Opinion Magazine
Number of visits: 9446981
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક કાર્યકર્તાની ડાયરી : રામાયણ રાશનની

પંક્તિ જોગ|Opinion - Opinion|14 April 2020

તા. ૨૯-૦૩-૨૦

"હમ ભૂખે મર રહેં હૈં" ઐસા મેસેજ કરું? તો આપ કિસીકો ભેજોગે? આ સાંભળીને એકદમ હચમચી જવાયું … આ ફોન કરનાર સુધી મદદ પહોંચે તે માટે સગવડ કરવામાં મોડું થયું. પણ છેવટે થઈ ગયું. સવારથી સાંજ સુધી ફોન અને વોટ્સએપ ચાલુ જ રહ્યાં. હવે લોકો વિનંતી નહીં, પણ ગુસ્સો કરી રહ્યાં છે અને મદદ પહોંચાડનાર મંડળ, જૂથો, ગ્રુપોનો અવાજ પણ ક્યાંક થાકેલો લાગી રહ્યો છે.

રાજ્યભરમાં લાખો સ્થળાંતરિત લોકો સુધી ખાવાનું પહોંચાડવાનું અઘરું છે જ, પણ હવે અન્ન તેમ જ અનેક પ્રકારની અસલામતી ઊભી થઈ છે, એટલે લોકો રાહતસામગ્રી ઝુંટવી રહ્યા છે. ખાવાનું લઈ જનાર લોકો ગભરાઈ જાય તેવી સ્થિતિ સુરત જેવા શહેરમાં થઈ રહી છે. એક જગ્યાએ ભીડ કરી દે છે. સોશિયલ ડીસ્ટન્સિંગ નહીં, આ તો સોશિયલ ગેધરિંગ થવા જઈ રહ્યું છે. આજે કચ્છમાંથી મજૂર સમુદાયમાં બીમારી શરૂ થયાનો ફોન આવ્યો. પરિસ્થિતિ વણસે નહીં તેવી અપેક્ષા.

તા. ૦૧-૦૪-૨૦

સરકારના જી.આર. મુજબ અન્ન સુરક્ષા કાયદા (નેશનલ ફુડ સિક્યોરિટી એક્ટ- N.F.S.A.) હેઠળ અગ્રતાક્રમ હેઠળ નોંધાયેલ કાર્ડધારકોને ઘઉં-ચોખા મળશે. બાકી જેમનાં કાર્ડ પર અન્ન સુરક્ષા અધિનિયમ ૨૦૧૩ અથવા અન્નપૂર્ણાં યોજના — એવો સિક્કો ન હોય તેમને નહીં મળે. આ કાયદો ૨૦૧૬માં અમલમાં આવ્યો ત્યારે જે યાદી બની, તેમાં ઘણા બી.પી.એલ. યાદીના ક્રમાંક ૦ થી ૧૬માં આવતા હોય, બી.પી.એલ. રાશનકાર્ડ ધરાવતાં હોય, તે ગરીબ હોય તો પણ અગ્રતાક્રમની યાદીમાં તેમનો સમાવેશ થયો નથી. આવાં હજારો લોકોએ પોતાને સામેલ કરવા રજૂઆતો-અરજીઓ કરી હતી, જેનો  કાયદા મુજબ ૩૦ દિવસમાં નિકાલ કરવાનો હતો. પણ સરકારે તેમ કર્યું નથી. આજે હવે સરકાર અગ્રતાક્રમવાળાને અનાજ મળશે તેમ જણાવે છે ત્યારે ઘણા જરૂરિયાતમંદ પરિવારોને અન્યાય થશે

***

અનેક જિલ્લાઓમાંથી ફરિયાદો આવી રહી છે કે અનાજ ઓછું અપાઈ રહ્યું છે. આ મુશ્કેલીની વેળાએ પણ સસ્તા અનાજના દુકાનદારો કેમ આવું કરતા હશે? રાશનદુકાન દીઠ ત્રણ-ચાર લોકોને મોનિટરીંગની જવાબદારી આપી હતી. તે દુકાન પર નહોતા. લોકોએ જ્યારે ઓછા અનાજ અંગે ફરિયાદો કરી, ત્યારે દુકાનવાળા દુકાન બંધ કરીને જતા રહ્યા. એક બાજુ ભૂખ્યાને ભોજન આપવા માટે કેટલા ય દોડી રહ્યા છે, ત્યારે બીજી બાજુ દુકાનવાળા ભૂખ્યા લોકોનાં મોઢાંમાંથી તેમના હકનું અનાજ છીનવી રહ્યા છે. 

તા. ૦૩-૦૪-૨૦

બનાસકાંઠા જિલાના દાંતા તાલુકાનાં ઘણાં ગામમાં રાશનદુકાન પર રૂબરૂ ગયાં. રાશન લઈને બહાર નીકળતાં લોકોના કાર્ડ અને મળતું અનાજ જોઈને ફરી તોલાવ્યું. દરેક દુકાન પર પચીસ ટકા ઓછું આપતા હતા. પકડાયા એટલે "ગણતરીમાં ભૂલ થઈ હતી" એમ માફી માગી ને પૂરું અનાજ આપ્યું.

અમે બહાર ઊભેલાં લોકોને ગણતરી સમજાવી અને પૂરું અનાજ લેવા લોકોએ જાતે મક્કમ થવું પડશે તે સમજાવ્યું. લોકોએ પણ ત્યાર બાદ ચોક્કસ ગણતરી કરી, જરૂર પડ્યે ઝઘડા કરીને રાશન લીધું. ઓછું આપ્યું હતું તેના ફોટા, વીડિયો મામલતદારને મોકલીને વાત કરી. તેમણે પણ અલગ અલગ દુકાને સરપ્રાઇઝ વિઝીટ કરી. સસ્તા અનાજની દુકાનના સંચાલક, દુકાન પર વજન કરનાર વ્યક્તિ અને ગામના સરપંચ સાથે વાત કરી. એમને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો કે કમાવાની લાલચ એમને ક્યા માર્ગે લઈ જઈ રહી છે. જરૂરિયાતવાળાનાં મોઢાંમાંથી, એમના હકનું છીનવીને પોતાની લાલચ પૂરી કરવી એ કેટલું હીન કૃત્ય છે વગેરે … અમારા આ લેકચરની કેટલી અસર થશે તેનો ખ્યાલ નથી, પણ કાયદો બતાવવાની સાથે સાથે તેમના અંદરના માણસને અને માણસાઈને જગાડવાની કોશિશ કરી.

તા. ૦૫-૦૪-૨૦

હાઈકોર્ટમાં સરકારે A.P.L.-1, A.P.L.-2ને પણ મફત રાશન આપવાની વાત કરી છે ને પરિપત્ર માત્ર B.P.L. નોન-N.F.S.A.નો કર્યો! ફરી એક વાર A.P.L.વાળા દુકાનોએ જઈ જઈને પાછા ફરશે. શું સરકાર A.P.L. માટે ત્રીજો પરિપત્ર કરશે? આનાથી લોકો એકથી વધુ વાર દુકાને જશે તેથી  કોરોનાનો ખતરો વધશે. અધિકારીઓ આવું કેમ કરતા હશે? ખર્ચ તો થવાનો જ છે. તો એક સાથે પહેલાં જ કર્યું હોત તો?

તા. ૦૬-૦૪-૨૦

અન્ન બ્રહ્મ યોજના(રાશનકાર્ડ ન ધરાવતા તમામ ગરીબો અને સ્થળાંતરિતોને એક માસ મફત અનાજ આપવાની યોજના)નો  ઠરાવ પહેલી એપ્રિલનો અને નોન-N.F.S.A. B.P.L.નો ચોથી એપ્રિલનો છે. આ બંને ઠરાવ મુજબ સિક્કો ન હોય અને B.P.L. હોય, અને રાશનકાર્ડ ન હોય તેવા લોકોને વ્યક્તિદીઠ ૫ કિલો રાશન આપવાનું હવે સરકારે નક્કી કર્યું છે. તે મુજબ રાશન મળવાનું શરૂ થઈ ગયું? તે હવે જોવાનું છે.

સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 13 ઍપ્રિલ 2020

Loading

14 April 2020 admin
← કોરોનાસંકટમાં વિકેન્દ્રિત વ્યવસ્થાનું દર્શન
ધાડ ફિલ્મ ખરેખરા કચ્છનું છેલ્લું દસ્તાવેજીકરણ છે →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved