Opinion Magazine
Number of visits: 9449037
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘આંટી મેલો તો સમજાય જી !’

રમેશ સવાણી|Opinion - Opinion|15 June 2024

ગંગાસતી અને શબનમ વિરમાણી વિશે થોડુંક કહેવું છે. ગંગાસતી(1846 – 15 માર્ચ, 1894)નાં માતાપિતા હતાં રૂપાળીબા અને ભાઈજીભા જેસાજી સરવૈયા. પિતા ગરાસદાર હતા. ગરાસદાર પરંપરા પ્રમાણે ગંગાબાનાં લગ્ન પછી પાનબાઇ નામની કન્યાને વડારણ / સેવિકા તરીકે તેમની સાથે મોકલવામાં આવી હતી. તેમના લગ્ના 1864માં, 18 વર્ષની વયે, ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા જંકશનથી 9 કિલોમીટર દૂર સમઢિયાળા ગામના ગરાસદાર કહળસંગ કલભા ગોહિલ સાથે થયા હતા. કહળસંગ અત્યંત ધાર્મિક હતા. એમને બે દીકરીઓ હતી. 

ગંગાસતીનાં ભજનો માણસને માણસ થવાનું કહે છે : “જાતિપણું છોડીને અજાતિ થાવું ને કાઢવો વર્ણ વિકાર રે, જાતિ ને ભ્રાંતિ નહીં હરિ કેરા દેશમાં એવી રીતે રહેવું નિર્માન રે !” માણસે કેવી રીતે જીવવું તે “વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ !” ભજનમાં કહ્યું છે. વીજળીને ચમકારે મોતી પરોવવું એટલે અપરંપાર જાગૃતિ રાખવી. મોતી પરોવવા ઘણી એકાગ્રતા અને સ્થિરતા જોઈએ. ક્ષણભરમાં કાર્ય સિદ્ધ કરી લેવાનું હોવાથી અધ્યાત્મ પથ પર અનંત સાવધાની અને જાગૃતિ જોઈએ. પક્ષીઓને આકાશમાં જવાનો કોઈ નિશ્ચિત રસ્તો ન હોય એમ મનુષ્યે પણ ક્ષણે ક્ષણે રસ્તો કંડારતા જવાનું છે. સતત સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. કેવી સાવધાની? વીજળીને ચમકારે મોતી પરોવવા જેવી સાવધાની ! બીજો અર્થ એ છે કે જીવન બહુ ટૂંકું છે, વીજળીના ચમકાર જેવડું. તેથી જે સમય મળ્યો છે એમાં મોતી પરોવી લો ! એક ક્ષણ પછી અંધારું થઈ જશે. મૃત્યુ આવી પહોંચશે. તેથી અંધકાર થઈ જાય તે પહેલા ભગવદ્ પ્રાપ્તિનું મોતી પરોવી લો !

જ્ઞાતિ / જાતિ / ધર્મની સંકુચિતતા મનમાં ન હોય તો જ ગંગાસતી સમજાય. આ વાત કબીરનાં ભજનિક શબનમ વિરમાણી કહે છે. શબનમે ‘વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ !’ ભજન ખૂબ સુંદર રીતે સમજાવ્યું અને ગાયું છે. ભજનની શરૂઆતમાં શબનમ સદ્દભાવની વાત કરે છે, નફરત છોડવાનું કહે છે. એટલે અમુક સંકુચિત માનસિકતા-વાળાએ કોમેન્ટ કરી કે ‘શબનમે ભજનની પથારી ફેરવી નાખી ! આ ભજન સાંભળવું હોય તો ગુજરાતી ભજનિકોને સાંભળો !’ તમે સદ્દભાવની વાત કરો એટલે ટ્રોલ સેના ઊતરી પડે ! ધર્મ માણસ માણસને જોડવાને બદલે વિભાજીત કરવા લાગ્યો છે. એટલે જ ગંગાસતીએ બિલકુલ પરફેક્ટ કહ્યું છે : ‘આંટી મેલો તો સમજાય જી.’

હું ભજન / સંગીતનો નિષ્ણાત નથી, પરંતુ મને કબીરનાં ભજનો ગમે છે. મધ્ય પ્રદેશના પ્રહ્લાદ ટિપનિયા તથા શબનમ વિરમાણી જે શૈલીમાં ભજન ગાય છે, તે ગમે છે. તેમાં વાજિંત્રોનો બહુ ઘોંઘાટ હોતો નથી. સરળતા અને સહજતા હોય છે. શબનમ કબીરજીનું ભજન સરસ રીતે ગાય છે : ‘સકલ હંસ મેં રામ બિરાજે; રામ બિના કોઈ ધામ નહીં !’ ‘વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે’ આ ભજન ગુજરાતી ગાયકોએ ગાયું છે તે બધાં સાંભળ્યાં; પરંતુ શબનમની તોલે કોઈ ગાયક આવી શકે તેમ નથી ! ગુજરાતી ગાયકો ગંગાસતીની આ રચના રજૂ કરતી વખતે તબલા / વાજિંત્રો / મંજીરાના અવાજમાં મૂળ રચના દબાઈ જાય છે અને સ્પષ્ટ રીતે સમજી શકાતી નથી. જ્યારે શબનમે આ રચના જરૂરિયાત પૂરતાં સંગીત સાથે એ રીતે ગાઈ છે જેથી ભજનના શબ્દો ઊંડાણપૂર્વક સમજી શકાય છે.

અહીં ભજન અને ભાવાર્થ આપું છું. પછી શબનમ વિરમાણીને સાંભળો અને ભજનનો આનંદ લો ! લિન્ક ઉપર આપી છે.

વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે, પાનબાઇ !

નહિતર અચાનક અંધારા થાશે જી;

જોત રે જોતાંમાં દિવસો વહી જશે, પાનબાઇ !

એકવીસ હજાર છસોને કાળ ખાશે જી. 

જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ, પાનબાઇ !

અધૂરિયાને નો કે’વાય જી,

ગુપત રસનો આ ખેલ છે અટપટો,

આંટી મેલો તો સમજાય જી.

મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં, પાનબાઇ !

જાણી લીયો જીવ કેરી જાત જી;

સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,

બીબે પાડી દઉં બીજી ભાત જી.

પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુ, પાનબાઇ !

તેનો રે દેખાડું તમને દેશજી,

ગંગા રે સતી એમ બોલિયાં રે સંતો,

ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી.

ભાવાર્થ : જે પળ બચી છે તેનો સદ્દઉપયોગ કરો. મોતી પોરવવાની જે પળ છે તે ગુમાવવાની નથી. આપણે ચોવીસ કલાકમાં 21,600 શ્વાસ ઉચ્છવાસની ક્રિયા કરીએ છીએ તેને ગુમાવવાની નથી. વિષયોમાં ડૂબ્યા રહેવાનું નથી. મનુષ્ય દેહ મળ્યો છે તો પરમ તત્ત્વને પામો. ગુપ્ત છે પણ પ્રગટ પણ છે. આને ખૂબ જ સૂક્ષ્મતાથી સમજી શકાય. અહમ્‌ ભાવ આંટી છૂટે તો અટપટી વાત ઝટપટ સમજાય જાય; પણ અહમ્‌ને મારવો પડે. અભિમાન ત્યાગવું પડે. આત્મસાધનાનું રહસ્ય અધૂરિયાંને અપાય નહીં. જો સંપૂર્ણ શરણાગતિ હોય, ભેદદૃષ્ટિ ટળી ગઈ હોય, અને તમામ દ્વિધાઓની આંટી ટળી ગઈ હોય તો જ એની સમજણ પડે. અભેદ દર્શનથી નાનાં-મોટાં, ગરીબ-શ્રીમંત, નાત-જાત, ધર્મ-પંથ, નારી-પુરુષ, ઠાકર-ચાકર, સજાતિ-વિજાતિના ભેદ મટી ગયા હોય એને જ આ ક્ષેત્રમાં પ્રવેશ મળી શકે. વિજાતી એટલે બીજથી વૃક્ષ જેમ જુદું નથી તેમ જ પરમ તત્ત્વ અને આતમ તત્ત્વ બંને એક જ છે. દેહ તો નાશવંત છે જેનો ગર્વ ન કરાય, માયલામાં જે બેઠો છે તેનો ગર્વ કરવો ! બીબે બીજી ભાત પડી એટલે નિજનું ભાન થવું. પિંડ એટલે આપણું શરીર. આપણું શરીર એ પણ બ્રહ્માંડ જ છે. પરંત ગુરુજી બ્રહ્માંડથી પર છે. જેને દેહભાન ન હોય, માયા ન હોય એ ગુરુ સાચા. જીવાત્મા અને પરમાત્માની પિછાણ કરવાની જુગતિ / યુક્તિ ગંગાસતીએ પાનબાઈને સમજાવી છે. ટૂંકમાં, આંટી મેલો તો સમજાય જી !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

15 June 2024 Vipool Kalyani
← ડાયસ્પોરા સંજ્ઞા વ્યાપક થતાં એની સીમાઓ વિશાળ બની ગઈ છે. 
ચલ મન મુંબઈ નગરી—252 →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved