Opinion Magazine
Number of visits: 9747818
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગઝલ વિશે થોડું વધારે-

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|21 May 2020

કવિતાને કોઈ શબ્દની છોછ નથી, પણ જે તે કાવ્યપ્રકારની સ્વરૂપ લેખે વિશેષતા છે તેમ જ મર્યાદાઓ પણ છે. જેમ કે હાઈકુ એ 17 અક્ષરની મર્યાદા સ્વીકારી છે. કોઈ 18 કે 16 અક્ષરનું હાઈકુ લખે તો તે બીજું કૈં પણ હોય, હાઈકુ નથી! એવું જ સોનેટનું. કોઈ 15 કે 13 પંક્તિનું સોનેટ ન લખી શકે.

એ જ પ્રમાણે ગઝલમાં વાતચીતના શબ્દોનું મહત્ત્વ સ્વીકારાયું છે. વારિ, ઉદધિ, સ્પંદન જેવા શબ્દો વાતચીતમાં ચલણી બને, એનો વપરાશ સહજ બને તો ગઝલમાં આવી જ શકે, પણ એનો સમય લાગે. એ એક જણનું કામ નથી. એ સ્કૂલોમાં ખપમાં લેવાય તો પ્રચાર વધારે સરળ બને. આ બધા શબ્દો કવિતાના અન્ય પ્રકારો-સોનેટ કે અછાંદસ કે ખંડકાવ્ય જેવામાં વપરાય જ છે. વાત ગઝલની હોય તો એ એક જ પ્રકાર એવો છે જેની વ્યાખ્યામાં જ વાતચીતનું મહત્ત્વ સ્વીકારાયેલું છે. એટલે એમાં સરળ, સહજ શબ્દો વધુ આવકાર્ય બને. આમ થવાનું કારણ પણ છે. મોટે ભાગના શાયરો સંસ્કૃત ને અન્ય ભાષાના અભ્યાસીઓ ન હતા. ઉર્દૂમાં લખતા હતા, પણ ઉર્દૂના બહુ મોટા અભ્યાસી ન હોય એવા પણ ઘણા શાયરો હતા. એ પછી ગુજરાતીમાં ગઝલ લખતા થયા. એમાં પણ ઘણા ગુજરાતી શાયરો બહુ ભણેલા ન હતા. એટલે જેની સહજ જાણકારી હતી એવા શબ્દોનો ઉપયોગ એમણે ગઝલમાં કર્યો, પણ એમાં જે ઉત્તમ લખનાર હતા તેઓએ ગઝલની મૂળભૂત વ્યાખ્યાને વફાદાર રહેવાનું સ્વીકાર્યું. એ વ્યાખ્યા હતી – ગઝલ એટલે પ્રિયતમા સાથે એકાંતે વાતચીત. અહીં પ્રિયતમાનો અર્થ પ્રિયતમા જ નથી.

ગુજરાતી કવિતામાં ઈશ્વરની પ્રેમિકા બનીને ઈશ્વર ભક્તિ નરસિંહ, મીરાં વગેરેએ કરી. ગઝલમાં વાત એવી નથી. એમાં ઈશ્વરને માશૂકા તરીકે, પ્રેમિકા તરીકે જોવાય છે એટલે એમાં ભક્તિનો નહીં, પણ પ્રેમનો મહિમા છે. આપણી પ્રેમલક્ષણા ભક્તિથી ગઝલ એ રીતે જુદી પડે છે. ગઝલ કૈં ભજન, પદ કે ગીત નથી. એટલે કોઈ ગીતગઝલ કે ગઝલગીત જેવા પ્રયોગો કરે છે તે બાવાના બે ય બગાડે છે. નથી એમાં ગીત રહેતું કે નથી એમાં ગઝલ રહેતી. વારુ, પ્રેમિકા સામે પંડિતની ભાષા નહીં, પ્રેમની જ વાત પ્રભાવક નીવડે. એ જ કારણ છે કે ગઝલમાં વાતચીતની ભાષા અપેક્ષિત છે. જેમને એવું છે કે તત્સમ, તદ્ભવ શબ્દોનો ગઝલમાં ઉપયોગ થવો જોઈએ તે સોનેટ, ખંડકાવ્ય કે એવા અન્ય પ્રકારોમાં એનો ઉપયોગ ભલે કરે, પણ ગઝલને ન બગાડે. લીંબુનું બહુ બહુ તો સંતરું ઠીક લાગે, તેનું તડબૂચ કરવામાં તો તેના આત્માને હણવા જેવું થશે.

ગઝલની બીજી વિશેષતા એ છે કે તે તરત જ કોમ્યુનિકેટ થાય છે. સોનેટમાં ચમત્કૃતિ 14મી પંક્તિએ આવે છે જ્યારે ગઝલના શે'રમાં એ બીજી જ પંક્તિએ આવે છે એટલે એ બીજા કોઈ પણ કાવ્ય પ્રકાર કરતાં ભાવકને વહેલી સમજાય છે. એનો આનંદ તરત જ થાય છે. એટલે જ એ સૌથી વધુ લોકપ્રિય પણ છે. આ લોકપ્રિયતાને કારણે જ જે આવે તે ગઝલ લખવા મંડી પડે છે. વધારે કૈં જાણ્યા વગર લોકપ્રિય થવા ઘણા કહેવાતા ગઝલકારો ગઝલ જેવું લખી મારે છે ને એને વખાણનારાઓ તો બિચારા ગઝલ કેમ લખાય તે તો જાણતા જ નથી એટલે એમ જ ‘વાહ,વાહ!' કરીને બિરદાવે છે ને ગઝલકાર રાજીનો રેડ થઈને વળી થોડી ગઝલ ઘસડી મારે છે. એ જ કારણ છે કે ગઝલ વધુ લખાઈ ને વગોવાઈ પણ ખૂબ છે. એમાં વાંક ગઝલનો નથી, ગઝલકારોનો છે. ગઝલને તેના ટીકાકારો નહીં મારે, ગઝલકારો જ મારશે.

બીજી એક વાત પણ મહત્ત્વની છે. સરળ શબ્દે પણ કવિતા તો સિદ્ધ થવાનું જ છે. જે શબ્દ કવિતામાં નવું રૂપ પ્રગટ ન કરે કે નવો અર્થ પ્રગટ ન કરે કે હૃદયને સ્પર્શે નહીં કે રક્તમાં આંદોલન ન જગવે તે શબ્દ સરળ હોય કે અઘરો, કવિતાને ખપનો નથી .ફાફડા, જલેબી, ઘારી, દૂધપાક જેવા શબ્દો સરળ છે, પણ એ ગઝલમાં કે કવિતા માત્રમાં કશું વિશેષ સિદ્ધ ન કરે તો એનાથી કદાચ પેટ ભરાય, મન નહીં, તે કહેવાની જરૂર ખરી?

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

21 May 2020 admin
← બીજી પારીનું પહેલું વરસ : પરિસ્થિતિ પાંચમે પાતાળ, બંદા આઠમે આસમાન
મળતર →

Search by

Opinion

  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved