બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમારે પટણામાં નિમણૂંક પત્ર આપવાના કાર્યક્રમ દરમિયાન મહિલા ડોક્ટર નુસરત પરવીનનો હિજાબ દૂર કરી તેને નિમણૂંક પત્ર આપતા હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર 15 ડિસેમ્બર 2025ના રોજ વાયરલ થયો હતો.
કેટલાંક કહે છે કે ‘આમાં મુખ્ય મંત્રીનો ભાવ પિતા તરીકેનો હતો … વળી હિજાબ જેવી ગંદી પ્રથાનો વિરોધ કરી નીતીશ કુમારે ક્રાંતિકારી પગલું ભર્યું !’
મુસ્લિમ સમુદાયે મુખ્ય મંત્રીની આ હરકતનો જબરજસ્ત વિરોધ કર્યો છે.
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે ‘નીતીશ કુમાર પાસે આવી અપેક્ષા ન હતી. તેમની માનસિક સ્થિતિ પહેલા જેવી નથી રહી. જો પ્રમાણપત્ર માટે મહિલાનો ચહેરો જોવો જરૂરી હતો તો તેમણે મહિલાને નમ્રતાપૂર્વક કહેવું જોઈએ, તેનો હાથ પકડીને હિજાબ ઉતારવો કેટલી હદ સુધી યોગ્ય છે? આ અયોગ્ય અને અસંવેદનશીલ વર્તન છે.’

કેટલાંક ગોડસેવાદીઓને હિજાબથી વાંધો છે, પરંતુ તેઓ ઘૂંઘટ પ્રથા ભૂલી જાય છે !
હિન્દુ મહિલાઓ લાજ કાઢે છે. શું એ લાજ-ઘૂંઘટ કોઈ દૂર કરી શકે? મુખ્ય મંત્રી હિજાબ દૂર કરવાનું મુસ્લિમ મહિલાને કહી શક્યા હોત, અન્ય મહિલાને સૂચના આપી શક્યા હોત. જાતે હિજાબ દૂર કરવાની હરકત ઉચિત કહી શકાય નહીં. મુખ્ય મંત્રી તરીકે જો આવું વર્તન થાય તો સમાજમાં શું સંદેશો જાય?
નુસરત બિહાર છોડીને ચાલી ગઈ છે. તેણે કહ્યું છે : “હું હવે નોકરીમાં જોડાઈશ નહીં. મુખ્ય મંત્રીનો ઇરાદો ગમે તે હોય, મને દુઃખ થયું છે.”
આ મુદ્દો ધર્મનો નથી; સન્માન, વિવેક અને માણસાઈનો છે !
[કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય]
18 ડિસેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

