Opinion Magazine
Number of visits: 9446713
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુલઝારની ‘કિતાબ’માં પેરેન્ટિંગનો પાઠ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|14 June 2023

રાજ ગોસ્વામી

1977માં આવેલી ‘કિતાબ’ ફિલ્મમાં એક દૃશ્ય છે. ફિલ્મનો ‘હીરો’ બાબલા (માસ્ટર રાજુ શ્રેષ્ઠ) બીમાર થઇ જાય છે. તેને જોવા આવેલા ડોકટર (નાસિર હુસેન) પિતા નિખિલ ગુપ્તા(ઉત્તમ કુમાર)ને કહે છે કે ટેન્શનના કારણે બીમાર થઇ ગયો છે. માતા કોમલ ગુપ્તા (વિદ્યા સિંહા) ડોકટરને પૂછે છે, “ઇતને સે બચ્ચે કો ક્યા ટેન્શન હો સકતી હૈ?” ડોકટર કહે છે, “બચ્ચો કે ટેન્શન બહોત સખ્ત હોતે હૈ. વેરી ઇન્ટેન્સિવ. ડોન્ટ ટેઈક ધેમ ફોર ગ્રાન્ટેડ.” કોમલ કહે છે, “અભી સે યે હાલ હૈ … બડા હોકર ભાર જોકેગા?”

ડોકટર કહે છે, “મિસિસ ગુપ્તા, હમ બચ્ચો કી તાલિમ મેં બહોત ભૂલ કરતે હૈ … ટીચર્સ ભી, માં-બાપ ભી … બચ્ચો કો જિંદગી સે ડરા કર રખતેં હૈ કિ પઢો, નહીં તો ઠેલા ખીંચોગે, ભાર જોકેગો, જૈસા કી આપને અભી કહા. જિંદગી ક્યા હૌવા હૈ યા રાક્ષસ હૈ, જિસે બડા હોકર મુકાબલા કરના હોગા? હમ યે કયું નહીં કહેતે કે જિંદગી જુલિયર કી તરહ ખૂબસૂરત હૈ, ઉસે પાને કે લિયે અપને આપ કો કાબિલ બનાઓ, જિંદગી એન્જોય કરને કે લિયે હૈ, પઢ-લિખકર તૈયાર હો જાઓ, બડા હોકર બડા મજા આયેગા. બડી નેગેટિવ એપ્રોચ હૈ હમારી.”

બાળકોની અને વયસ્કોની દુનિયા વચ્ચે કેટલું બધું અંતર હોય છે તે બતાવવા માટે ગુલઝારે ‘કિતાબ’ ફિલ્મ બનાવી હતી અને આ સંવાદમાં ફિલ્મની કહાનીનો મર્મ હતો. ગુલઝાર કેમ એક શાનદાર અને સંવેદનશીલ વાર્તાકાર છે તેની સાબિતી એક તરફ ‘મેરે અપને’ની આક્રમકતા કે ‘આંધી’ની ગંદી રાજનીતિમાંથી મળતી હોય તો બીજી તરફ તોફાની બાળકોની ‘પરિચય’ અને ‘કિતાબ’ હતી, જેમાં તેમણે વયસ્કોની જટિલ દુનિયાને બાળકોની આંખે જોવા પ્રયાસ કર્યો હતો.

‘કિતાબ’માં બાબલા ગામમાં માતા (દીના પાઠક) સાથે રહે છે. માતા તેને શહેરમાં તેની બહેન કોમલ પાસે ભણવા મોકલે છે. શહેરમાં તે પપ્પુ (માસ્ટર ટિટો) સાથે દોસ્તી કરે છે. બંને ભાઈબંધ ભણવાને બદલે શહેરમાં રખડે છે અને આનંદ કરે છે. બહેન અને તેનો પતિ બાબલાને ઠપકો આપ્યા કરે છે. બાબલાને લાગે છે કે મોટા લોકો તેને સમજતાં નથી. એટલે તે માતા પાસે જવા ટ્રેનમાં ભાગી જાય છે. તેની પાસે ટિકિટ નથી એટલે ટિકિટ ચેકર તેને રસ્તામાં ઉતારી મૂકે છે.

અજાણ્યા રેલવે સ્ટેશન પર શિયાળાની રાતે તે એક નિરાધાર સ્ત્રીની ગોદડીમાં ભરાઈને સૂઈ જાય છે. સવારે તે સ્ત્રીના વાસણમાંથી પૈસાનો સિક્કો સેરવી લે છે અને પાણી પીવા જતો રહે છે. એ પાછો આવે છે ત્યારે ખબર પડે છે કે સ્ત્રી તો મરી ગઈ છે. એ ગભરાઈ જાય છે અને પૈસો પાછો મૂકીને માતાના ઘરે દોડી જાય છે. ત્યાં માતા, બહેન અને જીજાજી બાબલાની ચિંતામાં તેની રાહ જોતાં હોય છે. બાબલા તેમને વચન આપે છે કે તે નિષ્ઠાથી ભણશે અને મસ્તી-મજાક નહીં કરે.

ગુલઝારનું નામ પડે અને તાબડતોબ જે ફિલ્મોનાં નામ હોઠે આવી જાય તેમાં ‘કિતાબ’નો નંબર કદાચ છેલ્લે પણ ન આવે, છતાં એ એક એવી ફિલ્મ છે, જે અંગત રીતે ગુલઝારના ફેવરિટ લિસ્ટમાં સૌથી મોખરે છે. એનું એક કારણ છે. ‘કિતાબ’ આમ તો વયસ્કોની કંઇક અંશે ક્રૂર દુનિયામાં અટવાઈ ગયેલા બબલુની વાર્તા હતી, પરંતુ એમાં એવા દરેક બાળકને (અને ઇવન મોટા થઇ ગયેલાઓને) પોતાની વાર્તા દેખાતી હતી જે મા-બાપથી દૂર રહીને શહેરના અનુભવ ચાખી ચુક્યા હતા.

એવો અનુભવ ગુલઝારને પણ હતો. સંપૂર્ણસિંહ કાલરા ઉર્ફે ગુલઝાર અવિભાજિત ભારતના ઝેલમ જિલ્લાના દિના ગામમાં જન્મ્યા હતા. તેમની માતાનું નાનપણમાં જ અવસાન થયું હતું. પિતાની એક દુકાન હતી. સાવકી માતાનો વ્યવહાર સારો નહોતો એટલે ગુલઝાર આખો દિવસ દુકાને પસાર કરતા. વિભાજનમાં પરિવાર ઉખડી ગયો. પહેલાં અમૃતસર અને પછી દિલ્હીના કેમ્પમાં આશરો લીધો. દિલ્હીમાં તે એક દુકાન પાસે પરિવાર રહેતો હતો અને સમય પસાર કરવા ગુલઝાર ઉછીનાં પુસ્તકો વાંચતા રહેતા હતા. કવિતાઓનો શોખ હતો એટલે એ મુંબઈ આવ્યા. અહીં તે શરૂમાં એક પેટ્રોલ પંપ પર અને પછી એક કાર ગેરેજમાં રંગ કામ કરતા હતા.

ઘણાં બાળકો નાનપણમાં જ મોટાં થઇ જાય છે. ‘કિતાબ’ ફિલ્મમાં ગુલઝારે એ ખોવાઈ જતાં બાળપણની વાર્તા કહી હતી. ફિલ્મની એક સરસ વાત એ છે કે તેની વાર્તાને 12 વર્ષના બાળકની દૃષ્ટિએ જોવામાં આવી છે. એ રીતે પેરેન્ટિંગના પાઠ ભણાવતી ‘કિતાબ’ હિન્દી સિનેમાના ઇતિહાસમાં એક અનોખી ફિલ્મ છે. ગુલઝાર એક બાળકની લાગણીઓ અને વિચારોને પકડવામાં એટલા સફળ રહ્યા છે કે આપણને એવું લાગે જાણે તે બાળ મનોવૈજ્ઞાનિક હશે.

જેમ કે, માતા બાબલાને બહેન પાસે શહેરમાં ભણીને મોટો માણસ થવાની સલાહ આપે છે ત્યારે બાબલા ‘જ્ઞાન’ આપતાં કહે છે, “પઢને-લિખને સે કભી આદમી બડા હોતા હૈ? તુમ્હારા ભી કોઈ ભરોસા નહીં માં…પહલે કહેતી થી કે બચ્ચે દૂધ પીને સે બડે હોતે હૈ, અબ કહેતી હો બચ્ચે પઢને-લિખને સે બડે હોતે હૈ. ફિર ઔર કહે દિયા તો?”

શહેરમાં આવીને બાબલાને પપ્પુ સાથે દોસ્તી થાય છે અને બંને જણા ભણવા-બણવાનું છોડીને શહેરમાં જાદુગરનો ખેલ જુવે છે અને મીઠાઈની દુકાને ચક્કર મારે છે. બંને જણા માટે કોઈની ઈજાજત વગર જાતે જ નિર્ણયો લેવાની આઝાદીનો એટલો આનંદ હોય છે કે બાબલા પૂછે પણ છે, “પતા નહીં કબ બડે હોંગે. બડોં કી સબકો જરૂર હોતી હૈ ઔર બડોં કો કિસી કી ભી નહીં.”

એક બાજુ સ્કૂલનું ખોફનાક વાતાવરણ અને બીજી બાજુ બહેન-જીજાજીની આંતરિક મગજમારી, એમ બે ય બાજુ ભીંસાયેલા બાબલાને લાગે છે કે આ શહેર તેને આવકારતું નથી. તે પપ્પુ પાસે વ્યથા વ્યક્ત કરતાં કહે છે, “યે દુનિયા હમારી મુશ્કિલ નહીં સમજતી. કભી કભી જી ચાહતા હૈ કી ભાગ જાઉં.” અને એક દિવસ તે સાચે જ ભાગી જાય છે.

ટિકિટ વગરની એ યાત્રામાં બાબલા અલગ-અલગ પ્રકારના અનુભવોમાંથી પસાર થાય છે, અવનવા અનુભવોમાંથી પસાર થાય છે અને એ તેના માટે પરિવર્તનકારી સાબિત થાય છે. બાબલાની ભૂમિકામાં માસ્ટર રાજૂએ બહુ સરસ કામ કર્યું હતું. ‘કિતાબ’માં બે પેઢી વચ્ચેના અંતરને માર્મિક રીતે રજૂ કરવામાં આવ્યું હતું અને માસ્ટર રાજૂએ વયસ્ક લોકોની દુનિયામાં તેને થતી મૂંઝવણને ખૂબસૂરત રીતે વ્યક્ત કરી હતી.

ફિલ્મનો એ ધબકાર છે. 70ના દાયકામાં એ દર્શકોનો બહુ વહાલો બાળ કલાકાર હતો. તેણે ગુલઝારની ‘પરિચય,’ ઋષિકેશ મુખરજીની ‘બાવર્ચી,’ યશ ચોપરાની ‘દાગ’ અને બાસુ ચેટરજીની ‘ચિતચોર’માં યાદગાર કામ કર્યું હતું. ‘ચિતચોર’ માટે તેને શ્રેષ્ઠ બાળ કલાકારનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.

ફિલ્મનું બીજું સરસ પાસું તેનાં ગીતો છે. આર.ડી. બર્મનનાં સંગીતમાં ગુલઝાર રચિત ચાર ગીતો હતાં : હરિ દિન તો બીતા, હુઈ રાત પાર કરા દે, માસ્ટરજી કી આ ગઈ ચિઠ્ઠી, મારે સાથ ચાલે ના સાયા અને આર.ડી.ના અવાજમાં સદાબહાર ‘ધન્નો કી આંખો મેં હૈ રાત કા સુરમા.” આ એક રેલ ગીત હતું અને એમાં એન્જીન ડ્રાઈવર તેની પ્રેમિકા ધન્નોનું ગામ આવે ત્યારે એ ગાય છે. ગુલઝાર અને આર.ડી.ની જુગલબંધીએ એક એકથી ચઢિયાતાં ગીતો આપ્યાં છે, પણ અહીં તો આર.ડી.એ પોતે જ એ ગીત ગાયું હતું એટલે એ સવિશેષ યાદગાર છે. આર.ડી.એ તેમાં ફ્લેંગર નામના એક વિદેશી સાધનનો ઉપયોગ કર્યો હતો. એ અજીબ અવાજને એ પહેલાં કોઈએ સાંભળ્યો પણ નહોતો.

(પ્રગટ : ‘સુપર હિટ’, નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 14 જૂન 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

14 June 2023 Vipool Kalyani
← તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતા ભરી
મોદીની આબરૂ બચાવવાની જવાબદારી રાહુલ ગાંધીની નથી →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved