Opinion Magazine
Number of visits: 9504777
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સીબીઆઈની તપાસમાં ન  ઢંગ છે, ન ધડો : એણે નકરી વેઠ ઉતારી છે વેઠ,  સાહેબો !

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|11 May 2024

અમિત જેઠવાની હત્યા

જ્યારે રાજપુરુષોના હૃદયમાં ‘ધર્મ’ વસતો મટી જાય છે ત્યારે કોઈ બંધારણ લોકશાહીને કે દેશને બચાવી શકતું નથી

પ્રકાશ ન. શાહ

ઇસુ પૂર્વે 800-500ના અરસામાં માંડુક્ય ઉપનિષદમાં કહેવાયું છે કે સત્યમેવ જયતે. ભારતના રાષ્ટ્રીય પ્રતીક સાથે એક સૂત્ર રૂપે એ સોહે છે. આ કેસ (ગીર અભયારણ્ય પંથકમાં ગેરકાયદે ખનન સામે અવાજ ઉઠાવનાર આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યાનો કેસ) ‘સત્યમેવ જયતે’ના સૂત્રથી બિલકુલ વિપરીત યાદી અને સાહેદી રૂપ છે … અને હત્યારાએ હાઇકોર્ટની સામે આવેલ સત્યમેવ સંકુલ પર જ આ હત્યા માટે પસંદગી ઉતારી એ પણ કંઈક હેરતઅંગેજ લાગતી સૂચક બીના છે.

પહેલી જ કાચી મિનિટથી તપાસ આખી દેખાતે છતે બંધ આંખની રીતે હાથ ધરાયેલી જાય એ માટે સઘળા પ્રયાસો થયા છે, અને આ હીન કૃત્યના કરવૈયાઓ એમાં સફળ રહ્યા છે.

હાઇકોર્ટે સી.બી.આઈ.માં ભરોસો મૂક્યો હતો. પણ સી.બી.આઈ.ની તપાસકારવાઈ ઢંગધડા વગરની નકરી વેઠઉતાર રહી છે.

અમિત જેઠવા

અમે જોયું છે કે બધા જ તપાસ અફસરો શુદ્ધ ધોરણોના પાલનમાં નાકામિયાબ રહ્યા છે. વિદ્વાન પબ્લિક પ્રોસીક્યુટર પણ એમના કર્તવ્યપાલનમાં નિષ્ફળ ગયા છે. જે સાક્ષીઓ હોસ્ટાઇલ થઈ ગયા એમની ઊલટતપાસ નકરી ઔપચારિકતા જેવી વરતાય છે. જેમાં પુષ્ટિમૂલ્ય હોય એવા પુરાવા સારું કોઈ પુરુષાર્થ થયો જણાતો નથી. સઘળા સાક્ષીઓને પોલીસ તરફથી સુરક્ષાની આસાએશ હતી, પણ એ બધા ફરી ગયા અને એમણે કેસને લગભગ ખાઈમાં પડવા દીધો.

કાવતરું સિદ્ધ કરવા માટે કેવળ એક જ પુરાવો, હત્યા જેવા ગંભીર ગુનામાં સજા ફરમાવવા સારુ પૂરતો લેખાતો નથી. ગુનો પાર પાડનાર બીજાઓની સંડોવણી કે ભૂમિકા પુરવાર ન થાય ત્યાં ‘સ્ટેન્ડએલોન એવિડન્સ’ ટકતો નથી.

સી.બી.આઈ. ઑફિસર મૂકેશ શર્મા જ્યાં કથિત કાવતરું ઘડાયું હતું તે જગ્યા, હરમદિયા ફાર્મ પર રૂબરૂ મુલાકાત લેવાનું જ ભૂલી ગયા તે ગળે ઊતરે એવી બાબત નથી. વળી આ ફાર્મ દિનુ સોલંકીનું છે કે કેમ તે માહિતી અંકે કરવા સારુયે એમણે તસદી લીધી નથી. આંખે ઊડીને બાઝે એવી વાત તો એ છે કે માર્યા ગયેલના મોબાઈલમાં કોલ રેકોર્ડઝ સુલભ હોવા છતાં કોઈ ડેટા કાલવ્યો નથી.

તપાસ અધિકારીઓએ ગોળ કાણામાં ચોરસ ખીલા બેસાડવાની કોશિશ કરી છે અને લગારે ટેકા વગરના દાવા આગળ કર્યા છે. સાફ જણાય છે કે, જાણીબૂઝીને છીંડાં ને છટકબારી રખાયાં છે જેથી કાવતરાખોરી નક્કી કરવા બાબતે ઊલટસૂલટ થઈ શકે.

અમે દોહરાવવા માંગીએ છીએ કે આરંભથી જ આ આખી તપાસ પૂર્વગ્રહદૂષિત ને કેવળ વેઠ ઉતારવા જેવી બની રહી છે.

જ્યાં સુધી ટ્રાયલ કોર્ટનો સવાલ છે, એમણે કાનૂની જોગવાઈઓ અને પ્રણાલિકાની તમા વગર પુરાવાની તપાસ કરી છે. ખરું જોતાં ટ્રાયલ કોર્ટની અનિવાર્ય ફરજ હતી કે પોતાના તરંગબુટ્ટા પ્રમાણે ચાલવાને બદલે કાયદાપોથી મુજબ ચાલે. પણ તેણે જે રાહ લીધો તેને પરિણામે આરોપીને થયેલી સજા રદ્દ કરવી પડી છે.

કાનૂનવિશારદ નાની પાલખીવાલાએ કહ્યું છે કે, આપણી લોકશાહી તેમ જ દેશની એકતા ને અખંડિતતા એવી એક પાયાની પ્રતીતિ પર જ ટકી શકે કે બંધારણીય કાનૂનિયત કરતાં બંધારણીય નૈતિકતા કમ જરૂરી નથી. ‘ધર્મ’ રાજપુરુષોના હૃદયમાં નિવસે છે. જ્યારે રાજપુરુષોના હૃદયમાં એ શ્વસતો મટી જાય ત્યારે કોઈ બંધારણ, કોઈ કાયદો કે ન તો કોઈ સુધારો બચાવી શકે છે.

(અમિત જેઠવા હત્યા કેસમાં ભા.જ.પ. પૂર્વસાંસદ દિનુ સોલંકી સહિતના આરોપીઓને ‘નિર્દોષ’ છોડી મૂકતાં હાઇકોર્ટે જે કહ્યું એનો સાર, કશી ટીકાટિપ્પણી વિના)

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 09 મે 2024

Loading

11 May 2024 Vipool Kalyani
← Modis’ Election Propaganda: Falsehoods and Sectarianism Galore
ચલ મન મુંબઈ નગરી—247 →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved