોઠારી|Opinion - Opinion|12 August 2020

કેટલા ય પાઠ એવા હોય છે કે અઘરે રસ્તે પણ આપણે તેને શીખવા માગતા નથી. કોવિડ-19ના પ્રકોપ જેવી, સદીમાં એકાદ વાર જવલ્લે પ્રસરતા વિશ્વવ્યાપી રોગચાળા જેવી ઘટનાથી મોટું બીજું કયું નિમિત્ત એ માટે જોઈએ? માર્ચ મહિનાના અંતથી ત્રણેક મહિના સુધી તો સંપૂર્ણપણે, અને છેલ્લા એકાદ મહિનાથી અંશત: માનવીય ગતિવિધિઓ થંભી ગઈ છે. તેની સીધી અને સવળી અસર પર્યાવરણ પર પડી રહી હોવાના અહેવાલો અનેક વાર આ ગાળામાં વખતોવખત પ્રકાશિત થતા રહ્યા છે. આમ છતાં, આપણા પર જાણે કે તેની કશી અસર જ નથી.

હવે ગણેશોત્સવની મોસમ આવશે અને હજી હમણાં જ દશામાના વ્રતની મોસમ ગઈ. દશામાની મૂર્તિઓ પાણીમાં વિસર્જિત કરવા પર વિવિધ શહેરનાં સત્તાતંત્રોએ પ્રતિબંધ ફરમાવ્યો હોવાનું જોવા મળ્યું હતું. કેટલેક ઠેકાણે એના માટે દંડ પણ ઘોષિત કરાયો હતો. આનું કારણ, અલબત્ત, તેને લઈને થનારું જળપ્રદૂષણ નહીં, પણ એ નિમિત્તે એકઠો થનારો જનસમૂહ અને તેના થકી કોરોનાના પ્રસારનો સંભવિત ખતરો હતો. એક અહેવાલ મુજબ, વડોદરામાં આ મૂર્તિઓનું વિસર્જન કરવા બાબતે રાજકીય પક્ષો વચ્ચે વિખવાદ થતાં વિવિધ સેવાભાવી સંસ્થાઓએ આ જવાબદારી ઉઠાવી લીધી હતી. તેને પગલે આશરે છ હજાર જેટલી મૂર્તિઓનું મહી નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. સુરતમાં તંત્રે નદી પરના ઓવારા અને કૉઝ વે બંધ કરી દીધા હતા, પણ લોકોએ નહેરમાં આ મૂર્તિઓનું વિસર્જન કરી દીધું. આમ, લોકોની શ્રદ્ધા જળવાઈ ગઈ, અને પર્યાવરણને થતું નુકસાન પણ એમનું એમ રહ્યું. તાત્પર્ય એટલું કે એક મહત્ત્વનો પાઠ શીખવાનો હાથમાં આવેલો મોકો આપણે ગુમાવી બેઠા.

સામાન્યપણે લોકો એમ કહેતા જોવા મળે છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની ભેદરેખા સાવ પાતળી હોય છે. અનેક લોકોના મનમાં બાઝેલાં ગેરસમજણ અને અંધશ્રદ્ધાનાં બાવાજાળાં દૂર કર્યા એવા પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’એ સ્પષ્ટપણે, પોતાની આગવી શૈલીએ લખેલું કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે તત્ત્વત: કશો ભેદ નથી, અને બન્ને એક જ બાબત છે. મૂર્તિવિસર્જનની ઘેલછા આ હકીકતનો સચોટ પુરાવો છે. પીવાના પાણીની કાયમી અછત અનુભવતા આપણા દેશમાં જળઆયોજનના નામે મીંડું હોય, ત્યાં પ્લાસ્ટર ઑફ પેરિસની મૂર્તિઓ જળાશયોમાં વિસર્જિત કરવી કેવડો મોટો અપરાધ છે! જળપ્રદૂષણ કરતા તમામ ધર્મોના લોકોને આ હકીકત લાગુ પડે છે. આ અપરાધ કાનૂની ન હોવાને કારણે તેને રોકવા માટે કશાં પગલાં લેવાતાં નથી. સત્તાકારણીઓ સતત લોકરંજકતાનું રાજકારણ રમતા રહેતા હોવાથી તેઓ આવા ઘેલછાભર્યા કૃત્યોને પ્રોત્સાહન આપતા જોવા મળે છે, અને લોકોમાં એવી કોઈ જાગૃતિનો સદંતર અભાવ છે. જે તહેવારોની ઉજવણીમાં પર્યાવરણપ્રેમ અને કુદરતને સન્માનવાની લાગણી કેન્દ્રસ્થાને હતી, તેને બદલે હવે ધન તેમ જ સત્તાનો નિર્લજ્જ દેખાડો, હુંસાતુંસી, ઉન્માદ અને ઘેલછા સામૂહિક ઉજવણીનાં ચાલક બળ બની રહ્યાં છે. ઉત્તરોત્તર વધતાં જતાં આ લક્ષણોમાં વિનાશ નજર સામે જ કળાતો હોવા છતાં ક્યાં ય પાછા વળીને જોવાપણું થશે એમ લાગતું નહોતું. આવા સંજોગોમાં કોવિડ-19ના વિશ્વવ્યાપી રોગચાળાએ આ બાબતે ફેરવિચાર કરવાની તક પૂરી પાડી હતી. દશામાની મૂર્તિઓનું ધરાર જળવિસર્જન કરીને આપણે પુરવાર કરી આપ્યું છે કે આપણે સુધરવા માગતા નથી.

હજી મોડું થયું નથી. ઉન્માદની અવધિ જેવો ગણેશોત્સવ આવી જ રહ્યો છે. વૈશ્વિક રોગચાળાનો આ સમય ઉજવણીની આપણી પદ્ધતિ અને તેમાં પ્રવેશેલાં દૂષણો બાબતે ફેરવિચાર કરવા માટેની એક તક પૂરી પાડી રહ્યો છે, એમ સમજીને આ બાબતે નક્કર પગલાં ભરવાં જરૂરી છે. હવે એ બાબત કોઈને સમજાવવાની જરૂર નથી રહી કે મૂર્તિના કદને ઈશ્વર પ્રત્યેની આસ્થાના પ્રમાણ સાથે કશી લેવાદેવા નથી. સત્તાતંત્ર મૂર્તિના કદ બાબતે માર્ગદર્શિકા બહાર પાડે કે ન પાડે, સ્વબુદ્ધિએ આપણે નિર્ણય લેવાનો છે. પર્યાવરણની વિપરીત અસરોની જાણકારી માત્ર પાઠ્યપુસ્તકોમાં કે સરકારી જાહેરખબરોમાં જ પૂરાયેલી રાખવી છે કે તેનો સક્રિયપણે અમલ કરવો છે એ નિર્ણય લેવા માટેનો આ ઉત્તમ સમય છે. આજે જૂની ગણાતી પરંપરાનો આરંભ પણ ક્યારેક તો નાને પાયે, અને મોટે ભાગે કોઈ અન્ય હેતુથી જ થયો હશે. જે તે સમયે છૂટીછવાઈ થતી ઉજવણી સમયાંતરે અનેક કારણોસર પરંપરાનું સ્વરૂપ પકડી લે અને ધીમે ધીમે તેમાં અનેક દૂષણો ઉમેરાતાં જાય એવાં અનેક ઉદાહરણો લગભગ દરેક ધર્મની ઉજવણીઓમાં આસાનીથી જોવા મળી શકશે. પ્રત્યેક ઉજવણીના આરંભ પાછળ કોઈ ને કોઈ તર્ક અને પર્યાવરણ પ્રત્યેની નિસબત હોવાનાં કારણો સમજાવતો એક મોટો વર્ગ છે. આવો વર્ગ સિફતપૂર્વક ઉજવણીમાં પ્રવેશેલા વર્તમાન દૂષણને નજરઅંદાજ કરે છે. ભલભલા જાગ્રત અને વિચારશીલ નાગરિકો આ લક્ષણનો શિકાર બને છે, અને એવા ભ્રમમાં રાચતા જોવા મળે છે કે પોતે ભૂતકાળની ઉદાત્ત પરંપરાનું જ વહન કરી રહ્યા છે. 

વર્તમાન અને ભાવિ સમય એવો છે કે જળવાયુનું પ્રદૂષણ નોતરતી તમામ ઉજવણીઓ ફેરવિચાર માગી લેશે. સાથે એમ માનનારો વર્ગ પણ મોટો છે કે કેવળ હિન્દુઓના તહેવારની આવી ઉજવણીઓને જ શા માટે પ્રદૂષણકારક ગણવામાં આવે છે! પ્રદૂષણ કંઈ હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, યહૂદી કે અન્ય કોઈ ધર્મને જાણતું નથી. કોઈ પણ ધર્મમાં, કોઈ પણ તહેવારની થતી જાહેર ઉજવણી જળવાયુનું પ્રદૂષણ કરવા માટે નિમિત્ત બનતી હોય તો તેના અંગે ફેરવિચાર કરવો રહ્યો. તેને બંધ કરવી રહી. આ આફતને પર્યાવરણ બચાવવાના અવસરમાં તબદીલ કરી લેવા જેવી છે! 

e.mail : bakothari@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 10 ઑગસ્ટ 2020; પૃ. 14-15

Loading

12 August 2020 admin
← “ઈતિહાસની ઘટનાઓનો બદલો લેવાની વૃત્તિ સભ્ય સમાજ માટે સારી નથી”
ઉત્તમ કવિ અને ઉમદા ડોક્ટર દિલીપ મોદીની દુખદ વિદાય →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved