Opinion Magazine
Number of visits: 9446607
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભક્તિ માત્ર ‘રુલ ઓફ લો’ની કરવાની છે !

રમેશ સવાણી|Opinion - Opinion|18 December 2024

જ્યારે સંવિધાનની ચર્ચા થઈ રહી છે, જ્યારે સંસ્કૃતિની ચર્ચા થઈ રહી છે, ત્યારે શક્ય છે કે આપણને દેશદ્રોહી ઠરાવી દે ! 

સપના પાઠકજી

આ હોલમાં બેઠેલા લોકોમાંથી કેટલાંએ બંધારણ વાંચ્યું છે? સંવિધાન રાતોરાત બન્યું નથી. ઘણા સંઘર્ષો બાદ બંધારણ બન્યું છે. આજે આપની સમક્ષ હું બોલી રહી છું તે સંવિધાનના કારણે ! પહેલાં આપણી સંસ્કૃતિ એવી હતી કે પતિનું મૃત્યુ થાય તો પત્નીને સતિના નામે મારી નાખવામાં આવતી હતી. 

આપણે બંધારણની વાતો કરવાની છે, ધર્મની વાતો બંધ કરવાની છે. ધર્મની વાતો બંધ કરવાથી આપણે સારી રીતે જીવી શકીશું. આપણી સંસ્કૃતિ સારી છે તો આપણા યુવાનો વિદેશ શા માટે જાય છે? આપણા બંધારણમાં માર્ગદર્શક સિદ્ધાંતો લખેલાં છે. આપણે ગીતા / કુરાન / બાઇબલ વાંચ્યું હશે પણ બંધારણ વાંચ્યું નહીં હોય; જે આપણને માનવવાદી બનાવે છે. આપણી પ્રતિબદ્ધતા કોઈ વ્યક્તિ પ્રત્યે નહીં, સંવિધાનની પ્રત્યે હોવી જોઈએ. ‘રુલ ઓફ લો – કાયદાનું શાસન’ શું છે તેની જાણકારી હોવી જોઈએ. વિદેશોમાં કોઈ વ્યક્તિ ભક્તિ નથી, રાજકીય ભક્તિ નથી; ત્યાં ‘રુલ ઓફ લો’ છે. કાયદાથી ઉપર કોઈ નથી. 

આપણને એ ખબર જ નથી કે સરકાર પાસે આપણે શું માંગવું જોઈએ. હું વારંવાર કહું છું કે રાજનીતિને સમજો. રાજનીતિ એ વસ્તુ છે કે  બાળક માતાના પેટમાં હોય અને તે જીવન પૂર્ણ કરી મૃત્યુ પામે ત્યાં સુધી રાજનીતિ જોડાયેલી હોય છે. આપણે આપણા પરિવાર પાસે / માતાપિતા પાસે બધી ચીજવસ્તુઓ માંગીએ છીએ. કપડાં / રોટી / શિક્ષણ ! માબાપ ના પાડતાં નથી. માબાપ ભૂખ્યાં રહીને પણ સંતાનોને બધી વસ્તુઓ આપે છે. રાજનીતિમાં જે લોકો બેઠા છે તેમની પાસે પણ આપણે હકો માંગવા જોઈએ; સોશિયલ સિક્યોરિટી માંગવી જોઈએ. તેઓ આપણા રક્ષક છે. જ્યાં સુધી બંધારણના બેઝિક સ્ટ્રક્ચરને / મૂળભૂત અધિકારોને આપણે નહીં સમજીએ ત્યાં સુધી બંધારણનાં મૂળભૂત માળખાંને હાનિ પહોંચાડનારને ઓળખી શકીશું નહીં; આપણે આગળ વધી શકીશું નહીં. આપણે એ પણ વિચારવાનું છે કે મૂળભૂત અધિકારોમાં ‘રાઈટ ટુ વર્ક’નો સમાવેશ થવો જોઈએ. 

આ બધું ત્યારે સમજી શકીએ જ્યારે આપણે ધાર્મિક ઉન્માદથી દૂર રહીએ. આપણે મસ્જિદની નીચે મંદિર શોધીએ છે, પણ આપણે રોજગારનું વિચારતા નથી. આપણને સારું શિક્ષણ મળતું નથી, એની ચિંતા નથી ! વિદેશોમાં 12 ધોરણ સુધીનું શિક્ષણ બિલકુલ ફ્રી છે; આપણે ત્યાં આવું કેમ ન થઈ શકે? આપણે ત્યાં શિક્ષણ પાછળ ખર્ચ કરવાનો છે તે બીજી બાબતો માટે કરવામાં આવે છે. પ્યુન અને પ્રધાન મંત્રીના બાળકોને એક સરખું શિક્ષણ મળવું જોઈએ. કલ્યાણ રાજ્યની સ્થાપના થવી જોઈએ. આજે મોંઘવારી અને બેરોજગારીની વાત કરીએ તો દેશદ્રોહી ઘોષિત કરી દે છે. આપણે એ જોવાનું છે કે કોણ બંધારણીય મૂલ્યો સાથે છે, માનવવાદી મૂલ્યો સાથે છે. 

ટૂંકમાં કોઈ રાજકીય પક્ષની ભક્તિ કરવાની નથી; ભક્તિ કરવી હોય તો ‘રુલ ઓફ લો’ની કરવાની છે ! 

[સૌજન્ય : સપના પાઠકજી, 8 ડિસેમ્બર 2024, સુરત]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

18 December 2024 Vipool Kalyani
← સરસ્વતીચંદ્ર : અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રવેશનું 125મું વર્ષ
ન્યાયની દેવીની પ્રતિમાનું ભારતીયકરણ અને ભારતમાં ન્યાય →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved