Opinion Magazine
Number of visits: 9613359
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દુનિયા બનાનેવાલે, ક્યા તેરે મન મેં સમાઈ

સોનલ પરીખ|Opinion - Opinion|4 January 2026

દુનિયા બનાનેવાલે ક્યા તેરે મન મેં સમાઈ,
કાહે કો દુનિયા બનાઈ …

કાહે બનાયે તૂને માટી કે પૂતલે
ધરતી યે પ્યારી પ્યારી મુખડે યે ઉજલે
કાહે બનાયા તૂને દુનિયા કા ખેલા
જિસમેં લગાયા જવાની કા મેલા
ગુપચૂપ તમાશા દેખે વાહ રે તેરી ખુદાઈ
કાહે કો દુનિયા બનાઈ …

તૂ ભી તો તડપા હોગા મન કો બનાકર
તૂફાં યે પ્યાર કા મન મેં છુપાકર
કોઈ છબિ તો હોગી આંખો મેં તેરી
આંસુ તો છલકે હોંગે પલકોં સે તેરી
બોલ ક્યા સૂઝી તુઝકો કાહેકો પ્રીત જગાઈ
કાહે કો દુનિયા બનાઈ …

પ્રીત બનાકે તૂને જીના સીખાયા
હંસના સીખાયા રોના સીખાયા
જીવન કે પથ પર મીત મિલાયે
મીત મિલાકે તૂને સપને જગાયે
સપને જગાકે તૂને કાહેકો દે દી જુદાઈ
કાહે કો દુનિયા બનાઈ …

હસરત જયપુરી

ફિલ્મી ગીતોમાં એક અજબ આકર્ષણ છે. પણ આપણને ગીત, કલાકારો, ગાયકો, ફિલ્મ ને સંગીતકાર પણ  યાદ રહે છે, પણ ગીતનું ખરું આકર્ષણ જેમાં છે તે શબ્દોના રચનારનું નામ બહુ ઓછાને યાદ આવે છે. ઘણીવાર તો પરવા પણ નથી હોતી. એને તો નામ ને દામ બન્ને ઓછા જ મળે છે. ગ્લેમર વિશ્વના મોટા ભાગના શાયરો આવું જ નસીબ લઈને આવ્યા હોય છે. 15 એપ્રિલે હસરત જયપુરીનો જન્મદિન હતો. 1966ની ફિલ્મ ‘તીસરી કસમના ગીત ‘દુનિયા બનાનેવાલે, ક્યા તેરે મન મેં સમાઈ, કાહે કો દુનિયા બનાઈ’ નિમિત્તે હસરતે લખેલા અદ્દભુત શબ્દો સાથે એ અદ્દભુત ફિલ્મને પણ યાદ કરીએ. 

પહેલું ગીત જીયા બેકરાર હૈ 

‘તીસરી કસમ’ માટે એક વિવેચકે લખ્યું છે, ‘ઈટ ઈઝ લાઈક અ પોએમ ઓન સેલ્યુલોઈડ વિથ અ થ્રેડ ઑફ પેઇન રનીંગ થ્રુ ઈટ.’ ‘તીસરી કસમ’ના સીધાસદા, ગીત ગાતા રહેતા ગાડાવાળા હીરામન (રાજ કપૂર) અને તેની ‘સવારી’ હીરાબાઈ (વહીદા રહેમાન) વચ્ચે લાંબી મુસાફરી દરમ્યાન એક કોમળ સંબંધ ગૂંથાતો હતો, બંને એકબીજાને અને પોતાને પણ ઓળખતા જતાં હતાં ત્યારે પણ આ જ થતું હતું. બાજુમાંથી ગાડું પસાર થાય તો પડદો ખેંચી પોતાને કોઈની નજરથી બચાવી લેતા હીરામનની નિર્દોષતા જોઈ હીરાબાઈ એ ભૂલી ગઈ કે પોતે નૌટંકીની નાચનારી છે જેને ચારઆઠ આના ખર્ચી કોઈ પણ હાલીમવાલી જોઈ શકે છે. 

મુસાફરી પૂરી થયા બાદ હીરાબાઈ વાસ્તવિક દુનિયામાં પાછી ફરી ગઈ, હીરામન એમ ન કરી શક્યો. હીરાબાઈ સમજતી હતી કે એનો અને હીરામનનો કોઈ મેળ નથી. ફિલ્મના અંતે તે પોતાની જૂની કંપનીમાં ચાલી જાય છે. ખરું કારણ હીરામનથી દૂર ચાલ્યા જવાનું છે. રેલવે પ્લેટફોર્મ પર થયેલી અંતિમ મુલાકાતમાં હીરાબાઈ કહે છે, ‘તેં મને મહુવાની વાર્તા કરી હતી, જેને વેચી નાખવામાં આવેલી – મૈં ભી બિકી હુઈ હૂં હીરામન. દુ:ખી ન થા.’ કોરી આંખે છૂટા પડતાં આ બંને પાત્રોનું  દર્દ દર્શકોની આંખો ભીંજવ્યા વગર રહેતું નથી. 

‘દુનિયા બનાનેવાલે’ આ મહુવાની વાર્તા કરતા હીરામને ગાયેલું ગીત છે. મા વગરની મહુવા એક પરદેસીને દિલ દઈ બેઠી. તેણે મહુવાનો સોદો કરી નાખ્યો ને મહુવાએ આત્મહત્યા કરી. ગીતમાં ડૂબી ગયેલાં પાત્રો અને પ્રેક્ષકોને ત્યારે ખબર નથી કે આ જ ગીત એમને ક્યાં લઈ જવાનું છે. હસરત જયપુરીએ ગીતના શબ્દોમાં એક જીવતા પાત્ર જેવો પ્રાણ પૂર્યો છે. 

કહે છે શાયર મિત્ર શૈલેન્દ્રએ ‘તીસરી કસમ’ બનાવવા માંડી ત્યારે રાજ કપૂરે તેને વાર્તામાં ફેરફાર કરવા સમજાવ્યો હતો. એ ન માન્યો. રાજકપૂરે પછી માત્ર એક રૂપિયો લઈ હીરામનનું પાત્ર ખૂબ સંવેદનશીલતાથી કર્યું, વહીદા રહેમાનની સુંદરતા, અભિનય અને નૃત્યકળા ત્રણેને આ ફિલ્મમાં અવકાશ મળ્યો, ગીતો અને ગ્રામ્ય પરિવેશથી ભારતનું એક અનુપમ ચિત્ર ખડું થયું, બાસુ ભટ્ટાચાર્યએ દિગ્દર્શક તરીકેની આ પહેલી જ ફિલ્મમાં ઘણું કૌવત દેખાડ્યું અને કલાત્મકતાની દૃષ્ટિએ ફિલ્મ વખણાઈ પણ ખરી – પણ પ્રેક્ષકોને તે બિલકુલ ન ગમી અને કશી નોંધ લેવાય એ પહેલા જ એ ભુલાઈ ગઈ, ભુંસાઈ ગઈ. ત્રણ ત્રણ વર્ષથી તેની પાછળ ખુવાર થતા રહેલા શૈલેન્દ્રનો એ નિષ્ફળતાએ જીવ લીધો. પછીનાં વર્ષોમાં ફિલ્મ ઑલ ટાઈમ ક્લાસિક શ્રેણીમાં મુકાઈ અને તેના સર્જક તરીકે શૈલેન્દ્રનું નામ અમર થઈ ગયું. પણ ત્યારે રાજકપૂરની ટીમ ખરાબ રીતે તૂટી ગઈ હતી. 

હસરત જયપુરીની મુખ્ય ઓળખ રાજકપૂરની ટીમના સભ્ય તરીકેની ભલે હોય, પણ તેઓ એ સિવાય પણ ઘણું હતા. નાનાનો વારસો અને રાધાનો ઈશ્ક એમના પહેલા પ્રેરણાસ્રોતો. ‘કહીં વો આ કે મિટા ન દે ઈન્તઝારકા લુત્ફ, કહીં કૂબુલ ન હો જાયે ઇલ્તઝા મેરી’ આ સુંદર શેર એમણે એમની વિદ્યાર્થી અવસ્થામાં લખ્યો હતો અને ‘યે મેરા પ્રેમપત્ર પઢકર’ ગીત ‘સંગમ’માં લેવાયું એનાં વર્ષો પહેલા રાધાને માટે લખાયેલું. પણ ફૂટેલા નસીબમાં રાધા ન હતી, ગરીબી, મજૂરી અને કંડકટરી હતી. 

મુંબઈમાં આવ્યા બાદ 11 રૂપિયામાં મહિનો ખેંચતા, મુશાયરા ગજવતા ને પછી ફૂટપાથ પર સૂઈ જતા હસરતે ફૂટપાથના સાથી મજૂરની લાશ પર દર્દભરી રચના લખી. મુશાયરામાં એ સાંભળી પૃથ્વીરાજ કપૂરનું દિલ ડોલી ઊઠ્યું અને ‘બરસાત’ બનાવી રહેલા રાજ ક્પૂરને એક સાથી, એક મિત્ર મળી ગયો. ‘જિયા બેકરાર હૈ’ અને ‘છોડ ગયે બાલમ’ આ બંને હસરતનાં પહેલાં ગીતો. ઊંડો પ્રેમ અને દર્દ એમની રચનાઓમાં વારંવાર ઝલકે, પણ તેમની પ્રકૃતિ રોમાન્સની – ‘બહારો ફૂલ બરસાઓ’, ‘એ ગુલબદન’, ‘આ જા રે આ જરા’, ‘મસ્તીભરા હૈ સમા’, ‘તેરી પ્યારી પ્યારી સૂરત કો’ ‘બદન પે સિતારે લપેટે હુએ’ એક એકથી ચડે તેવાં રોમેન્ટિક ગીતો. 

હસરત પાસે સાહિર જેવી કડવાશ કે ફૈઝ – કૈફી જેવું ગાંભીર્ય કદાચ ન મળે, પણ અનુભવોમાંથી નીતરેલું ઊંડાણ જરૂર મળે. એમની કલા કઠોર નહીં, જીવનની દરેક કડવાશમાંથી મીઠાશ શોધી લે તેવી હતી – પ્યાર સચ્ચા હો તો રાહેં ભી નિકલ આતી હૈ, બિજલિયાં અર્શ સે ખુદ રાસ્તા દિખલાતી હૈ …  

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 11 ઍપ્રિલ ડિસેમ્બર 2025

Loading

4 January 2026 Vipool Kalyani
← રિયાધ વિરુદ્ધ અબુ ધાબી : વિશ્વનો નકશો બદલી નાખવા સક્ષમ યુદ્ધ છેડાયું છે ત્યારે …
કોઈ હમદર્દ નહીં, દર્દ મેરા સાયા હૈ →

Search by

Opinion

  • એક તરફ અપડેટ રહેવાની ફરજ પડે ને બીજી તરફ અપડેટ રહેવાનું નિરર્થક લાગે, તો ?
  • તણખામાંથી ભડકો થઇ શકે તેવા વૈશ્વિક સંજોગો એટલે 2026નું જિઓપોલિટિકલ પ્રેશરકુકર 
  • ચલ મન મુંબઈ નગરી—323 
  • હું એકની એક
  • આ જ વૃક્ષો હતાં

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • આ જ વૃક્ષો હતાં
  • તારી યાદ નડે છે
  • માનવી …
  • પન્નાને–જન્મદિને, ડિસેમ્બર 28, 2025

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved