Opinion Magazine
Number of visits: 9446080
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખલીલ જિબ્રાન: બંધ જ્વાળામુખી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|8 July 2019

સચિત્ર કથાઓનાં પુસ્તકો પ્રગટ કરતી, લંડનની ફોલિયો સોસાયટી નામની પ્રકાશન સંસ્થાએ ખલીલ જિબ્રાનની ચોપડી 'ધ પ્રોફેટ'ને પ્રગટ કરી છે. જિબ્રાનની ૨૮ ગદ્ય કવિતાઓ, તેમનાં જ ચિત્રો સાથે પ્રગટ થઈ છે. જિબ્રાન પોતે એક અચ્છા ચિત્રકાર હતા અને એમનાં ચિત્રો લેબેનાનમાં જિબ્રાન નેશનલ કમિટીમાં સચવાયેલાં પડ્યાં છે. ફોલિયો સોસાયટીએ તે રંગીન ચિત્રોની બાજુમાં 'ધ પ્રોફેટ'ની ૨૮ ગદ્ય કવિતાઓ મૂકી છે. કલેક્શનની અદ્દભુત ચોપડી છે (આ લેખ સાથે એનું ચિત્ર છે). રસ હોય, તો ફોલિયો સોસાયટીની વેબસાઈટ ચેક કરજો.

ખલીલ જિબ્રાનનું ચિંતન ગુજરાતીમાં કેટલું ઉપલબ્ધ છે અથવા હજુ કેટલું પ્રકાશિત થાય છે, તે ખબર નથી, પરંતુ એમના મૃત્યુના ૮૮ વર્ષ (૧૦ જાન્યુઆરી ૧૯૩૧) પછી પણ, હિન્દી અને અંગ્રેજીમાં એ લગાતાર લખાતા-વાંચતા રહ્યા છે. ખલીલ જિબ્રાન એક લેબનીઝ-અમેરિકન કલાકાર, કવિ અને લેખક હતા. તેમનો જન્મ ૬ જાન્યુઆરી ૧૮૮૩ના રોજ લેબેનાનમાં થયો હતો. ચિત્રકળામાં દિલચસ્પી હોવાથી તે પહેલાં પેરિસ અને પછી ન્યુયોર્કમાં સ્થાયી થયા હતા. તે એમના ચિંતનના કારણે સમકાલીન પાદરીઓ અને અધિકારી વર્ગની નારાજગીનો ભોગ બન્યા હતા, અને નાતબહાર અને દેશનિકાલ પણ થયા હતા. અરબી સાહિત્યમાં તે 'ખલીલ જિબ્રાન' નામથી અને અંગ્રેજી સાહિત્યમાં 'ખલીલ જ્વાર્ન' નામથી મશહૂર થયા છે. ખલીલ દુનિયામાં શેક્સપિયર અને લાઓ-ત્ઝુ પછી ત્રીજા નંબરના સૌથી લોકપ્રિય કવિ છે.

૧૯૨૩માં આવેલી એમની 'ધ પ્રોફેટ' નામની ચોપડીથી ખલીલ બેહદ મશહૂર થયા. આ ચોપડી ૧૦૦ જેટલી ભિન્ન ભાષાઓમાં અનુવાદિત થઈ છે, અને તેની ગણના ઇતિહાસની સીમાચિહ્નરૂપ સર્જનોમાં થાય છે. 'ધ પ્રોફેટ' લગાતાર પ્રકાશિત થતી રહે છે. ૨૦૧૨ સુધી એકલા અમેરિકામાં એની ૯૦ લાખ નકલો વેચાઈ હતી. ૧૯૨૩માં, એની ૨,૦૦૦ નકલ છપાઈ હતી. બીજા વર્ષે આંકડો ડબલ અને ત્રીજા વર્ષે ત્રિપલ થયો. ૧૯૫૭માં એની ૧૦ લાખ નકલો વેચાઈ. એક સમય એવો હતો કે દુનિયામાં દર સપ્તાહે 'ધ પ્રોફેટ'ની ૫,૦૦૦ નકલો વેચાતી હતી.

ખલીલ જિબ્રાનને વાંચવા એ ખુદની અંદર ઝાંખવા જેવું છે. તમને તમારી દરેક મુસીબતનો ઉપાય જિબ્રાનનાં એ વિધાનોમાં મળે, જે તેમણે તેમની કવિતાઓમાં કર્યા હતાં. એ અર્થમાં જિબ્રાનને વાંચવા એ કોઈ ડોક્ટરને મળવાથી ઓછું નથી. એમનું લેખન જીવનને સમજવાની એક કામયાબ ચાવી છે.

આ જ એક કારણ છે કે જિબ્રાન દરેક દેશ અને દરેક ભાષાના કહેવાયા. દરેક માણસને એમની વાત પોતાની લાગી. લઘુકથાઓ હોય કે સૂત્રો, પ્રેમ અને દોસ્તી સહિતના જીવનના તમામ અનુભવોની એમણે ઓછામાં ઓછા શબ્દોમાં એટલી સહજતાથી વ્યાખ્યા કરી હતી કે સૌના દિલમાં ઊતરી જાય.

ખલીલ જિબ્રાન ચિત્રકાર હતા, મોડેલ હતા, લેખક હતા અને સંપાદક હતા. તેમની જિંદગી બહુ બધા પડાવો પરથી પસાર થઈ હતી. એમાં એમના વ્યક્તિત્વના અનેક રંગ ચમકતા રહ્યા. અનેક તકલીફો હતી તેમના જીવનમાં. ૧૦ વર્ષની ઉંમરમાં એક મોટા પથ્થર પરથી પડી જવાથી ડાબા ખભામાં એવું દર્દ આવ્યું જે આજીવન રહ્યું. ૩૯ની વય સુધીમાં હૃદયની બીમારી આવી ગઈ. બાકી હોય તેમ, તેમને માનસિક હોસ્પિટલમાં ભરતી થવું પડ્યું.

એમને એક બેચેની પણ રહ્યા કરતી હતી કે તેઓ ખુદને વ્યકત નથી કરી શકતા. પોતાની ક્ષમતાઓને જાણવા છતાં અને એના પર ભરોસો હોવા છતાં એને આકાર નહિ આપી શકવાની કશ્મકશ તેમના માટે તકલીફદેહ હતી. તેમને લાગતું હતું કે આ એમની માનસિક નિષ્ફળતા છે. આ નિષ્ફળતાનું એક કારણ પણ હતું. તેમની ત્રીજી અને છેલ્લી પ્રેમિકા મે જૈદા સમક્ષ તેમણે આ દર્દ વ્યક્ત કરતાં કહ્યું હતું, "હું એક એવો જ્વાળામુખી છું, જેનું મોઢું કાયમ બંધ રહે છે."

ધ મેડમેન, ધ ફોરરનર, ધ પ્રોફેટ અને સેન્ડ એન્ડ ફોર્મ જેવાં લોકપ્રિય પુસ્તકો આવ્યાં પછી પણ જિબ્રાનનું સૌથી મોટું સ્વપ્ન હતું ઇસુ ખ્રિસ્ત પર એક એવું પુસ્તક લખવાનું જે આજ સુધી કોઈએ લખ્યું ના હોય. આ સપનું પૂરું ના થયું.

દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે એવી એક જાણીતી કહેવત છે. જિબ્રાનના કિસ્સામાં ય આ વાત સાચી હતી, બલકે એમની પાછળ ઘણી સ્ત્રીઓ હતી. મા અને બહેનો ઉપરાંત મિત્ર અને પ્રેમિકાનાં રૂપમાં તેમની જિંદગીમાં અન્ય ત્રણ સ્ત્રીઓ આવી – કવયિત્રી જોસેફીન, શિક્ષિકા એલિઝાબેથ મેરી અને અરબી લેખિકા મે જૈદા. પ્રેમ પર સૌથી બહેતર લખવાવાળા જિબ્રાનની જિંદગીમાં એક પણ પ્રેમ સફળ ન રહ્યો. એ જિંદગીભર એની પાછળ ભાગતા રહ્યા, અને પ્રેમ ઝાંઝવાના જળ જેવો બની રહ્યો. તેમણે લખ્યું હતું, "એક-બીજાને પ્રેમ કરો, પણ પ્રેમને કયારે ય બંધન ના બનવા દો. સાથે ઝૂમો અને આનંદ માણો, પણ ધ્યાન રાખજો કે કોઈ એની એકલતા ના ગુમાવી દે."

જિબ્રાન એમના વિચારો અને સંવેદનાઓ કાગળોના ટુકડાઓ પર કે સિગારેટના પેકેટ પર લખતા હતા. વ્યકત થવા માગતી કોઈ વાતને જગ્યા ન મળે, તેનું આ પરફેક્ટ પ્રતીક હતું. તેમણે એક લઘુકથા લખી હતી, જે એમના બંધ જ્વાળામુખીને સરસ સમજાવતી હતી:

એકવાર એક છીપે એની પાડોશી છીપને કહ્યું, "મને અંદર બહુ પીડા થાય છે. પીડાએ મને અંદર ઘેરી રાખી છે."

બીજી છીપે ઘમંડથી કહ્યું, "ભગવાનનો અને આ સમુદ્રનો આભાર કે મારી અંદર કોઈ પીડા નથી. હું અંદરથી અને બહારથી સંપૂર્ણ અને સ્વસ્થ છું."

ત્યાંથી એક કરચલો પસાર થયો. તેણે બંનેની વાત સાંભળી, અને બીજી છીપને ઉદ્દેશીને એ બોલ્યો, "હા, તું સ્વસ્થ અને સંપૂર્ણ છે. પરંતુ તારી પાડોશણ જે કારણથી પીડામાં છે તે એક અણમોલ મોતી છે."

Loading

8 July 2019 admin
← ઝોલ
મારે સુંદર, સેક્સી નથી દેખાવું →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved