Opinion Magazine
Number of visits: 9446880
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલણી નોટોની નાબૂદી વહીવટી સુધારણાનો વિકલ્પ ન બની શકે

રમેશ બી. શાહ|Opinion - Opinion|16 November 2016

તા. ૮-૧૧-’૧૬ના રોજ વડાપ્રધાન મોદીએ દેશના નાગરિકો માટે એક સાવ અણધાર્યું પગલું ભર્યું. તેમણે તે દિવસની મધરાતથી રૂ.૫૦૦ અને ૧૦૦૦ની નોટોને ગેરકાયદેસરની જાહેર કરી, એટલે કે એ નોટોને ચલણમાંથી દૂર કરવામાં આવી. ઐતિહાસિક પગલા તરીકે ઓળખવામાં આવેલું આ પગલું કેવળ કાળાનાણાને નાબૂદ કરવા માટે જ ભરવામાં આવ્યું નથી, બીજા અનેક ઉદ્દેશો તેનાથી હાંસલ થશે, એવું લોકોને જાહેર ખબરના માધ્યમથી જણાવવામાં આવ્યું છે. આ ઉદ્દેશ વર્ણવતા પૂર્વે ‘ગરીબો, નવોદિત મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગ’ને એવી આશા આપવામાં આવી છે, કે તેમના માટે ‘આ ઐતિહાસિક પગલું નવી તકો સર્જશે.’

પ્રસ્તુત પગલાની જે અન્ય અસરો પડવાની અપેક્ષા રાખવામાં આવી છે તે આ પ્રમાણે છે : (૧) મકાનો અને જમીનના ભાવ ઘટશે. ઉચ્ચ શિક્ષણ અને તબીબી સારવારનો [લાભ] આમ આદમી લઈ શકશે. મતલબ કે એ સેવાઓ સોંઘી થશે. (૨) દાણચોરી, જાસુસી અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે મળતાં નાણાં બંધ થઈ જશે. આમાં એ અભિપ્રેત છે કે આ પગલાને પરિણામે એ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ નાણાંના અભાવે બંધ થઈ જશે; અને (૩) મોટા જથ્થામાં ચલણમાં ફરતી નકલી નોટો ચલણમાં ફરતી બંધ થઈ જશે.

આ કારણોસર, રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની નોટો રદ કરાતાં નાગરિકોને દિવસો સુધી કેટલીક હાડમારી ભોગવવી પડશે, પૂરતા પૈસાના અભાવે લોકો સંખ્યાબંધ ચીજોની ખરીદી મુલત્વી રાખશે તેથી કેટલાક દિવસો સુધી બજારો સુસ્ત રહેશે. એ દરમિયાન જૂની ૫૦૦ અને ૧૦૦૦ની નોટોના બદલામાં નવી રૂ. ૫૦૦ અને ૨૦૦૦ની નોટો આપવામાં આવશે. અલબત્ત, નોટોની આ ફેરબદલી સરકારે ધારી છે એટલી સરળ નહીં નીવડે પણ આમ આખરે આ પગલું નોટો બદલવાની પ્રક્રિયા બની રહેશે.

પણ જેમણે કાળું નાણું હાથ પર રાખ્યું છે એ લોકો તેમનું બધું કાળું નાણું ‘ધોળું’ નહીં કરી શકે. એ રીતે કેટલીક ચલણી નોટો રદ થઈ જશે. આ રીતે કાળા નાણાના રૂપમાં રહેલી કેટલી સંપત્તિનો વિલય થશે એ અનુમાનના વિષય છે. એ જાણીતી વાત છે કે કરચોરી અને ભ્રષ્ટાચાર દ્વારા મેળવવામાં આવતી આવકનો મોટો ભાગ જમીનો, મકાનો અને સોના જેવી ભૌતિક અસ્કામતોમાં રોકવામાં આવે છે. કેટલુંક કાળું નાણું વિદેશોમાં રાખવામાં આવે છે. (એ નાણું દેશમાં લઈ આવવાનું વચન મોદીએ આપ્યું હતું તે સુવિદિત છે.) આમ કાળા નાણાનો એક પ્રમાણમાં નાનો ભાગ ચલણી નોટોના રૂપમાં સંઘરવામાં આવે છે. એમાંથી સરકારના જણાવ્યા પ્રમાણે રૂ. સવા લાખ કરોડની આવક સ્વૈચ્છિક રીતે જાહેર કરવામાં આવી છે. તેથી ચલણી નોટોના રૂપમાં ઝાઝું કાળું નાણું લોકો પાસે હોવાથી સંભાવના ઓછી છે. માર્ચ ૨૦૧૬માં દેશમાં રૂ.૫૦૦ અને ૧૦૦૦ની ૧૪,૧૮,૦૦૦ કરોડના મૂલ્યની નોટો ચલણમાં હતી. (આઠમી નવેમ્બર સુધીમાં તેમાં વધારો થયો હશે.) એ પૈકી કેટલા મૂલ્યની નવી નોટો ૨૦૧૭નાં માર્ચની ૩૧મી સુધી આપવાની થાય છે તેના આધારે કેટલું કાળુ નાણું નાશ પામ્યું છે તેનો એક જાડો અંદાજ મળી રહેશે.

સરકારના આ પગલાથી ભવિષ્યમાં લોકો ઓછી કરચોરી કરતા થશે તેથી સરકારને આવકવેરાના રૂપમાં મળતી આવક વધશે અને એ વધેલી આવકમાંથી સરકાર ઇન્ફ્ર્ાસ્ટ્રક્ચરમાં વિશેષ મૂડીરોકાણ કરશે. એને પરિણામે અર્થતંત્રમાં આવક અને રોજગારી વધશે. આવી આશા કેટલાક  સમીક્ષકોએ રાખી છે. એમાં એ અભિપ્રેત છે કે સરકારના આ પગલાથી ગભરાઈને લોકો ભવિષ્યમાં કરચોરી કરવાની અને ભ્રષ્ટાચાર આચરવાની હિંમત નહીં દાખવે. સરકારે પોતે પણ આ દાવો કર્યો છે. આ આશાવાદ કેટલો સાચો છે તે તો આગામી વર્ષોનો અનુભવ જ કહેશે. એના વિશે અટકળો કરવાનો કોઈ આધાર આપણી પાસે નથી. આ કેવળ શુભેચ્છા છે.

સરકારે તેના આ પગલાથી જમીન અને મકાનોની કિંમતો ઘટશે એવો જે દાવો કર્યો છે તેમાં તથ્ય છે. એ બે ભૌતિક અસ્કામતોના ખરીદ વેચાણમાં મોટા પ્રમાણમાં રોકડ નાણું રદ થતા એ અસ્કામતોની માંગમાં મોટો ઘટાડો થશે. તેથી બિલ્ડરોને એની કિંમત ઘટાડવાની ફરજ પડે એ પૂરેપૂરું સંભવિત છે. પણ એને પરિણામે બાંધકામ ઉદ્યોગ કેટલાક મહિનાઓ માટે સ્થગિત થઈ જશે.

ઉચ્ચ શિક્ષણ આપતી સ્વનિર્ભર કૉલેજો અને તબીબી સારવાર આપતી ખાનગી હૉસ્પિટલો તેમની ફીમાં મોટો ઘડાટો કરશે એવી જે આશા સરકારે આમ આદમીને બંધાવી છે તે કેટલી સાચી નીવડશે તે એક પ્રશ્ન છે. તેની પાછળનો તર્ક સ્પષ્ટ નથી. સરકારનો આ દાવો કેટલો સાચો નીવડે છે તે તો ૨૦૧૭ના વર્ષમાં જે જોઈ શકાશે.

આતંકવાદીઓ, દાણચોરો ઇત્યાદિને તેમની દેશવિરોધી પ્રવૃત્તિઓ માટે મળતાં નાણાં હાલ તુરત બંધ થઈ જશે અને તેમની પાસે રૂ.૫૦૦ અને ૧૦૦૦ની નોટોમાં જે નાણું હશે તે નિરુપયોગી બની જશે. પણ સમય જતાં આ દેશ વિરોધી તત્ત્વો ફરીથી નાણાં નહીં મેળવી શકે એમ કહેવાની સ્થિતિમાં આપણે નથી. એ જે થાય તે, દેશમાં ચાલતી આતંકવાદી પ્રવૃત્તિ, દાણચોરી અને જાસુસી તદ્દન બંધ ન થાય, પણ તેમાં આગામી વર્ષોમાં મોટા પ્રમાણમાં ઘટાડો થાય તો પણ નોટો રદ કરવાનું આ પગલું તેનો એક ઉદ્દેશ પાર પાડવામાં સફળ નીવડ્યું છે એમ કહી શકાશે.

છેલ્લે, ચલણમાં ફરતી નકલી નોટો આ પગલાથી આપમેળે દૂર થઈ જશે એ નિશ્ચિત છે. પણ આ બાબતમાં બે અવલોકનો પ્રસ્તુત છેેેેે. એક, ચલણમાં ફરતી નકલી નોટોનો જથ્થો રૂ. ૪૦૦ થી ૫૦૦ કરોડનો હોવાનો એક અંદાજ છે. એની સામે દેશમાં ફરતાં નાણાંનો જથ્થો રૂ. ૧૬.૬૩ લાખ કરોડથી અધિક છે. આમ દેશમાં ફરતી જાલી નોટોનો જથ્થો સાપેક્ષ રીતે નગણ્ય છે. એની કોઈ માઠી અસર અર્થતંત્ર પર પડી શકે નહીં. બીજું, રિઝર્વ બેંક દ્વારા મૂકવામાં આવેલી નવી નોટોની નકલ કરવાનું મુશ્કેલ હશે, પણ તેની નકલ નહીં જ થઈ શકે એમ આપણે કહી શકીએ નહીં.

સરકારનું એક ન સમજાય તેવું પગલું છે તે તેણે રૂ. બે હજારની નોટ ચલણમાં મૂકી છે. યુરોપિયન સેન્ટ્રલ બૅંકે એવી જાહેરાત કરી છે કે તે હવે પછી ૫૦૦ યુરોની નોટ પ્રગટ નહીં કરે કેમ કે તેનાથી ગુનાહિત પ્રવૃત્તિઓ કરવાનું સરળ થાય છે. એક નિષ્ણાતે આ જ ઉદ્દેશથી ઇંગ્લૅન્ડ, અમેરિકા સહિતના ૨૦ દેશોને મોટા મૂલ્યની નોટો બહાર નહીં પાડવાની સલાહ આપી છે. ભ્રષ્ટાચાર, કરચોરી, દાણચોરી, આતંકવાદી પ્રવૃત્તિઓ, નાણાંની આંતરરાષ્ટ્રીય હેરફેર વગેરે ગુનાહિત પ્રવૃત્તિઓ છે. એ પ્રવૃત્તિઓને અનુકૂળતા ન સાંપડે એ માટે મોટા મૂલ્યની ચલણી નોટો ચલણમાંથી દૂર કરવાનું ઇષ્ટ છે. આમ છતાં, રૂ. બે હજારની નોટો ચલણમાં મૂકવા પાછળ કયો ઉદ્દેશ રહેલો છે તેની સ્પષ્ટતા સરકાર દ્વારા કરવામાં આવે ત્યારે આપણે જાણી શકીશું.

આ ઐતિહાસિક પગલાથી ગરીબો અને નવા તથા જૂના મધ્યમ વર્ગના લોકો માટે કઈ અને કેટલી તકો સર્જાય છે તે તો ભવિષ્ય જ કહેશે. પણ ચલણી નોટો સરકારની ઑથોરિટી પર નથી ચાલતી, વિશ્વાસ પર ચાલે છે. રૂ.૫૦૦  અને ૧૦૦૦ની નોટો રદ કરવાનું પગલું વિશ્વાસઘાત કરનારું છે. આવું ગંભીર પગલું ભરવું પડે એવી કોઈ આર્થિક કટોકટીમાંથી અત્યારે  દેશ પસાર થઈ રહ્યો નથી. ઊલટું દેશમાં જી.ડી.પી.નો વૃદ્ધિદર ૭.૬ ટકા છે, જે ૪૨ મોટા દેશોમાં સહુથી વધારે છે. ફુગાવો એના માટેના નિર્ધારિત લક્ષ્યાંકોની મર્યાદામાં છે. લેણદેણના સરવૈયાની કોઈ સમસ્યા નથી. કરચોરી દ્વારા તથા ભ્રષ્ટાચાર દ્વારા કાળા નાણાનું સર્જન એ વહીવટી પ્રશ્નો છે. એ પ્રશ્નો વહીવટી સુધારાઓ અને તેના અસરકારક અમલ દ્વારા હલ કરવાના છે. ચલણી નોટોની નાબૂદી આવા વહીવટી સુધારાનો વિકલ્પ ન બની શકે.

ચાલુ નોટોના સ્થાને નવી નોટો મૂકવાનું અંદાજિત ખર્ચ રૂ. બારથી પંદર હજાર કરોડનું છે. આ નોટો બદલવાની વહીવટી કામગીરીમાં કર્મચારીઓનાં જે સમય અને શક્તિ ખર્ચાશે તથા નાગરિકોનો રદ થયેલી ચલણી નોટો બૅંકમાં આપવામાં અને નવી નોટો મેળવવામાં જે સમય ખર્ચાશે તેનું મૂલ્ય ગણીએ નોટોની આ ફેરબદલીનું ખર્ચ ઘણું વધી જાય. આશા રાખીએ કે નાગરિકોને આ ભારે ખર્ચનું વળતર મળી રહેશે.

તા. ૧૦-૧૧-’૧૬; પાલડી, અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2016; પૃ. 03 અને 07

Loading

16 November 2016 admin
← ભારતમાં વાદવિવાદની પ્રણાલિકા વિશે ભીખુ પારેખ
લોકશાહીનું તળિયું દેખાડનારાં પરિણામ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved