Opinion Magazine
Number of visits: 9450279
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેશભરમાં સૌથી મોટો પડકાર બિહાર સરકારને છે

આર્ષ મહેતા|Opinion - Opinion|2 April 2020

કોવિડ-૧૯

ગયા અઠવાડિયે ઓફિસના કામે બિહારના મુઝફ્ફરપૂર જિલ્લામાં જવાનું થયું. મુઝફ્ફરપુર જિલ્લો બિહારમાં પટણા અને પૂર્વી ચંપારણ પછી વિસ્તારની દ્રષ્ટિએ ત્રીજા નંબરનો જિલ્લો. અમદાવાદથી નીકળતી વખતે કોરોનાનું ભારતમાં તો આગમન થઈ ગયું હતું, પરંતુ ગુજરાત કે બિહારમાં આ બાબતે કોઈ પણ કેસ પોઝિટિવ નોંધાયો ન હતો. તેથી અન્ય લોકોની જેમ મેં પણ માની લીધું કે અત્યારે બિહાર જવું સેફ છે. જો કે આ વાઇરસની ગંભીરતાને ધ્યાનમાં રાખી સેફ્ટીનાં કેટલાંક પગલાં અમે પણ લીધેલાં. બિહાર પહોંચ્યા બાદ મુઝફ્ફરપુર જિલ્લાના કેટલાંક ગામોમાં કામ અર્થે જવાનું થયું. આ દરમિયાન ત્યાંના સ્થાનિક લોકો સાથે વાતચીત પણ થઈ અને આ ઉપરાંત ગામોમાં સ્વચ્છતા અને આરોગ્યરક્ષા અંગે લોકોની તૈયારી જોતાં સમજાયું કે આ બીમારી સામે લડવા માટે ખૂબ જ તૈયારીની જરૂર છે. અને આ તૈયારીઓ સામે સૌથી મોટી અડચણો છે અહીંના લોકોની માનસિકતા, જીવનશૈલી અને સામાજિક માન્યતાઓ. બિહાર, ભારતનું એ રાજ્ય છે જે કુલ વસ્તીના પ્રમાણમાં દેશમાં ત્રીજા નંબર ધરાવે છે. અહીં દર ચોરસ કિલોમીટરે સરેરાશ જન સંખ્યા ૧,૧૦૦થી પણ વધુ છે જે ભારત દેશની દર ચોરસ કિલોમીટરે સરેરાશ વસતીના ત્રણ ગણાથી પણ વધુ છે. આ ઉપરાંત ઓછો શિક્ષણ દર, વધુ બેરોજગારી, અસમાનતા, પીવા માટે શુદ્ધ પાણીનો અભાવ, ગરીબી જેવી અનેક મુશ્કેલીઓનો બિહાર સામનો કરી રહ્યું છે આવા સમયે શું કોરોનાનો માર ઝીલી શકવા બિહાર તૈયાર છે?

બિહાર રાજ્યમાં કોરોના વાઇરસ સંક્રમિત દરદીનું તા. રરમીએ મૃત્યુ થયું એ કોરોનાના કારણે દેશમાં છઠ્ઠું મૃત્યુ હતું. ધ્યાન રાખવા જેવી વાત એ છે કે આ મૃત્યુ પહેલાં બિહાર રાજયમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા શૂન્ય હતી. આ ઘટનાએ ઘણા સવાલો ઊભા કરી દીધા, સવાલ સરકારની તૈયારીઓ પર, સવાલ લોકોની જાગૃતતા પર, મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રકચર પર તો લોકોમાં સ્વચ્છતા તથા હાઇજિનની જાણકારી પર.

નોવેલ કોરોના વાઇરસનું સંક્રમણ જ્યારે વિશ્વમાં વધી રહ્યું છે, વિશ્વભરમાં સંક્રમિત લોકોની સંખ્યા આઠ લાખ ઉપર પહોંચી ગઈ છે અને મૃત્યુ આંક લગભગ ૩૯,૪૦૦ સુધી પહોચી ગયો છે ત્યારે સમગ્ર ભારતમાં પણ આના ગંભીર પરિણામોને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા વિવિધ પગલાં લેવાઈ રહ્યા છે. ભારતમાં પણ સંક્રમિત લોકોની સંખ્યા ૧,રપ૦ સુધી પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક ૩ર સુધી. ટેલિવિઝન, સોશિયલ મીડિયા, ન્યૂઝ પેપર્સ દરેક જગ્યા એ સોશિયલ ડિસ્ટન્સિંગ માટે લોકોને અપીલ કરાઇ રહી છે. ત્યારે સવાલ એ થાય કે બિહારમાં આ કેટલું શક્ય છે?

બિહાર રાજ્ય નેપાળ સાથે પણ ઘણી લાંબી સરહદ ધરાવે છે. અને સ્થાનિકો જાહેર તથા ખાનગી વાહનો દ્વારા આ સરહદ ખૂબ જ સરળતાથી પાર કરી શકે છે. આ સમયે નેપાળમાંથી પણ કોરોના સંક્રમિત વ્યક્તિ બિહાર રાજયમાં આવી શકવાની સંભાવના ઘણી રહેલી છે. જો કે કોરોના વાઇરસના ભારતમાં આગમન પહેલાં જ બિહાર રાજ્ય સરકારે અગમચેતીના ભાગ રૂપે નેપાળ બોર્ડર પર જરૂરી સ્ક્રિનિંગ વ્યવસ્થા ગોઠવી દીધી હતી, જેથી નેપાળથી આવતા કોરોના સંક્રમિત લોકો પર નજર રાખી શકાય, પરંતુ બિહાર સરકાર સામે સૌથી મોટો પડકાર ભારત દેશના વિભિન્ન ભાગોમાંથી પરત ફરી રહેલા બિહાર રાજ્યના લોકો છે. બિહાર એક એવું રાજ્ય છે જ્યાં રોજગારીની પૂરતી તકો ન હોવાથી અહીંના યુવાનો રોજગારી માટે ભારત દેશના અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરતાં હોય છે. સ્થળાંતર કરનારા મોટા ભાગના યુવાનો બિહાર રાજ્યનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી આવે છે જે દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર તરફ રોજગારી અર્થે જાય છે. આ એવાં રાજ્યો છે જ્યાં નોવેલ કોરોના વાઇરસ સંક્રમિત લોકોની સંખ્યા પણ વધુ છે. કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવી કોઈ બિહારનો યુવક પોતાના ગામ સુધી પહોંચે તે દરમિયાન જો તેની યોગ્ય તપાસ કરવામાં ન આવી તો આવનારા દિવસોમાં આ રાજયમાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ સ્વરૂપ ધારણ કરી શકે છે. જો નોવેલ કોરોના વાઇરસનું સંક્રમણ બિહારના ગ્રામ્ય વિસ્તારો સુધી પહોચી ગયું તો તેના પર અંકુશ મેળવવો ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ શકે છે. બિહારના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાઇરસ પ્રત્યેની સામાન્ય જાગૃતિનો અભાવ ખૂબ જ છે, ગામોમાં સ્વચ્છતા અને હાઇજિનનો ખૂબ જ મોટો અભાવ વાઇરસ ફેલાવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. આ ઉપરાંત જે સૌથી મોટો પડકાર છે તે ગ્રામ્ય સ્તરે મેડિકલ ઇનફ્રાસ્ટ્રક્ચર તથા અન્ય સુવિધાઓ પૂરી પાડવાનું. બિહાર રાજ્યની કુલ વસ્તીના ૮૮ ટકાથી વધુ વસ્તી ગામડાંઓમાં વસેલી છે, તો આવામાં સવાલ એ થાય કે શું રાજ્યની સરકાર રાજ્યના દરેક ગામના લોકોની તબીબી સારવાર થઈ શકે તે માટે સજ્જ છે ખરી?

આજે વિશ્વના ઘણા નિષ્ણાતોએ ભારત દેશમાં પ્રસરી રહેલા કોરોના વાઇરસ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી છે. કેટલાક લોકોનું કહેવું છે કે ભારત ઇટાલી જેવી પરિસ્થિતિ વધુમાં વધુ એક મહિનો દૂર છે તો અમેરિકાથી માત્ર પંદર દિવસ દૂર છે. પરંતુ હકીકત જોવા જઈએ તો બિહારની કુલ વસ્તી ઇટાલીની કુલ વસ્તી કરતાં દોઢ ગણી છે. જો યોગ્ય સમયે યોગ્ય પગલાં ન લેવાયા તો ભારત તો દૂરની વાત છે પરંતુ માત્ર બિહાર જ બીજું ઇટાલી બની શકે છે. આથી કદાચ જરૂરત છે તો માહિતીને લોકો સુધી પહોંચાડવાની, લોકોને કોરોના અને તેનાથી થતી અસરોથી અવગત કરાવાની અને ગ્રામ્ય વિસ્તારો સુધી હોસ્પિટલ્સ તથા અન્ય મેડિકલ સુવિધા પહોંચાડવાની. જેથી કોરોના સંક્રમિત લોકોને યોગ્ય સમયે યોગ્ય સારવાર મળી શકે. કેન્દ્ર સરકાર અને બિહાર રાજ્ય સરકાર આ માટે જરૂરી નિર્ણયો લઈ આ મહામારી સામે લોકોને રક્ષણ આપે તેવી અપેક્ષા રહેશે.

[લખ્યા તા.ર૩-૦૩-ર૦, આંકડાકીય વિગત તા.૩૧-૦૩-ર૦]

Email: mehtaaarsh90@gmail.com

સૌજન્ય : “નિરીશક”, 01 ઍપ્રિલ 2020; પૃ. 07, તેમ જ 09

Loading

2 April 2020 admin
← હે કોરોના ! (2)
નગર લૉકડાઉનમાં →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved