Opinion Magazine
Number of visits: 9505756
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લાભશંકરને મારી શ્રદ્ધાંજલિ

સુમન શાહ|Opinion - Literature|13 January 2016

લાભશંકર ઠાકરના અવસાનને આજે એક અઠવાડિયું થયું. મારે શોકસભામાં જવું’તું પણ મન ખંચકાયું ને એણે મારા પગને ડગ ભરવાની ના પાડી…ખૅર…

એ ૧૯૮૮ની સાલ હતી, ૨૮ વર્ષ વીતી ગયાં. લાભશંકર એમનાં ૬ કાવ્યોનો સંગ્રહ “કાલગ્રન્થિ” પ્રગટ કરી રહેલા. મને એમણે એને વિશે લેખ કરવા કહ્યું. કહે, સંગ્રહની આગળ મૂકીશ. મેં લેખ કર્યો ને એ “કાલગ્રન્થિ”-માં તેમજ મારા પુસ્તક “કાવ્યપદ”-માં પ્રકાશિત છે. ત્યારે મારા નાના દીકરા મદીરે આર્કિટૅક્ચરનું ભણવાનું શરૂ કરેલું. એ સમયગાળામાં એણે એક સ્પેશ્યલ માટીનાં પેપરવેઇટ્સ બનાવેલાં. દરેક પર ત્રસ્ત મનુષ્ય-ચ્હૅરા ઉપસાવેલા. લાભશંકરને બહુ ગમી ગયેલાં. એટલે નક્કી કર્યું કે “કાલગ્રન્થિ”-ના ટાઇટલ પેજ પર એક પેપરવેઇટનું ચિત્ર મૂકવું. એ મુકાયું છે. ઉપરાન્ત, મદીરે ‘કાલગ્રન્થિ’ અક્ષરાંકન પણ કર્યું. પાર્શ્વ પ્રકાશન, ૧૯૮૮.

આ સંગ્રહની ૬ રચનાઓને લાભશંકરે પોતાની ‘તે તારીખે’ ‘અન્તિમ કાવ્યરચનાઓ’ કહેલી. પછી તો ઘણું લખ્યું. પણ એવું એમનું સર્જક તરીકેનું એક આસ્વાદ્ય ઍટિટ્યુડ હતું.

સંગ્રહ એમણે અમારા બન્નેના જિગરી મિત્ર રાધેશ્યામ શર્માને અર્પણ કર્યો છે. નિવેદન રૂપે કવિએ મિત્ર માટે લખ્યું છે : ‘ઇન્ટર આર્ટ્સમાં રા. અને લા.-નું મળવું અને પ્રગાઢ મૈત્રીમાં પરિણમવું -એમનાં ગદ્યચક્રો અને મારાં પદ્યચક્રો પ્રતિદિન રચાય અને પરસ્પર દ્વારા આસ્વાદાય, કડક નિર્મમ પરીક્ષણથી ચકાસાય. અમારી ગોષ્ઠિના એ દિવસો વિરલ સંપદા રૂપે સ્મૃિતકોષમાં હજુ અકબંધ ચમકે છે.’

હું એમની સાથે મતમતાન્તર કાજે ઠીકઠીક લડાઇઓ કરતો. મારે માટે લખ્યું : “જેની સાથે કડક યુદ્ધના ધોરણે બાખડી શકાય અને એક કપમાંથી ગરમ ગરમ અર્ધી અર્ધી ચા પી શકાય એવા સહૃદય સમકાલીન સુમન આ ષડ્ રચનાઓના પ્રકાશન-કાર્ય(ઇફૅક્ટ)માં નિમિત્ત કારણ( કૉઝ) છે તે મને આનન્દ આપે છે.’

મારા એ લેખનું શીર્ષક છે : ‘ત્રસરેણુઓ જેમ ઊડતી સમ્પ્રજ્ઞતા’. મારે મન લાભશંકર સર્વ અર્થોમાં એક સમ્પ્રજ્ઞ સર્જક હતા. એક એવી અન્તહીન તોષહીન સમ્પ્રજ્ઞતા, જેને હું કલાકારજીવનો મહત્તમ ગુણ ગણું છું. એણે એમને જંપવા નહીં દીધેલા. બીજું, આ માણસ ભાષાથી ભાષા જોડે જીવનભર ઝડતો રહ્યો. અને એ ઝઘડાઓએ જે કંઇ સુઝાડ્યું તેને કવિ નિરન્તર આપણી સામે મૂકતા રહ્યા. આ પદ્ધતિને હું આધુનિક સર્જકનો જીવલેણ વિશેષ ગણું છું. આ બન્ને બાબતે લાભશંકર એક સદાવિચારણીય સાહિત્યવસ્તુ રૂપે ગુજરાતી કાવ્યજગતમાં હમેશાં યાદગાર રહેશે. પછી તો લાભશંકરમાં એક ક્રિએટિવ લૅબિરિન્થ રચાતી ગયેલી : સમ્પ્રજ્ઞતાને વિશેની સમ્પ્રજ્ઞતા; શંકાને વિશેની શંકા; ભાષાસમેત સભ્યતામાત્રને વિશેની અશ્રદ્ધા; છતાં સર્જક-શબ્દને જોતર્યા કરવાની હંગામી શ્રદ્ધા; વળી, કલ્પન-પ્રતીક પ્રાસ-લય ટાઇપોગ્રાફી વગેરે અંગેની ચાલુ સર્જનલાચારી; વગેરે. આ સઘળાં લાભશંકરનાં જાણીતાં થીમ છે. એ “કાલગ્રન્થિ”-માં તો છે જ પણ કવિ લાભશંકર સમગ્રમાં છે. એ વડે એમણે પોતાની શબ્દસૃષ્ટિમાં એક ઊંચી સમ્પ્રજ્ઞતાને તાકી છે. જોઇ શકાય તો એમાં આનન્દની પેલે પારનું ઇંગિત છે, સંભળાય તો પેલે પારનું ઇજન છે.

આ અદ્વિતીય કાવ્યપુરુષાર્થી હવે આપણી વચ્ચે નથી પણ કોઇપણ નિષ્ઠાવાન સર્જક માટે એ હમેશાં દીપ અને દર્પણ હશે અને સદા રહેશે…પ્રભુ એમના આત્માને શાન્તિ અર્પો …

Loading

13 January 2016 admin
← गांधी के आख़िरी सालों की वो अनदेखी तस्वीरें
લા.ઠા. : રમ્યઘોષાથી આંતરઘોષા →

Search by

Opinion

  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી
  • ચલ મન મુંબઈ નગરી—313 
  • પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !
  • અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા
  • સહૃદયતાનું ઋણ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved