Opinion Magazine
Number of visits: 9448345
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતે એન્ટાર્ટિકા બિલ લાવવાની કેમ જરૂર પડી?

કિરણ કાપુરે|Opinion - Opinion|19 May 2022

આપણા દેશથી હજારો કિલોમીટર દૂર આવેલાં એન્ટાર્ટિકાનું બિલ ગત્ સંસદ સત્રમાં રજૂ થયું. આવું બિલ ભારતની સંસદમાં રજૂ કરવાની કેમ જરૂર વર્તાઈ? બિલના ઉદ્દેશમાં ચાર મુદ્દા દર્શાવવામાં આવ્યા છે. તેમાં સૌ પ્રથમ છે એન્ટાર્ટિકાના ક્ષેત્રને સુરક્ષિત રાખવું, ત્યાં જે કોઈ સંશોધન થાય તે શાંતિપૂર્વક થાય અને તે સંબંધિત આંતરરાષ્ટ્રિય મતભેદ ન થાય, ત્યાંની ઇકોસિસ્ટમ જળવાઈ રહે અને અંતિમ છે તે એન્ટાર્ટિકામાં સંસ્થાકિય અને વ્યક્તિગત સંશોધનને પ્રોત્સાહન મળે અને સુવિધા ઉપલબ્ધ થાય.

આવું બિલ ભારતને લાવવાની આવશ્યકતા વર્તાઈ તેની પાછળ એન્ટાર્ટિકાનો નજીકનો ઇતિહાસ અને તેની ભૌગોલિક સ્થિતિને જાણવી રહી. એન્ટાર્ટિકા પૃથ્વીના દક્ષિણ છેડે આવેલો ખંડ છે અને તે દક્ષિણ મહાસાગરની મધ્યમાં છે. એન્ટાર્ટિકા સર્કલના નામથી પણ તે ઓળખાય છે અને વિશ્વનો પાંચમો સૌથી મોટો તે ખંડ છે. ઓસ્ટ્રેલિયા જેવાં બે ખંડ ભેગા થાય ત્યારે એન્ટાર્ટિકા જેટલો વિસ્તાર બને. તેનું વાતાવરણ અતિશય ઠંડું છે અને ત્યાં સતત પવન ફૂંકાતા રહે છે. ઠંડા રણથી પણ તેનો પરિચય આપવામાં આવે છે. પૃથ્વીનું સિત્તેર ટકા જેટલું ચોખ્ખું પાણી એન્ટાર્ટિકામાં બરફ રૂપે સચવાયેલું છે અને દુનિયાનું ન્યૂનત્તમ તાપમાન માઇનસ 89.2 પણ ત્યાં જ નોંધાયું છે. આમ કોઈ વસી ન શકે તેવી તે ભૂમિ છે અને તે જ કારણે ત્યાં કાયમી વસવાટ કરવો મુશ્કેલ છે. વર્ષના કેટlaક દિવસોમાં ત્યાં સંખ્યા વધીને 1,000થી 5,000 થાય છે. તે સિવાય આ પૂરો ખંડ માનવરહિત છે.

હવે જ્યાં ભૌગોલિક સ્થિતિ આટલી વિપરીત હોય ત્યાં કેમ કોઈ જાય. તેમ છતાં ઓગણીસમી સદીના આરંભે કેટલાક રશિયન સાહસિકોએ આ ભૂમિ જોઈ અને તેમાં ડગ માંડ્યા. તે પછી ફ્રાન્સ, અમેરિકા અને બ્રિટનના સાહસિકોએ પણ ત્યાં જવાની હિંમત કરી અને સફળ રહ્યા. પરંતુ નોર્વેની ટીમ 1895 વેળા વિધિવત્ રીતે ત્યાં પહોંચી અને એ રીતે એન્ટાર્ટિકા પર જનારી આ ટીમ પ્રથમ કહેવાય છે. તે પછી પણ ત્યાં જવાના સાહસ થતાં રહ્યા છે. એન્ટાર્ટિકાના મોટા ભાગના વિસ્તારમાં માણસ માટે આજે પણ જવું કપરું છે.

આ રીતે એન્ટાર્ટિકામાં કોઈ માણસ ન હોવાથી ત્યાં કોઈ શાસન નથી અને ત્યાં કોઈ જાય તો તેની વિધિસરની કોઈ મંજૂરી લેવાની જરૂર નહોતી પડતી. પરંતુ સમયાંતરે યુરોપ, અમેરિકા અને દુનિયાના અન્ય દેશોના સંશોધકો ત્યાં જવા માંડ્યા. એન્ટાર્ટિકામાં ઉનાળા દરમિયાન આ સંશોધકોની સંખ્યા પાંચ હજારની આસપાસ હોય છે અને શિયાળો આવતાવેંત તે સંખ્યા ઘટીને હજાર સુધી પહોંચે છે. એ રીતે જુદા જુદા રિસર્ચ સ્ટેશન પર અહીં કામ થાય છે. આ રીતે વર્ષો સુધી કામ થયું પણ વીસમી સદીનો મધ્યમાં આવતાં આવતાં સૌને એમ લાગ્યું કે એન્ટાર્ટિકામાં કામ કરવાના નિયમો હોવા જોઈએ. આ રીતે 1959માં એન્ટાર્ટિકા ટ્રીટી થઈ.

આ ટ્રીટ્રીની જરૂર એ માટે પડી તેનાં અન્ય પણ કારણો છે. જેમ કે, દુનિયાના મજબૂત કહેવાતા દેશો અહીં એક સાથે સંશોધન કરતા હતા. એન્ટાર્ટિકાનો વિસ્તાર ખૂબ મોટો છે અને તેથી ત્યાં કોઈ પણ પ્રકારનું સંશોધન કરી શકે. અમેરિકા અને રશિયા જેવા દેશો ત્યાં પરમાણુના પ્રયોગ કોઈની જાણ વિના કરી શકે. ઉપરાંત વસતી ન હોવાથી આગળ જતાં આટલા મોટા વિસ્તાર પર કોઈ દેશ સૈન્ય કાર્યવાહી કરીને ત્યાં પોતાનું શાસન જાહેર કરી શકે. આમ અનેક શંકાઓ સેવાતી હતી, ખાસ કરીને શીત યુદ્ધ વખતે આ શંકાઓએ વધુ જોર પકડ્યું. એટલે છેલ્લે 1959માં બાર જેટલાં દેશોએ અહીંયા શાંતિથી સંશોધન કરવા અર્થે એન્ટાર્ટિકા ટ્રીટી પર સહી કરી. તેમાં રશિયા, અમેરિકા, બ્રિટન અને યુરોપના અન્ય દેશો સહિત જાપાન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, આર્જેન્ટિના અને ચીલી હતા. આ દેશોના કુલ 55 રિસર્ચ સ્ટેશન ત્યારે અસ્તિત્વમાં હતા. 2019 સુધીમાં આ સંખ્યા 54 દેશો સુધી પહોંચી છે.

વાત ટ્રીટ્રી સુધી પહોંચી તે માટે અમેરિકા દ્વારા 1946માં થયેલું ‘ઓપરેશન હાઇજમ્પ’ પણ કારણભૂત છે. તે વખતે અમેરિકાએ અહીંયા 13 જહાજ, 33 એરક્રાફ્ટ અને 4,700 સૈનિકોને મોકલીને પોતાનો દબદબો દાખવ્યો હતો. રશિયા પણ એ રીતે પોતાનું વર્ચસ્વ દાખવવા સૈન્ય શક્તિનો ઉપયોગ કર્યો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અહીંના રિસર્ચ સ્ટેશન પર આમને સામને ફાયરિંગ કરવાની ઘટનાઓ બની હતી. આ રીતે એન્ટાર્ટિકા જ્યાં સંશોધન સિવાય કશું ય કામ થવાનું નથી ત્યાં પણ દેશો એકબીજા પર હુમલો કરવા લાગ્યા. સૈન્યની ઘટનાઓ તો વિપરીત કુદરતી સ્થિતિના કારણે ત્યાં ન વધી. પરંતુ પર્યાવરણને નુકસાનીનો દોર વધવા માંડ્યો. રશિયાએ તો તેમના બેલિન્ગશુએન સ્ટેશનની બહાર ખૂબ કચરો ઠાલવ્યો અને પૂરી જગ્યાની સુંદરતા બગાડી નાંખી. આવી ઘટનાઓ બનવા માંડ઼ી અને તે કારણે વિશેષ કરીને એન્ટાર્ટિકાના પર્યાવરણની સુરક્ષાને લઈને અન્ય કરારો થયા. તેમાં સૌથી છેલ્લે 1998માં એક ટ્રીટ્રી થઈ તે ‘ધ પ્રોટોકોલ ઓન એન્વાયર્મેન્ટ પ્રોટેક્શન ટુ ધ એન્ટાર્ટિકા’.

આ બધા કરાર થયા છતાં ય અહીંયા જે દેશોએ પોતાના બેઝ અગાઉ બનાવ્યા હતા, તેઓ અહીંના વિસ્તારને ક્લેઇમ કરી રહ્યા છે. નોર્વેએ અહીંના ક્વિન મોડ લેન્ડને પોતાનું ક્ષેત્ર જાહેર કર્યું છે. એ રીતે ઓસ્ટ્રેલિયાએ પણ જેર્વિસ બે ટેરિટરી પોતાના તાબામાં છે તેમ જાહેર કર્યું છે. અમેરિકા, ન્યૂઝિલેન્ડ અને દક્ષિણ આફ્રિકા દ્વારા પણ એન્ટાર્ટિકા પર પોતાના ક્ષેત્ર હોવાના દાવા કર્યા છે. હવે જ્યાં કોઈ કાયમી વસવાટ થવાની શક્યતા દેખાતી નથી ત્યાં પણ આ રીતે દેશો ક્ષેત્રો ક્લેઇમ કરી રહ્યા છે.

આંતરરાષ્ટ્રિય સ્તરે એન્ટાર્ટિકાના મામલે આમ ઘર્ષણ થતાં રહ્યા છે. હવે તેમાં ભારતનું પણ એક સ્થાન બને છે. આપણે 1983માં એન્ટાર્ટિકાના મુદ્દે થઈ રહેલાં કરારોના એક પક્ષકાર બન્યા છે. અને તે બનવાનું મહત્ત્વનું કારણ એ કે આપણા દેશે પણ એન્ટાર્ટિકા રિસર્ચમાં સારું એવું ખેડાણ કર્યું છે. 2012માં એન્ટાર્ટિકામાં આપણી સરકાર દ્વારા ‘ભારતી’ નામનું એક રિસર્ચ સ્ટેશન સ્થાપ્યું છે. તે પહેલાં ‘મૈત્રી’ અને ‘દક્ષિણ ગંગોત્રી’ રિસર્ચ સ્ટેશન અગાઉથી હતા જ. એન્ટાર્ટિકામાં આપણો પ્રથમ બેઝ ‘દક્ષિણ ગંગોત્રી’ હતું. આ બેઝ વિશાળ છે અને ત્યાં અનેક પર્યાવરણીય અને દરિયા સંબંધિત ઉપરાંત પવન ઉર્જા પર કામ થઈ રહ્યું છે.

આપણા દેશના આ ત્રણેય બેઝનું કાર્ય જોઈએ તો ખ્યાલ આવે કે ભારત અહીંયા મોટું હિસ્સેદાર બન્યું છે. આ માટે ભારત પણ એન્ટાર્ટિકામાં કેવી રીતે કાર્ય થવું જોઈએ અને તેના કાયદા શું હોઈ શકે તે માટે સજાગ છે. તેના પરિણામે એન્ટાર્ટિકાનું બિલ સંસદમાં રજૂ થયું. આ બિલ રજૂ થયું ત્યારે તેની પર ચર્ચા પણ થઈ. વિરોધ પક્ષના સભ્યોએ બિલની કેટલીક મર્યાદાઓ દર્શાવીને તેનો વિરોધ કર્યો. બિલની જોગવાઈમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે, આ બિલ ભારતીય નાગરિક સાથે વિદેશી નાગરિકોને લાગુ થશે. આ સંબંધે વિરોધ પક્ષનું કહેવું છે કે, ‘ભારતીય કાયદો કેવી રીતે કોઈ વિદેશી નાગરિક પર લાગુ થઈ શકે? અને કેવી રીતે કોઈ વિદેશી નાગરિકને ભારતીય દંડસહિતા હેઠળ સજા કરી શકાય?’ એ રીતે તૃણમૂલ કૉંગ્રેસના સભ્ય સૌગત રોય બિલ વિશે કહ્યું કે, “આપણા દેશની એન્ટાર્ટિકા પર કોઈ હક બનતો નથી અને તે આજે પણ તેની દેશ તરીકેની કોઈ ઓળખ નથી. હવે આ કિસ્સામાં સરકાર કેવી રીતે કોઈને એન્ટાર્ટિકા પર જવા અર્થે મંજૂરી લેવાની ફરજ પાડી શકે.” સરકારની આ મુદ્દે દલીલ ભવિષ્યમાં જે રીતે એન્ટાર્ટિકામાં કામ વધવાનું છે તેને ઉદ્દેશીને આ બિલ લાવવામાં આવ્યું છે. અને વિશ્વના દરેક દેશ એન્ટાર્ટિકામાં કાર્ય કરવા અંગે પોતાના કાયદા ઘડી રહ્યા છે તેથી ભારતે પણ તેને અનુસરવું રહ્યું.

e.mail : kirankapure@gmail.com

Loading

19 May 2022 admin
← એકવીસમી સદીમાં અસ્તિત્વ ટકાવવાના બોધપાઠ ….
ભણાવવામાં તો સરકાર ઊઠાં જ ભણાવે છે … →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved