Opinion Magazine
Number of visits: 9449122
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધી-સરદારે મળીને જ્યારે મહામારીને જાનના જોખમે દૂર કરી હતી …

કિરણ કાપૂરે|Opinion - Opinion|27 March 2020

આઝાદી કાળમાં આપણા આગેવાનો કુદરતી આફત કે રોગચાળો ફાટી નીકળે ત્યારે ખડેપગે રહીને કેવી રીતે કાર્ય કરતા તેના દાખલા અનેક છે. સરદાર પટેલે 1927માં ગુજરાતમાં આવેલા રેલસંકટ વખતે ખડેપગે રહીને સેવા બજાવી હતી, અને એક અઠવાડિયામાં ગુજરાતને બેઠું કરી દીધું હતું. ગાંધીજી પણ દક્ષિણ આફ્રિકામાં પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે દરદીઓની સેવા કરવામાં જાતે જ રોકાયા હતા. કહેવાય છે આ પ્લેગ વખતે માણસો ટપોટપ મરી રહ્યા હતા; પણ ગાંધીજી ઉપાડેલી જવાબદારીમાંથી જરા ય ખસ્યા નહોતા.

આ બંનેના જાહેરસેવાના અનેક આવા પ્રસંગો છે, જેમાં તેઓ સ્વયંસેવકોની ટુકડી સાથે જાનની પરવા કર્યા વિના મોરચે રહેતા. ગાંધી-સરદારે આવું એક ઉમદા કાર્ય બોરસદમાં ફેલાયેલા પ્લેગની મહામારીની નાબૂદીનું કર્યું હતું. આ મહામારીનું કદ કોરોના જેટલું નહોતું, પરંતુ તેમાં 1932થી ’35 સુધી મૃત્યુ પામનારની સંખ્યા 1,286 સુધી પહોંચી હતી. પ્લેગની બીમારી કોઈ રીતે કાબૂમાં આવતી નહોતી. 1935માં બોરસદના જ 27 ગામડાંઓનો મૃત્યુઆંક 949 થઈ ચૂક્યો હતો.

મહામારીનું વધતું કદ સરદાર પટેલના ધ્યાનમાં આવતા તેમણે તરત ડો. ભાસ્કર પટેલને રોક્યા હતા. બંનેએ મળીને પ્લેગને નાબૂદ કરવાની બ્લ્યૂ-પ્રિન્ટ ઘડી કાઢી. બસ, ત્યાર બાદ બોરસદમાં ગામે-ગામ કામ કરી શકે તેવી ટુકડીઓ તૈયાર કરવામાં આવી. આ ટુકડીઓના માથે પણ પ્લેગનું જોખમ હતું, પણ થોડી કાળજી સાથે આ જોખમ ઉપાડ્યું. તે વખતે સંસાધનોની મર્યાદા હતી છતાં થોડાં મહિનાઓમાં જ આ પ્લેગ પર કાબૂ મેળવી શકાયો હતો. સરદાર પટેલ બોરસદ પ્લેગના મોરચે જ હતા, ત્યાર બાદ ગાંધીજીએ પણ બે અઠવાડિયા અહીંયા મુકામ કરીને પ્લેગગ્રસ્ત ગામોની જાતે મુલાકાત લીધી હતી. જ્યાં પ્લેગનું જોર હતું ત્યાં બંને આગેવાનોની ખાસ મુલાકાત ગોઠવવામાં આવી. પ્લેગનિવારણ ટુકડીમાં દિવસરાત કાર્ય કરનાર રાવજીભાઈ પટેલ તેમની આત્મકથામાં લખે છે કે, આવે વખતે આગેવાન ફક્ત દૂર બેઠા બેઠા પત્રિકાઓ લખે અને સૂચના જ આપે; પણ જોખમથી ડરે તો ન જ ચાલે. તેમણે સૌ પ્રથમ જોખમમાં પડવું જોઈએ. તો જ બીજા સ્વયંસેવકો હિંમતથી કામ કરી શકે.

પ્લેગ સામેના આ યુદ્ધમાં સરદાર પટેલ અને દરબારસાહેબ ખડેપગે રહ્યા હતા. ગાંધીજી પણ જીવના જોખમે આ પ્લેગના યુદ્ધમાં ગામેગામ જાતતપાસ કરીને જોડાયા હતા. 

Loading

27 March 2020 admin
← કમળાબહેન પટેલે જ્યારે ભારત-પાકના ભાગલા વચ્ચે હજારો સ્ત્રીઓને બચાવી
Does Religion Matter? Communal Violence in India →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved