Opinion Magazine
Number of visits: 9448741
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક મુલાકાત

મ્યૂરિયેલ લેસ્ટર / મહાદેવ દેસાઈ|Gandhiana|29 December 2024

એક દેખાવ મારા સ્મરણમાં આબેહૂબ રહી ગયો છે. ગાંધીજી હાથમાં એક તાર લઈને બેઠા છે. મૂંઝાયેલા હોય એમ સ્પષ્ટ દેખાય છે, ને પોતાની મૂંઝવણથી એમને જરા રમૂજ પણ પડે છે. એમની આસપાસ એમના જવાબની રાહ જોતું મંત્રીમંડળ બેઠું છે. હું ઓરડામા પેસું છું ત્યાં મૌન તૂટે છે, ને શબ્દો મારે કાને પડે છે : “પણ એ તો માત્ર વિદૂષક છે. એને મળવામાં કશો અર્થ નથી.” એને ના લખી દેવા માટે ગાંધીજી એક મન્ત્રીના હાથમાં તાર આપતા હતા, ત્યાં મેં તાર મોકલનારનું નામ જોયું.

“પણ તમે આમને નથી ઓળખતા, બાપુ?” મેં પૂછ્યું. મને બહુ જ અચંબો થયો હતો.

“ના,” કહી ગાંધીજીએ તારનો ચોળાઈ ગયેલો કાગળ પાછો લીધો, ને જે જ્ઞાન મન્ત્રીઓ નહોતા આપી શક્યા તે મેળવવા મારી સામે નજર નાખી.

“ચાર્લી ચેપ્લીન! એના પર તો આખી દુનિયા વારી જાય છે. એને તો આપે મળવું જ જોઈએ. એની કળાનું મૂળ મજૂરવર્ગના જીવનમાં છે. ગરીબોને જેમ આપ સમજો છો તેમ એ પણ સમજે છે. એમના ચિત્રોમાં એ હંમેશાં ગરીબોને માન આપે છે.”

એટલે બીજે અઠવાડિયે, ‘બો’થી પણ પૂર્વ દિશામાં, કેનિંગ ટાઉનની એક પાછલી શેરીમાં આવેલા ડો. કતિયાલના ઘરમાં આ મુલાકાત ગોઠવાઈ, ને એ ભાગના લોકોને આ બંને પુરુષોને આવકાર આપવાનો બેવડો લહાવો મળ્યો. અમે સહુએ એ આગામી મુલાકાત વિષે મોઢું બીડેલું રાખવાની પ્રતિજ્ઞા લીધેલી. છતાં એ ભેદ ક્યાંકથી ફૂટી ગયો; ને મુલાકાત વખતે રસ્તા પર લોકોની મોટી ઠઠ જામી. લોકો એકબીજા સાથે તેમ જ પોલીસની સાથે હસાહસ કરતા હતા. મિ. ચેપ્લીન મોટરમાંથી કૂદકો મારીને ઊતર્યા, લોકોને નમન કરવા હૅટ ઊંચી કરી, ને પોતાના બે હાથ મિલાવીને હસ્તધૂનન કર્યું, એટલે લોકો હસી પડ્યા. છેવટે ગાંધીજી આવ્યા એટલે એમને જોઈને પણ લોકોએ હસાહસ કરી મૂકી. ગાંધીજીને જોઈ એમના આનંદની અવધિ આવી દેખાતી હતી.

ઘરમાં આ બે નાનકડા પુરુષો, અમે બાકીનાં જે માણસો હતાં. તેમનાથી સહેજ અળગા, એક કૉચ પર બેઠા; ને તેમણે લોકો, શ્રમજીવીઓ, પૂરું પોષણ ન મેળવી શકનારાંઓ, યંત્રના ગુલામ બનેલા મજૂરો, ને કેદખાનાના કેદીઓ એ બધાંને વિષે વાતો કરી. વાતમાં એક વખતે મિ. ચેપ્લીને કહ્યું: “સિંગસિંગ જેલના કેદીઓ સાથે મેં એક કલાક વાત કરેલી એ મારે સૌથી અઘરું, ખરાબમાં ખરાબ કામ કરવું પડેલું એમ માનું છું. એવી વાત હું બીજી વાર ન કરી શક્યો. વાત કરતી વખતે મારા મનમાં એક જ વિચાર રમી રહ્યો હતો : ઈશ્વરની કૃપા ન હોત તો તું પણ એમની જોડે જ હોત.”

પછી સાવ અણધાર્યો એક અશિષ્ટ ને અણછાજતો ધસારો થયો. ઘરની ટચુકડી આગલી પરસાળમાં, બધી સૂચનાઓનું ઉલ્લંઘન કરીને, છાપાંવાળા ફોટોગ્રાફરોનું એક સાવ નિરંકુશ ટોળું ધસી આવ્યું. એમણે પાછલી દીવાલ તોડી પાડી હતી, ને ગમે તેમ કરીને ઘરમાં ઘૂસ્યા હતા. ઘરધણીએ ગમે તેટલું કહ્યું તોયે જરા પણ ચસ્યા નહીં; અને ગાંધીજીની સામે, તેમની મરજી વિરુદ્ધ, કેમેરાની હાર મંડાઈ એ એમને સાંખી લેવું પડ્યું. આ સૂગ ઉપજાવે એવું તોફાન શમ્યું, ને ઓરડો પાછો ખાનગી બની ગયો, ત્યાં સાત વાગવા આવ્યા હતા. એટલે અમે સહુએ સાથે બેસીને પ્રાર્થના કરી.

[‘ગાંધીજીની યુરોપયાત્રા’]

•

ચાર્લી ચેપ્લીન મળવા માગે છે એમ ગાંધીજીને કહેવામાં આવ્યું ત્યારે એમણે નિર્દોષભાવે પૂછ્યું કે એ પ્રસિદ્ધ પુરુષ કોણ છે ? આ વાત ભાગ્યે જ કોઈ સાચી માનશે. અનેક વર્ષોથી ગાંધીજીનું જીવન એવું થઈ ગયું છે કે એમણે પોતાને માટે જે કામ નક્કી કરી રાખ્યું છે તે કરતાં કરતાં આવી પડે તે ઉપરાંત બીજું કશું જોવાનો કે સાંભળવાનો એમને વખત જ રહેતો નથી પણ મિ. ચૅપ્લીન તો ઈસ્ટ ઍન્ડમાં જ રહેતા હતા, એ આમ લોકોમાંના જ એક છે, આમ લોકો માટે જ જીવે છે. એમણે લાખો લોકોને હસાવ્યા છે. એ દબાયેલા કચડાયેલા માણસોનો પક્ષ લે છે એમ જાણ્યું ત્યારે ગાંધીજીએ ડૉ. કતિયાલને ઘેર મિ. ચૅપ્લીનને મળવાનું કબૂલ કર્યું. (તા. ૨૨- ૯-૧૯૩૧)

ગાંધીજીએ એમને વિશે સાંભળ્યું નહોતું, પણ એમણે તો ગાંધીજીના રેંટિયા વિશે સાંભળ્યું હશે એમ લાગ્યું. એમણે પહેલો જ સવાલ એ કર્યો કે ગાંધીજી યંત્રનો વિરોધ શા માટે કરે છે ? ગાંધીજી એ પ્રશ્નથી રાજી થયા અને વિગતોમાં ઊતરીને સમજાવ્યું કે હિંદના તમામ ખેડૂતોની છ મહિનાની બેકારીને લીધે તેમનો પહેલાંનો આડધંધો ફરી સજીવન કર્યા વિના ચાલે એમ નથી. અન્નવસ્ત્ર તો દરેક પ્રજાએ પોતપોતાનાં પેદાં કરી લેવાં જોઈએ. અમે એ પેદા કરી લેતા, અને ફરી કરી લેવા માગીએ છીએ. ઇંગ્લેન્ડ મોટા પ્રમાણમાં માલ પેદા કરે છે એટલે તેને બહારનાં બજાર શોધવાં પડે છે. એને અમે લૂંટ કહીએ છીએ. અને લૂંટારુ ઇંગ્લેન્ડ દુનિયાને જોખમરૂપ છે.

[મહાદેવભાઈની ડાયરી, ભાગ – ૧૫]
29 ડિસેમ્બર 2024
સૌજન્ય : “નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક-195

Loading

29 December 2024 Vipool Kalyani
← પોપ ફ્રાન્સીસ કઈ રીતે નોખા પડે છે ?
સરકારને આની ખબર ખરી કે …  →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved