Opinion Magazine
Number of visits: 9636444
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હવે અખબારોને અખબાર ન માનો !

રમેશ સવાણી|Opinion - Opinion|17 December 2025

રમેશ સવાણી

ગુજરાતમાં મોંઘવારી બિલકુલ નથી, ઘી દૂધ બની નદીઓ વહે છે. બેરોજગારી નથી. શાળા કોલેજોની સમસ્યા નથી. સરકારી હોસ્પિટલોમાં સારવારની બધી સુવિધાઓ છે. દરેક નદી ખનિજ માફિયાઓથી અને પ્રદૂષણ માફિયાઓથી મુક્ત છે ! એટલે અખબારો ક્રિકેટની રમત અને ખેલાડીઓની હરરાજીના સમાચાર પ્રથમ પાને આઠ કોલમમાં છાપે છે ! 

ભલે ગુજરાતમાં ફૂટબોલની રમતનું ઠેકાણું ન હોય પરંતુ વૈશ્વિક ફૂટબોલ આઈકોનિક લિયોનેલ મેસી અનંત અંબાણીના વનતારાની મુલાકાત લે તેથી અખબારો આખું પાનું ભરી દે છે !

વિપક્ષો મતચોરી સામે દિલ્હીના રામલીલા મેદાનમાં લાખો લોકો સમક્ષ જે વાત કરે છે, તે ‘મેટર’ અખબારોને સમાચાર લાગતી નથી ! એટલું જ નહીં ખેડૂતોની સમસ્યા પણ અખબારોને દેખાતી નથી. 

અખબારો લોકોને ગેરમાર્ગે દોરે છે, વાસ્તવિક સમસ્યાઓને નકારે છે, કેમ કે એથી તંત્રને સરકાર દિગમ્બર થઈ જાય છે. 

હવે અખબારોને અખબાર ન માનો, તે સરકારના પાવરફૂલ હથિયાર છે. ધારે તે નેરેટિવ ઘડે છે અને લોકોને ભ્રમિત કરે છે. નોન-ઈશ્યુને ઈશ્યુ બનાવે છે. 

ગાંધીજીની દૃષ્ટિએ અખબારોનાં મુખ્ય કર્તવ્યો આ પ્રમાણે છે : 

[1] લોકોની લાગણીઓને સમજવી અને તેનો પડઘો પાડવો. અખબારે લોકોના વિચારો અને લાગણીઓને વ્યક્ત કરવી જોઈએ. 

[2] સારા વિચારો અને આદર્શોને જગાડવા. લોકોમાં ઇચ્છનીય ભાવનાઓ (જેમ કે સત્ય, અહિંસા, સ્વાવલંબન) પ્રગટાવવી અને તેને પ્રોત્સાહન આપવું. 

[3] લોકોની ખામીઓને નિર્ભયતાથી ઉજાગર કરવી. સમાજના દોષોને બિન્દાસ્ત વ્યક્ત કરીને સુધારાનો માર્ગ બતાવવો. અખબારો એ મહાન શક્તિ છે, પરંતુ જેમ વહેતા પાણીનો પ્રવાહ નિયંત્રણ વગરનો હોય તો ખેતરોને ડૂબાડી દે છે, તેમ નિયંત્રણ વગરની કલમ પણ વિનાશ કરે છે !

ડૉ. બાબાસાહેબ આંબેડકરની દૃષ્ટિએ અખબારોનું મુખ્ય કર્તવ્ય સમાજમાં ન્યાય, સમાનતા અને જાગૃતિ ફેલાવવાનું છે. તેઓ માનતા હતા કે દલિતોનું કોઈ અખબાર નથી અને મુખ્યધારાના અખબારો તેમના અત્યાચારોને આવરી લેતા નથી અથવા તો તેમને દબાવી દે છે. અખબારોએ તથ્યો આધારિત રિપોર્ટિંગ કરવું જોઈએ, સનસનાટીભર્યા સમાચારો કે વ્યક્તિપૂજા નહીં. અખબારોએ જાતિવાદ, સાંપ્રદાયિકતા અને અંધશ્રદ્ધાનો વિરોધ કરીને રાષ્ટ્રવાદ અને તર્કશક્તિને પ્રોત્સાહન આપવું જોઈએ. તેઓ માનતા કે અખબારોએ લોકોની લાગણીઓને ઉશ્કેરવાને બદલે તેમના વિવેકને જગાડવો જોઈએ. પત્રકારત્વ હવે વેપાર બની ગયું છે. તે જાહેર જનતાના જવાબદાર સલાહકાર તરીકે પોતાને માનતું નથી. 

હસમુખ ગાંધી ગુજરાતી પત્રકારત્વના પ્રખર અને નીડર તંત્રી હતા. તેઓ કહેતા કે અખબારોનું કર્તવ્ય મુખ્યત્વે સત્યની વાત કરવી, નીડરતાથી વિવેચન કરવું અને કોઈની પરવા કર્યા વિના સમાજના પ્રશ્નો ઉઠાવવાનું છે. 

અખબારોનું મુખ્ય કર્તવ્ય લોકોને સચોટ, નિષ્પક્ષ અને સમયસરની માહિતી પૂરી પાડવાનું છે. અખબારોને લોકશાહીનું ચોથો સ્તંભ કહેવામાં આવે છે, કારણ કે તે સરકાર અને સત્તાધીશોને જવાબદાર રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અખબારોએ ભ્રષ્ટાચાર, અન્યાય, સામાજિક સમસ્યાઓ વગેરેને બહાર લાવીને લોકોને જાગૃત કરવા જોઈએ. શું અખબારો આ ભૂમિકા ભજવે છે?

16 ડિસેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

17 December 2025 Vipool Kalyani
← RSS દ્વારા સરદાર પટેલ અને ભારત સાથે વચનભંગ
ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં … →

Search by

Opinion

  • બજેટ : પહેલાં અને પછી : આશા અને નિરાશા –
  • જમી લીધું?
  • મધર ઑફ ઓલ ડીલ્સ : ટ્રમ્પને હાથનાં કર્યાં હૈયે વાગ્યાં, ભારતે અમેરિકાની દાદાગીરી અવગણી યુરોપનો રસ્તો લીધો
  • ચલ મન મુંબઈ નગરી—326
  • શિક્ષણનું પરચુરણ …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved