Opinion Magazine
Number of visits: 9445962
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ રીતે વિશ્વને ગાંધીજીની લડાઈની ખબર પડી હતી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|5 April 2022

મણ જેવા રશિયાએ જ્યારથી કણ જેવા યુક્રેન પર ચઢાઈ કરી છે, ત્યારથી એક મોરચા પર તેની સતત હાર થઇ છે; પ્રચાર યુદ્ધ. રશિયા બધી રીતે ચઢિયાતું છે, પરંતુ પૂરી દુનિયામાં ગુણગાન તો યુક્રેનના પ્રેસિડેન્ટ વોલોડિમિર ઝેલેન્સકીની બહાદુરીનાં થઇ રહ્યાં છે. તેનું એક કારણ એ છે કે રશિયાની નાગાઈ સામે પશ્ચિમનું મીડિયા એક થઇ ગયું છે, અને યુક્રેન કેવા સાહસથી લડી રહ્યું છે, તેના સમાચારો નિયમિતપણે આપી રહ્યા છે. તેના પરિણામે પશ્ચિમ સહિતના અનેક દેશોમાં યુક્રેન તરફી હમદર્દીનો માહોલ પેદા થયો છે.

આ યુદ્ધમાં તમે પ્રેસિડેન્ટ પુતિનના ફોટા કે વીડિયો ભાગ્યે જ જોયા હશે, જ્યારે ઝેલેન્સકી યુદ્ધ પોષકમાં મોરચા પર હોય તેવા ફોટા અને તેમણે મોબાઈલમાં રેકોર્ડ કરેલા વીડિયો દુનિયાભરમાં વાઈરલ થયા છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પત્રિકા 'ટાઈમ'ના કવર પેજ પર યુક્રેન આવી ચૂક્યું છે અને જે રીતે રશિયાનું યુદ્ધ લંબાઈ રહ્યું છે, તે જોતાં 'ટાઈમ'ના કવર પર 'મેન ઓફ ધ ઈયર' તરીકે વોલોડિમિર ઝેલેન્સકી ચમકે તેવી પૂરી સંભાવના છે.

પશ્ચિમના દેશોમાં મીડિયા સરકારી દરમિયાનગીરીથી મુક્ત છે, અને તેનો વ્યાપ પ્રિન્ટથી લઈને ટેલિવિઝન, ડિજીટલ અને સોશ્યલ મીડિયા સુધી છે, પરિણામે તે કોઈ પણ વૈશ્વિક સંકટને તાબડતોબ વિશાળ લોકો સુધી લઇ જાય છે, અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખે છે. એક દેશના ભવિષ્યને અસર કરે તેવી ઘટનાઓમાં વૈશ્વિક મત બહુ અગત્યની ભૂમિકા ભજવે છે, અને તે મત કેળવવાનું કામ સ્વતંત્ર મીડિયા કરે છે.

બહુ ઓછા લોકોને ખબર છે કે ભારતની આઝાદીની લડાઈમાં દુનિયાનું ધ્યાન અમેરિકાના સ્વતંત્ર મીડિયાના કારણે જ ખેંચાયું હતું, અને એથી જ બ્રિટન પર દબાણ વધ્યું હતું. ઉપર વાત કરી તે 'ટાઈમ' પત્રિકા પર ચમકનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ હતી, તેવું પૂછો તો મોટા ભાગના લોકો એક્ટ્રેસ પરવીન બાબીનું નામ આપશે, પરંતુ હકીકત એ છે કે 'ટાઈમ'નું કવર શોભાવનારા મહાત્મા ગાંધી પ્રથમ ભારતીય હતા, અને તેમને કવર પર મુકવાના 'ટાઈમ'ના એ નિર્ણય પાછળ અમેરિકન મીડિયામાં મહાત્માની લડાઈને મળેલી વ્યાપક પ્રસિદ્ધિ હતી.

ગાંધીજી 'ટાઈમ'ના કવર પર ત્રણ વખત ચમક્યા હતા : પહેલીવાર જાન્યુઆરી ૧૯૩૧માં 'મેન ઓફ ધ ઈયર' તરીકે, બીજીવાર જૂન ૧૯૪૭ના અંકમાં અને ૧૯૯૯માં 'પર્સન ઓફ ધ સેન્ચુરી' આલ્બર્ટ આઇન્સ્ટાઇનના રનર-અપ તરીકે.

૧૯૨૦ના દાયકા સુધી અમેરિકન મીડિયા મોટા ભાગે તેમના લંડન સ્થિત સંવાદદાતાઓના અહેવાલો પર આધાર રાખતા હતા, કારણ કે લંડન તે દિવસોમાં વૈશ્વિક રાજનીતિ અને અર્થતંત્રની 'રાજધાની' હતું. એટલે ભારત સંબંધી સમાચારો 'બ્રિટિશ દૃષ્ટિકોણ'થી અમેરિકા અને બીજા દેશોમાં જતા હતા. એમાં મોટા ભાગે બ્રિટનનું સારું જ દેખાતું. જેમ કે જલિયાંવાલા બાગના હત્યાકાંડની વિગતો પશ્ચિમના વાચકો સુધી પહોંચી જ નહોતી.

'સરકારી' સમાચારોની આ પરંપરા તોડી વેબ મિલર નામના અમેરિકન પત્રકારે. તેમાં નિમિત બની ૧૯૩૦ની દાંડી યાત્રા. મીઠાના સવિનય કાનૂન ભંગની આ ચળવળ શરૂ થઇ તે પહેલાંથી મહાત્મા ન્યૂયોર્કમાં ઇન્ડિયન ઈન્ડિપેન્ડન્સ લીગના સંચાલક સાથે સંપર્કમાં હતા, અને તેમણે વિનંતી મોકલી હતી કે અમેરિકન મીડિયામાં આ વિરોધને પ્રસિદ્ધિ મળે. ન્યૂયોર્ક ટાઈમ્સ સમાચારપત્રએ એ અપીલ આ મથાળા સાથે છાપી હતી –  "ગાંધી અહીંથી સમર્થન માંગે છે : ભારતની આઝાદી માટે સાર્વજનિક જનમતની માંગણી."

તેનાં પગલે, અમેરિકનની સમાચાર સંસ્થા યુનાઇટેડ પ્રેસ ઇન્ટરનેશનલનો પત્રકાર વેબ મિલર દાંડી યાત્રા વેળા ગાંધીજીનો ઇન્ટરવ્યુ કરવા માટે ભારત ગુજરાત આવ્યો. મિલર એક માત્ર વિદેશી પત્રકાર હતો, જેણે વલસાડ જિલ્લાના ધરાસણા ગામ પાસે દાંડી યાત્રા પર પોલીસે જે નિર્દયી દમન કર્યું હતું તેનું રિપોર્ટીંગ કર્યું હતું.

મિલરનો એ અહેવાલ વિશ્વના ૧,૩૫૦ અખબારોમાં છપાયો હતો, અને અમેરિકન સેનેટર જ્હોન જે. બ્લેને તેને યુનાઇટેડ સ્ટેટ્સની સેનેટમાં વાંચી સંભળાવ્યો હતો. મીઠાના સત્યાગ્રહની અને પોલીસ અત્યાચારની દુનિયાને જાણ થઇ તે એટલે ભારતના કટ્ટર દુશ્મન વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલ બોલ્યા હતા, “એશિયાની જમીન પર પગ મુક્યો, તે પછી પહેલીવાર બ્રિટિશરોને આવું અપમાન અને અવજ્ઞા સહન કરવી પડી છે.”

મિલર યુદ્ધ-પત્રકાર હતો, અને પ્રથમ મહાયુદ્ધ તથા સ્પેનિશ યુદ્ધ સહિત ઘણા સંઘર્ષો અને લડાઈઓનું રિપોર્ટીંગ કર્યું હતું. તેને પત્રકારત્વના નોબેલ કહેવાતા પુલિત્ઝર પારિતોષિકથી નવાજવામાં આવ્યો હતો. તેણે લખ્યું હતું, “બાવીસ દેશોમાં અઢાર વર્ષના મારા રિપોર્ટીંગમાં મેં ધરાસણા જેવાં ભયાનક દૃશ્યો જોયાં ન હતાં. એ હિંસા જોઈને હું સુન્ન થઇ ગયો હતો. હિંસાની સામે હિંસા જોવા ટેવાયેલા પશ્ચિમના લોકો માટે એ અજબ અને ચકકરમાં નાખે તેવી વાત હતી (કે લોકો ચૂપચાપ માર ખાતા હતા). મને ગૂંગા જાનવરને માર પડતો હોય તેવી ઘૃણા થઇ હતી. થોડું અપમાન અને થોડો ક્રોધ મહેસૂસ થયો. ક્યારેક દૃશ્યો એટલાં પીડાદાયક હતાં, કે હું થોડીવાર માટે નજર ફેરવી લેતો હતો.”

વેબ મિલરના ધરાસણા સત્યાગ્રહના એ રિપોર્ટીંગના કારણે વિશ્વને પહેલીવાર અહિંસક વિરોધની વ્યાખ્યા ખબર પડી : પ્રતિરોધ એટલે સામો હુમલો નહીં, પણ પોતાની જાત પર હુમલો થવા દેવો, પછી ભલે એમાં ઘાયલ થવાય કે મોત આવે. વર્ષો પછી, અમેરિકન ગૃહયુદ્ધમાં માર્ટિન લ્યુથર કિંગ જુનિયર એ શક્તિશાળી રાજકીય ઓજારનો ઉપયોગ કરવાના હતા.

ગાંધીજીના એ અનોખા સત્યાગ્રહના કારણે જ ‘ટાઈમ’ પત્રિકાએ ૧૯૩૦માં તેમને કવર પેજ પર ‘મેન ઓફ ધ ઈયર’ જાહેર કર્યા હતા. સ્વતંત્ર મીડિયાની કેમ જરૂર હોય છે તેનું આ ઉદાહરણ છે.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 03 ઍપ્રિલ 2022

સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીના ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

5 April 2022 admin
← જો તારા દ્વારે કોઈ અણધારી ક્ષણે બાયણું ખખડે તો …
ચાલો, જાતને સવાલો કરીએ (૨) →

Search by

Opinion

  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 
  • કોર્ટને કોર્પોરેટ કંપનીનું હિત દેખાય છે, જાહેરહિત દેખાતું નથી ! 
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved