Opinion Magazine
Number of visits: 9449610
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચોમાસા-ચિંતન

હિમાંશી શેલત|Opinion - Opinion|15 July 2019

તિર્યકી

ચોમાસા દરમિયાન તમે ટીવી પર ગુજરાતીમાં સમાચાર સાંભળશો, તો તમને ખૂબ આનંદ, રોમાંચ, રાહત અને શાંતિનો અનુભવ એક સાથે થશે. આ અનુભવ આપની સાથે વહેંચું ?

– વરસાદ પડશે એટલે રસ્તામાં ખાડા પડશે, રસ્તા પાણીમાં ગરક થશે, ખાડાને કારણે અકસ્માત થશે અને એમ જેટલી મુશ્કેલીઓ વધશે, એના વર્ણન માટે આપણી ભાષામાં એક પ્રભાવક પ્રયોગ સતત પ્રયોજાય છે. તંત્રની પોલ ખૂલી! આ પ્રયોગ ગૂઢ, અર્થસભર અને અત્યંત સૂચક છે. વર્તમાન સમયમાં તમે તંત્ર વિશે કે તંત્રવાહકો વિશે, ઘસાતું બોલતાં અનેક વાર વિચાર કરવાના. તમે ટ્રેન કે બસમાં એમ કરશો તો તમારી સામે ભક્ત-સમુદાય લાલ આંખ કરશે તમે અન્ય જાહેરસ્થળોએ આવું સાહસ કરશો, તો કદાચ ટોળાંની હિંસાનો ભોગ બનશો, સોશિયલ મીડિયામાં ગયા તો તો મોતના સોદા. ગાળોનો ધોધ અને તમારે ગટરમાં સ્નાન કરવાનો વારો. ટૂંકમાં, તમે મૂંગા મરશો, અને હોઠ પર હથેળી દાબી રાખશો, રખેને એકાદો બોલ છટકી જાય તો!

પણ ધન્ય છે ગુજરાતી સમાચારના પ્રસારણને. અહીં બિન્ધાસ્ત બોલી શકાય છે કે ‘તંત્રના બધા દાવા પોકળ નીકળ્યા!’ અને ‘તંત્ર ઉઘાડું પડી ગયું’ અને ‘તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ!’

હવે આમાં ઊંડાણ કેવું છે તે નીરખો. ‘પોલ ખૂલી’ એમ કહેવામાં ‘પોલ છે જ’ એ ગર્ભિત સૂચન છે. પોલ, જે પ્રથમ છે, તે જ ખૂલે છે. એ અચાનક સપાટી પર નથી આવી, એની હયાતી અંગે આપણે જાણીએ છે, પણ એનું પ્રાગટ્ય આપણા તીવ્ર પ્રતિભાવનું કારણ બને છે. તંત્રના દાવા પોકળ ઠર્યા એમ પણ સમાચારમાં બોલાય છે, પણ એમાં પોલ ખૂલવામાં જે ચોટ અનુભવાય છે, તે ગેરહાજર છે. વરસાદ પછી લગભગ પ્રત્યેક નગરમાં ખાડા અર્થાત્‌ ભુવા પડે છે, પાણીના નિકાલ માટેની ‘પ્રિ-મોન્સૂન’ કામગીરી સમાપ્ત થઈ ગઈ હોય છે, છતાં કેટલાક વિસ્તારોમાં હોડી ફરી શકે એટલું પાણી ભરાય છે. આવી સ્થિતિ દરેક ચોમાસામાં હોય જ છે, એટલે ‘પોલ ખૂલી’ એ શબ્દપ્રયોગ અજમઅમર રહેવા સર્જાયો છે, અને એમાં જ એની શક્તિ રહેલી છે. વળી, આ શબ્દપ્રયોગ ‘તંત્ર’ સાથે કેટલો સરસ ભળી જાય છે, નહીં કે? સામાન્ય જનની, શિક્ષણની, ઉદ્યોગપતિની ફિલ્મીજગતની કે અન્ય કશાનીયે પોલ તો હોય અને એ કોઈક દિવસ ખૂલે પણ ખરી, છતાં ‘વહીવટીતંત્રની પોલ ખૂલી’ એમ જાહેર કરતી વખતે સમાચાર આપનાર વ્યક્તિનો ચહેરો ઝળહળી ઊઠે છે અને એ સ્વાભાવિક છે. પોતે શું કરવા શક્તિશાળી છે એની સભાનતા એના ચહેરા પર શા માટે ન ઝળકે? ભલભલાં જે ઉદ્‌ઘાટિત કરતાં ડરે છે, તે એ કરી રહ્યો છે.

– એ સાહસિક છે, સમર્થ છે, નિર્ભય છે, સ્પષ્ટવક્તા છે, સત્યનો લડવૈયો છે, જાગૃત નાગરિક છે, સ્વતંત્રતાનો મશાલચી છે. એ તંત્રને સાફસાફ કહી શકે છે, કે તમારામાં (તંત્રને પોતાનું વ્યક્તિત્વ છે.) પોલાણ છે, નક્કર હોવાની જે કથા સતત કરવામાં આવે છે અને પાછી તારસ્વરે કરવામાં આવે છે, એ પોલી છે – અને એ પોલ હવે ખૂલી ગઈ છે. સૂર્યપ્રકાશમાં એ પોલ જનતાની નજર સામે છે. આમ, બાપોકાર જાહેર કરવામાં એ સમાચાર આપનાર દેશદ્રોહી, રાજ્યદ્રોહી, નગરદ્રોહી નહીં ગણાય. એને કોઈ જેલમાં નહીં નાખે, એને કોઈ કોર્ટમાં ઘસડી નહીં જાય. સોશિયલ મીડિયા પર એને ગાળો આપવામાં નહીં આવે. એ રોજેરોજ ખોંખારીને કહેશે, કે ‘તંત્રની ખૂલી ગયેલી પોલ,’ અને ચોમાસાના પ્રત્યેક દિવસે મોટે ભાગે આ શબ્દો સાંભળવા મળશે. પોલ ન ખૂલે એવા બધા પ્રયાસો તંત્ર કરશે, કારણ કે એ તંત્ર છે, અને પોલ અકબંધ રાખવી એ તંત્રનો સ્વભાવ છે, પરંતુ એ તમામ પ્રયાસો વ્યર્થ જશે. પોલ ખૂલીને જ રહેશે, જાહેર થઈને જ રહેશે, અને જેમને ઢાંકણ વગરનું સત્ય પાત્ર જોવું હશે, તે સહુ જે ઉઘાડું પડ્યું છે તે જોશે, મનને સારું લાગશે. બળબળતા વાતાવરણમાં આ શીતળ ઝરમર ગમશે તમને, આપને !

અબ્રામા, વલસાડ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2019; પૃ. 16

Loading

15 July 2019 admin
← માર્ક એન્ડ્ર્યુ ચાર્લ્સની આત્મહત્યા: IT મેં કામ કરતે કરતે આપની લાઈફ મત ભૂલ જાના
સર્વોદય પ્રવૃત્તિએ કર્યો આશાનો સંચાર →

Search by

Opinion

  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved