Opinion Magazine
Number of visits: 9446510
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

(મહા) ભારતને રામાયણની જરૂર છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|18 December 2017

ચૂંટણી પતી ગઈ છે ત્યારે, કામ લાગે તેવી થોડીક વાતો અને વિચારો:

મહાભારતમાં પાંચમો અધ્યાય ઉદ્યોગ પર્વનો છે. ઉદ્યોગ એટલે ઉદ્યમ, પ્રયાસ, મહેનત. ઉદ્યોગ પર્વ એ મહાભારતનું યુદ્ધ ટાળવાની કોશિશનો દસ્તાવેજ છે. જુગટું વખતની શરત મુજબ, તેર વર્ષના વનવાસ પછી પાછા આવેલા પાંડવો કૌરવો પાસેથી ઇન્દ્રપ્રસ્થનું શાસન માગે છે, અને કૌરવો અંચાઈ કરી યુદ્ધની સ્થિતિ ઊભી કરે છે. પાંડવો-કૌરવોના કાકા (ધૃતરાષ્ટ્ર-પાંડુના ભાઈ), અને હસ્તિનાપુરના રાજા વિદુર આ યુદ્ધ રોકવા પ્રયાસ કરે છે, પણ નિષ્ફળ રહે છે. વિદુરને ખબર છે કે યુદ્ધ વિનાશક હશે. એ મહારાજા ધૃતરાષ્ટ્ર સાથે એનો વિચાર-વિમર્શ કરે છે, જે વિદુર-નીતિ તરીકે પ્રખ્યાત છે. વિદુર-નીતિ જીવન-યુદ્ધ જ નહિ, જીવન-પ્રેમ અને જીવન-વ્યવહારની પણ વાત કરે છે, એટલે જ એ આજે પણ પ્રાસંગિક છે.

વિદુર એ સંવાદમાં બુદ્ધિમાન (જે રાજા પણ હોય) વ્યક્તિના ગુણ બતાવે છે. જેને સત્કર્મથી ખુશી થાય અને અચ્છાઈને નફરતથી ન જુએ, જેને પોતાના કામ પ્રત્યે આદર હોય અને એનાં વખાણ થાય તો ઘમંડ ન કરે, જેને મોટા માટે આદર અને નાના માટે સન્માન હોય, જેને જીતવા માટેની જીદ અને હાર થાય તો એનો સ્વીકાર હોય, જેને કામકાજમાં બીજાને નીચો દેખાડવાની ભાવના ન હોય અને જેને અતિ સંપત્તિ અને અપાર સત્તામાં પણ અભિમાન વગર વર્તતા આવડતું હોય એને બુદ્ધિમાન માણસ કહેવાય, એમ વિદુરનું વચન છે.

મહાભારતમાં વિદુર જેવા ડાહ્યા માણસની જરૂર પડે છે (રામાયણમાં નથી પડતી), કારણ કે મહાભારત સત્તાની લાલસાનું આખ્યાન છે, જ્યારે રામાયણ સત્તાના ત્યાગની કથા છે. મહાભારતમાં અનીતિ, અશિસ્ત, દગાબાજી અને અનુચિત વ્યવહાર છે. રામાયણ સદાચાર, આદર્શ, સંયમ, વિનય અને નિયમનું મહાકાવ્ય છે. એટલા માટે જ અયોધ્યાનું શાસન રામરાજ્ય તરીકે આજે પણ લોકોનું આદર્શ છે. ‘પાંડુરાજ્ય’ એવો શબ્દ આપણે સાંભળતા નથી. રામાયણમાં રામ સુશાસન (good governance) માટે નિજી સુખ જતું કરે છે, અને એ જ રાજધર્મની સાચી વ્યાખ્યા છે. મહાભારતમાં લડાઈ જ નિજી સુખની છે.

ભારતના જનમાનસમાં આજે પણ રામનું રાજ્ય આદર્શ છે, પણ એની રાજનીતિ મહાભારત જેવી છે. આજે કેટલા નેતાઓ જનકલ્યાણ માટે સત્તાનો ત્યાગ કરવા તૈયાર થશે? રાજકારણીઓ માટે જનતા પહેલી, કે તેમની ખુરશી? રાજનીતિ આમ તો જનશાસનનું સાધન છે (જેમાં સત્તા ડિફોલ્ટ છે), પણ મોટાભાગે એમાં મહાભારતની જેમ જ, અનીતિ, અશિસ્ત, દગાબાજી અને અનુચિતતા જ છે. આ સત્તાનું સ્વ-રાજ છે, રામનું પ્રજા-રાજ્ય નહીં.

અબ્રાહમ લિંકન અમેરિકાને કપરા ગૃહયુદ્ધમાંથી ઉગારવા માટે જાણીતા છે. એમણે કહ્યું હતું, ‘આમ તો દરેક માણસ વિપદા સામે ટકી રહેવા સમર્થ છે, પણ એના ચરિત્રની સાચી પરીક્ષા કરવી હોય તો એને સત્તા સોંપી જુઓ.’ જે દુર્ગુણો વચ્ચે મહાભારતની કથા આકાર લે છે, તેની પાછળ એક બાબતનું સામ્ય છે; પાવર. કૌરવો હસ્તિનાપુરની સત્તામાં છે, અને એમને એનો નશો છે. પાંડવો, જે ન્યાયી, સદાચારી અને પ્રજાતરફી છે, આ હસ્તિનાપુરને ઉચિત શાસન આપવા માગે છે. સત્તાના આ સંઘર્ષમાંથી જે ડહાપણ સમજમાં આવે છે તે આજે પણ, ભારતમાં જે રીતે power politics ચાલે છે તેના સદર્ભમાં, પ્રાસંગિક છે. સત્તા અથવા અખત્યારી કેવી રીતે માણસને કુટિલ બનાવી દે, તેની સમજ વિદુરને હતી. સત્તા માણસને ભ્રષ્ટ બનાવે છે, એવી સમજ આજના ચિંતકો અને મનોવિજ્ઞાનીઓને છે.

પાવર એટલે શું? મોટાભાગના રાજકારણીઓ એમ માને છે કે, પાવર એટલે પોઝિશન, અને એમનાં નામની આગળ-પાછળ લાગતાં ટાઇટલ્સ. પાવર હોવાનો મતલબ, તમે સૌથી ઉપર હો, પ્રિવિલિજ્ડ (દેવના દીધેલ) હો અને બીજા બધા ઉપર અખત્યાર ધરાવો. પાવર એટલે તમે આજ્ઞા કરી શકો, લોકો એનું પાલન કરે અને તમને સલામ ભરે. પાવર એટલે વર્ચસ્વ, નિયંત્રણ એવું બધા માને છે.

જૂના જમાનાના રાજાઓ હોય, સામંતો હોય કે આજના નેતાઓ હોય, એ પોતાને અધિપતિ માને છે, સેવક નહીં.

આપણા વડાપ્રધાન પોતાને સેવક ગણાવે છે, પણ એમના અનુયાયીઓ એમને સિંહ માને છે. એ વિદેશ જાય ત્યારે ત્યાંના ગુજરાતીઓ નારા લગાવે છે, ‘દેખો દેખો કૌન આયા, ગુજરાત કા શેર આયા.’ જંગલમાં સિંહ પાવરના ક્રમમાં સૌથી ઉપર હોય છે. દુનિયાભરમાં બધે જ મહાન લીડર માટે સિંહ પ્રતીક ગણાય છે. એના ઉપરથી ‘સિંહ ભાગ’ શબ્દ છે. સિંહની જગ્યા મોટી હોય, સિંહનો શિકાર મોટો હોય.

સારનાથમાં અશોકે જે સ્તંભ બનાવ્યા હતા એમાં ચાર સિંહ છે. બાંગ્લાદેશના યુદ્ધ પછી વાજપેયીએ ઇન્દિરાને ‘મા દુર્ગા’ સાથે સરખાવ્યાં હતાં. (વાજપેયીએ પાછળથી ‘મેં આવું નોતું કહ્યું,’ અને ‘હું ઇન્દિરા જ છું અને ઇન્દિરા જ રહેવા માગું છું’ એવું ઇન્દિરાએ કહ્યું હતું એ આડવાત છે.) ઘણા લોકો ઇન્દિરા માટે ‘સંસદમાં એક માત્ર મર્દ’ એવી જોક કરતા હતા. ઇન્દિરા મોસ્ટ પાવરફુલ લીડર ગણાય છે, કારણ કે એમનામાં સિંહણની તાકત હતી.

સિંહ શારીરિક પાવરનું પ્રતિરૂપ છે. જંગલમાં શારીરિક પાવરના આધારે જીવન ચાલે છે. સિંહ એના તાકાતના જોરે બાકીનાં પ્રાણીઓ ઉપર રાજ કરે છે. કંઇક એ જ રીતે, માનવ જીવનમાં પણ આપણે લીડરને ‘સિંહ’ તરીકે સ્વીકારતા થયા છીએ. રાજાઓ અને સામંતો એટલે જ લાંબી મૂછો અને દાઢી રાખતા હતા. મૂછ એટલે જ મર્દાનગી અને તાકાતનું પ્રતીક છે.

લીડર હોવું એટલે ડરાવવું, ધમકાવું અને ‘કડક હાથે’ કામ લેવું. ફરક એટલો જ છે કે, જંગલમાં સિંહને પાવર માટે પ્રેરણા કે પ્રયોજન નથી હોતું. એ પ્રકૃતિથી પાવરફુલ છે, એટલે એને વધુ પાવરફુલ થવાની જરૂર કે ખ્વાહીશ નથી હોતી. એનો પાવર (કોઈ કારણસર) ઓછો થયો તો, એ હાર પણ માની લે. સિંહમાં પાવરનું ગૌરવ નથી, અને હારની શરમ નથી. એ અર્થમાં સિંહ રામાયણના રામ જેવો છે. પાવરથી એ ચલિત કે વિચલિત થતો નથી. એ એને વાપરે ય છે, અને ત્યાગી પણ દે છે.

માનવ સમાજમાં એવું નથી. અહીં પાવર પકડી રાખવાનો છે, એનો સંચય કરવાનો છે. ઇન્દિરાએ કટોકટી લાદી હતી, તે પાવરને જતો નહીં કરવાની જીદ હતી. દુનિયામાં જે આતતાયીઓ થયા છે તે, માલિક બની રહેવા માટે, લોકોને નિયંત્રણમાં રાખવા પાવરનો ઉપયોગ કરે છે એટલું જ નહીં, એ વધુ પાવરફુલ થવા પ્રયાસ કરે છે. અમર્યાદ સત્તા એટલે જ માણસને નિરંકુશ બનાવે છે. લોકતંત્રમાં એટલા માટે જ વિપક્ષની વ્યવસ્થા છે, જે સત્તાનું પલડું નમી જવા ન દે.

મોટાભાગના લીડરો પાવર માટે ચૂંટણીથી લઈને વિરોધીને પાડી દેવા સુધીની લડાઈઓ લડે છે, પણ એમને એ ભાગ્યે જ ખબર છે કે, એ પાવર મળી જાય પછી એનું કરવાનું શું? એટલે એ લીડરો પાવર વહેંચવાને (ઉપયોગ કરવાને) પાવરનો સ્ટોક વધારતા જાય. તે મોટા ને મોટા, ઉપર ને ઉપર જતા રહે છે. રામમનોહર લોહિયા કહેતા હતા, રામ પાવરના વર્તુળની અંદર રહે છે. એ વર્તુળમાં વ્યવસ્થા (ઓર્ડર) છે, શિસ્ત છે, શિરસ્તો છે, અનુક્રમ (હાઇરાર્કી) છે. એટલા માટે રામ મર્યાદા પુરુષોતમ કહેવાય છે. અને એટલા માટે જ ભારતીય જનજીવન ઉપર રામનો પ્રભાવ છે ( કૃષ્ણનો નહીં, જે વ્યવસ્થાના વિરોધી છે, નિયમ વિરોધી છે).

સાચો પાવર એ છે, જેનો જનમાનસ ઉપર પ્રભાવ (influence) હોય. તમારાથી પ્રભાવિત થઈને જનતા જ્યારે તમારી દૃષ્ટિ, તમારા ચિંતનમાં ભાગીદાર બને એ મહાન લીડર કહેવાય. પ્રભાવ અને અધિકારમાં આ ફરક છે. લીડરશિપ એ છે જેમાં સંબંધ અને સન્માન હોય, અંકુશ અને આજ્ઞા નહીં. લીડર એ નથી જે અનુયાયીઓ બનાવે, લીડર એ છે જે બીજા લીડર બનાવે. લીડર એ નથી જેની પાસે ભીડ છે, લીડર એ છે જેની પાસે રિઝલ્ટ છે.

(મહા) ભારતને આ રામાયણની જરૂર છે.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 17 ડિસેમ્બર 2017

Loading

18 December 2017 admin
← ચૂંટણી ચુકાદાની રાહ જોતાં
ડાયસ્પોરા નવલકથાકાર એમ.જી. વસનજીનું સાહિત્ય-વિશ્વ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved