Opinion Magazine
Number of visits: 9634836
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણે નાગરિકો છીએ, ચિયરલીડર નહીં!

બીરેન કોઠારી|Opinion - Opinion|7 May 2020

આફત આવતી-જતી રહે છે, ચાહે એ કુદરતી હોય કે કૃત્રિમ. આપણે તેમાંથી શો ધડો લઈએ છીએ એ અગત્યનું છે.

હાલની વિશ્વવ્યાપી આફતનો ભોગ આપણો દેશ પણ બન્યો છે. જો કે, આ આફતનો મુકાબલો કરવાની આપણી રીત આગવી છે. વૈશ્વિક સ્તરે ભલે આપણા દેશના વડાપ્રધાનની કામગીરીની પ્રશંસા થઈ હોય, એ હકીકત છે કે હજી આપણે આ આફત દરમિયાન લેવાઈ રહેલાં પગલાંને સરકારતરફી કે સરકારવિરોધી તરીકે જ મૂલવીએ છીએ. ઉપાય તરીકે તે કેટલા અસરકારક છે કે અસરહીન છે તેની ભાગ્યે જ કશી ચર્ચા થાય છે.

આ સંજોગો અભૂતપૂર્વ છે, અને તેનો સામનો કરવાનો અનુભવ નથી નાગરિકોને કે નથી સરકારને. આ સંજોગોમાં ભૂલ સરકારથી પણ થઈ શકે. સવાલ ભૂલ થવાનો નથી, પણ પગલાંની દિશાનો કે તેની પાછળના ઈરાદાનો છે. સરકાર વતી નાગરિકો જ તેની તરફેણ કરીને બચાવ કરતા જવાબો આપવા લાગે એ ખરેખર વક્રતા કહેવાય. કેમ કે, સરકારના કોઈ પણ કામની આલોચના કરવાનો નાગરિકોનો મૂળભૂત હક, ફરજ અને જવાબદારી છે, અને તેમની ભૂમિકા એ કક્ષાની જ હોવી જોઈએ. આના માટે ચૂંટણીટાણા સુધી રાહ જોવાની જરૂર નથી.

ચૂંટણી વખતના ખેલ આપણી શિક્ષણપદ્ધતિ અંતર્ગત લેવાતી પરીક્ષા જેવા હોય છે. પરીક્ષામાં એવું હોય છે કે આખું વરસ ગમે એ કરો, પણ પરીક્ષાના ત્રણ કલાકમાં લખો એ જ ખરું. એમ બાકીનાં ચાર-સાડા ચાર વર્ષ રાજકીય પક્ષ ગમે એ કામ કરે, ચૂંટણીના સમયે તે જે ખેલ ખેલે એ જ આખરી ગણાય છે. એક નાગરિક તરીકે એવો ભ્રમ પાળવાનું મન થાય કે છેવટે જે તે રાજકીય પક્ષ લોકો દ્વારા ચૂંટાયેલો હોવાથી એ આખરે લોકપસંદગી ગણાય. આવો ભ્રમ સુખદ અહેસાસ કરાવે છે, પણ વાસ્તવિકતા ભાગ્યે જ બદલાય છે.

આવા ગંભીર માહોલમાં પણ કોમવાદ, ધ્રુવીકરણ કે અફવાને પગલે ટોળાં દ્વારા હત્યાના ખેલ ખેલાય, સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલા થાય અને આ મુદ્દે નાગરિકો જ સામસામા બે પક્ષમાં વિભાજીત થઈ જાય એ પરિસ્થિતિ કોઈ પણ રીતે ઈચ્છનીય નથી એટલું જ નહીં, એ શરમજનક છે. આ વિભાજન માત્ર સરકારતરફી કે સરકારવિરોધી જ નહીં, એમાં ય નાત, જાત, ધર્મ, આર્થિક સ્થિતિ, પ્રાંત જેવી કેટલી ય બાબતો પર આધરિત પેટાવિભાજનો હોય છે. આવા માહોલમાં નાગરિકોને પોતાની મૂળભૂત ભૂમિકા શી રીતે યાદ રહી શકે? હકીકતમાં નાગરિકોએ પોતાની આલોચનાત્મક ભૂમિકા સરકાર પૂરતી જ નહીં, પ્રસારમાધ્યમ બાબતે પણ દાખવવાની છે. પરિપક્વતા અને સજાગતાના ગુણ કેળવવા અત્યંત જરૂરી છે. પણ આમ બનતું જણાતું નથી.

પોતાના ઘરમાં સલામતીથી રહી શકે છે એવા અનેક નાગરિકો સરકારનાં કોઈ પણ પગલાંને આંખ મીંચીને સમર્થન આપતાં કહેતા જોવા મળે છે કે સરકાર આટલું તો કરે છે, આનાથી વધીને એ શું કરે? સરકારનાં પગલાંની ટીકા કરનારાને બીજું કોઈ નહીં, આવા બોલકા નાગરિકો જ બારોબાર પૂછે છે કે તમારી પાસે કોઈ બહેતર ઉકેલ હોય તો જણાવો. આ લક્ષણ સૂચવે છે કે આ પ્રકારના નાગરિકો સરકારની જેમ વિચારે છે, કે સરકાર વતી તેના તરફી વિચારે છે. નાગરિકોના માનસનું કઈ હદે પક્ષીયકરણ થઈ ગયું છે એનું આ સૂચક છે. આપણા દેશની લોકશાહીની વક્રતા એ રહી છે કે સત્તાધારી પક્ષ કોઈ પણ હોય, નાગરિકોના આવા માનસમાં ખાસ ફરક પડતો જણાયો નથી. પોતાના પ્રિય નેતામાં તે એ હદે વિશ્વાસ મૂકે કે છેવટે જે તે નેતાને પણ લાગે કે પોતે અવતારથી જરા ય કમ નથી.

આ મહાઆફતમાં એક મુખ્ય લક્ષણ એ જોવા મળી રહ્યું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટે ભાગે બારણા પાછળ છે, અને અગ્રહરોળમાં વહીવટી અધિકારીઓ છે. અલબત્ત, વખતોવખત આ અધિકારીઓને તેમણે લીધેલા નિર્ણયોને આમૂલ બદલાવીને લોકપ્રતિનિધિઓ પોતાના સત્તાધિકારની યાદ અપાવતા રહે છે. આવા નિર્ણયોની વિસંગતિનું કારણ અણઆવડત કે અનુભવનો અભાવ નહીં, પણ રાજકારણના ખેલનો ભાગ હોવાથી એ વધુ ખતરનાક છે. આ વિસંગતિને કારણે જ નિર્ણયો અને યોજનાઓના સરકારી દાવા જાહેરખબર પૂરતા જ રહી જાય છે.

નાગરિકોએ ભલે મત આપીને પ્રતિનિધિઓ ચૂંટ્યા હોય, પણ પોતે તેમના ચિયરલીડર નથી એ યાદ રાખવું જોઈએ. પોતાના ચૂંટેલા પ્રતિનિધિઓ પોતાને ઉત્તરદાયી રહે એ અહેસાસ પ્રતિનિધિઓને કરાવતા રહેવાની જવાબદારી આપણી છે. ફિલ્મસ્ટાર, રમતવીર કે પોપસ્ટાર અને રાષ્ટ્રના વડાપ્રધાનમાં ફરક હોય છે એ હજી ઘણા નાગરિકો તો ઠીક, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ સમજી શકતા નથી. લોકનિસ્બત અને લોકરંજન વચ્ચેનો ભેદ સમજી શકીએ એવી આપણી માનસિકતા હજી કદાચ કેળવાઈ નથી. આખો ખેલ જોતાં એમ લાગે કે ઘણા બધા નાગરિકો જાણે કે ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં છે, તો ઘણા બધા ગાંધારીનો પાઠ ભજવી રહ્યા છે.

આ સમય એવો છે કે તે પસાર થઈ ગયા પછી સામાજિક, આર્થિક સ્થિતિમાં આમૂલ પરિવર્તન આવશે. અનેક સુવિધાઓ કે વ્યવસ્થાઓ ફેરવિચાર માગશે. વ્યક્તિગતથી લઈને સામૂહિક, સ્થાનિકથી લઈને રાષ્ટ્રીય વ્યવહારો બદલાશે એમ અત્યારે લાગી રહ્યું છે. બદલાયેલી પરિસ્થિતિની અસર અનેક ક્ષેત્રે થશે એ જણાઈ રહ્યું છે. આર્થિક રીતે દેશ પાછળ જશે તો એ ગમે ત્યારે આગળ આવી શકશે, પણ નાગરિક તરીકે આગળ વધવાને બદલે આપણે પાછળ ને પાછળ ધકેલાતા જઈ રહ્યા છીએ એ વધુ ચિંતાજનક બાબત છે.

પ્રગટ : ‘ફિર દેખો યારોં’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાતમિત્ર”, 30 ઍપ્રિલ 2020 

Loading

7 May 2020 admin
← કોરોના સામેની લડતમાં સફળ કેરળ મૉડેલ અને નિષ્ફળ ગુજરાત મૉડેલ
રડતી સૂરત’ હોય તો પણ ,’સુરત સોનાની મૂરત ‘ છે અને રહેશે… →

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—326
  • શિક્ષણનું પરચુરણ …
  • ગુજરાતી ચલચિત્ર કંકુ (૧૯૬૯) – એક વિહંગાવલોકન
  • સમતાલક્ષી કોશિશ સામે ‘સવર્ણ’ ઊહાપોહ શીદને 
  • ક્યારે ય ‘આઉટ ઓફ પ્રિન્ટ’ ન થયેલી નવલકથા 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved