Opinion Magazine
Number of visits: 9446176
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભરત દવે લિખિત ગ્રંથ : ‘ભારતીય રંગભૂમિ, ખંડ 1-2’

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|28 May 2022

વિદ્યાકીય પ્રતિબદ્ધતા અને વ્યક્તિગત આત્મીયતામાંથી સર્જાયેલા ગ્રંથો

સતત વાંચતા-લખતાં રહેલાં રંગકર્મી ભરત દવેના ‘ભારતીય રંગભૂમિ, ખંડ 1-2’ નામના બે દળદાર ગ્રંથો તેમની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે 14 મે તારીખે પ્રકાશિત થયા.

‘બૃહદ્દ નાટ્યકોશ’ તરીકે ગુજરાત વિશ્વકોશે ટ્રસ્ટે પ્રસિદ્ધ કરેલાં આ ગ્રંથોનું પેટાશીર્ષક ‘લોકનાટ્ય, લોકનૃત્ય અને લોકકલાઓ’ છે. લેખકે આ સંપુટને ‘ભારતીય રંગભૂમિની પાયાની વિગતો પૂરી પાડતો ગ્રંથ’ ગણાવ્યો છે. મોટા કદના આ પુસ્તકોનાં કુલ 616 પાનાંમાંથી ચોથા ભાગનાં પાનાં ઝળહળતાં રમણીય ફોટોગ્રાફ્સનાં છે.

ગ્રંથના પહેલાં ખંડનો આરંભ સંસ્કૃત પ્રશિષ્ટ રંગભૂમિ વિશેના સમાવેશક વિવરણથી થાય છે. ત્યાર બાદ જુદા જુદા રાજ્યોના પારંપારિક નાટ્ય, નૃત્ય અને કલાઓની ચર્ચા મળે છે. તેમાં બંગાળ, ઓડિશા, બિહાર, ઉત્તરાખંડ, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત સહિત 13 રાજ્યોનો સમાવેશ થાય છે. બીજા ખંડમાં તમિળ, તેલુગુ, કન્નડ, મલયાલમ જેવી દક્ષિણની ભાષાઓની લોકકલાઓનો સમાવેશ  છે. અંતમાં ઉત્તર પૂર્વના આસામ, મણિપુર જેવાં રાજ્યો ઉપરાંત કાશ્મીર અને લેહની પરંપરાગત કલાઓ વિશે વાંચવા મળે છે. આ ખંડમાં ભારતીય શાસ્ત્રીય નૃત્યો, નૃત્યનાટિકાઓના મહાન સર્જકો અને કઠપૂતળીકળા વિશેનાં પ્રકરણો પણ સમાવવામાં આવ્યાં છે.

ભરત દવે (16 ઑગસ્ટ 1948 – 15 મે 2021) ઉત્કૃષ્ટતાના ખૂબ આગ્રહી દિગ્દર્શક હતા એ વાત તેમનાં નાટકો જોઈ શકેલી પેઢી બરાબર જાણે છે. સાથે તેઓ વિશ્વરંગભૂમિના આપણા સમયના અસાધારણ પ્રબુદ્ધ અભ્યાસી અને ચિંતક હતા. આ વાત રંગભૂમિના કલાકીય અને અન્ય અનેક પાસાંને લગતાં તેમનાં દસેક પુસ્તકોમાંથી કંઈક વિગતે પસાર થયા પછી આ લખનારને સમજાયું છે. આ ‘અભિજાત કલાકાર’નું આત્મકથનાત્મક પુસ્તક ‘મારી રંગયાત્રા’ સાદ્યંત મનોહર છે. કુલ સોળ જેટલાં પુસ્તકોનાં તેમના અક્ષરદેહ વિશે તેમના અવસાન પછીના મહિનાઓમાં કુમારપાળ દેસાઈએ ‘બુદ્ધિપ્રકાશ’ અને મહેશ ચંપકલાલે ‘વિશ્વવિહાર’માં વિગતે લખ્યું છે.

તેમણે લખેલાં ‘નાટક નામે ચળવળ’ તેમ જ ‘અભિવ્યક્તિસ્વાતંત્ર્ય’ આપણે ત્યાં મળતાં મળે એવાં પુસ્તકો છે. તેમનું ‘રાષ્ટ્રવાદ’ પુસ્તક કાચી પ્રત રૂપે આ લખનારને તેમના એક નિકટવર્તીના સૌજન્યથી જોવા મળ્યું હતું. આ પુસ્તકત્રયીમાં સાંપ્રતની સાથે અભ્યાસપૂર્ણ રાજકીય-સામાજિક નિસબત ધરાવતાં રંગકર્મી ભરત દવે મળે છે.

‘ભારતીય રંગભૂમિ’ ગ્રંથ ભરતભાઈની રંગભૂમિ તરફની વિદ્યાકીય પ્રતિબદ્ધતા અને ધીરુભાઈ ઠાકર પ્રત્યેની વ્યક્તિગત આત્મીયતામાંને કારણે લખાયા છે તેની હૃદયસ્પર્શી જાણ પ્રસ્તાવનામાં થાય છે.

વિશ્વકોશના શિલ્પી ધીરુભાઈ ઠાકરની આકાંક્ષા અને તેમના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિશ્વની રંગભૂમિને આવરી લેતા એક બૃહદ્દ નાટ્યકોશનો પ્રકલ્પ વિશ્વકોશના ઉપક્રમે શરૂ કરવામાં આવ્યો હતો. આ માહિતી આપીને ભરતભાઈ લખે છે : ‘નાટ્યકોશની સમિતિના એક સભ્ય તરીકે, અને એથી ય વધારે ધીરુભાઈ પ્રત્યેના વિશેષ લગાવ અને આદરને કારણે એ કામ અધુરું રહી ગયાનો આ લખનારના મનમાં એક ઊંડો ખટકો રહી ગયેલો કે આવું મૂલ્યવાન કામ કોઈ પણ સંજોગોમાં પડતું ન જ મૂકાવું જોઈએ. એમાંથી સમાધાનરૂપે આ ગ્રંથ તૈયાર કરવાનો પ્રેરણાત્મક ધક્કો મળ્યો. વ્યક્તિગત પ્રયાસોથી થઈ શકે એટલું કરી છૂટવાનો સંકલ્પ કર્યો,અને દુનિયા આખીને સાંકળતા નાટ્યકોશ પર કામ કરવાને બદલે સૌ પહેલાં પ્રથમ માત્ર આપણી ભારતીય રંગભૂમિની વિગતોને આલેખતા આ ગ્રંથની શરૂઆત કરી.’ 

લેખકે પ્રસ્તાવનામાં આ ગ્રંથની કેટલીક મર્યાદાઓ નિખાલસપણે બતાવીને ‘દરગુજર’ પણ વ્યક્ત કરી છે. તેમણે એમ પણ નોંધ્યું છે કે ‘આ ગ્રંથ અખિલ ભારતીય રંગભૂમિ વિશેની શક્ય એટલી વિગતો ચોક્કસપણે પૂરી પાડે છે. પણ તેનું સ્વરૂપ અને બાંધણી ચુસ્તપણે કોશ અને નાટ્યકોશના જે હોવાં જોઈએ તે નથી. કોશથી અલગ, છતાં ય કોશની ઘણી બધી વિગતો પૂરી પાડતો આ એક અલગ એવો સ્વતંત્ર ગ્રંથ છે.’

ભરતભાઈના બધાં પુસ્તકોની જેમા આ આકર શબ્દકર્મ પણ તેમનાં વ્યાસંગ, વિદ્વત્તા અને પરિશ્રમનું ફળ છે. જો કે કદરભાવથી પ્રેરાયેલા આવકારથી આગળ વધીને આ ગ્રંથસંપુટની સમીક્ષા થાય ત્યારે વિદ્વાનોને ‘બૃહદ્દ નાટ્યકોશ’ એવી સંજ્ઞા ચર્ચાસ્પદ  લાગે એમ બને.

આ ગ્રંથોનું સંદર્ભમૂલ્ય કોશને કંઈક અંશે મળતું આવે તેવું છે. ભારતના લોકજીવનની પરંપરાગત મંચનાકલાઓનો વિસ્તૃત સ્વરૂપે એક સાથે પરિચય કરાવતું ભાગ્યે જ કોઈ પુસ્તક ગુજરાતીમાં હશે. નાટ્યવિદ્યા સંશોધક મહેશ ચંપકલાલ આવકારમાં નોંધે છે : ‘આ ખંડો અને હવે પછી આવનાર ખંડો ખરેખર તો સાદી સરળ ભાષામાં લખાયેલાં માહિતીસભર અને સચિત્ર અધિકરણો જ છે.’

કુમારપાળ દેસાઈ તેમના નિવેદનમાં ‘ગુજરાતી નાટ્યસાહિત્યની જ નહીં પણ ગુજરાતના કલાજગતની મહત્ત્વની સાંસ્કૃતિક ઉપલબ્ધિ’ તરીકે ‘ભારતીય રંગભૂમિ’ ગ્રંથનું ગૌરવ કર્યું છે.

(આભાર : ડૉ. નલિની દેસાઇ, ગુજરાત વિશ્વકોશ)

28 મે 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

28 May 2022 admin
← નાટક કરે છે, જોઈએ
જગત અત્યારે જ્વાળામુખીના મુખ પર →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved