Opinion Magazine
Number of visits: 9553294
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીને જાણવા, સમજવાની વાટ

અનિલ વ્યાસ|Diaspora - Reviews|8 December 2025
વિપુલ કલ્યાણી લેખિત અને કેતન રૂપેરા સંપાદિત “પ્રાણપોષક આહાર માટે ગાંધીની ખોજ” પુસ્તકમાં ગાંધીજીના આહાર અને આહાર વિષયક એમની સમજણનો આલેખ જોવા મળે છે. 

અહીં ગાંધીજીના આહાર સાથો-સાથ આહાર બનાવવાની રીતરસમ પણ આવરી લેવાઇ છે. 

હમણાંથી ફાસ્ટ ફૂડ અને લારી ભોજનનો મહિમા વધ્યો છે. શનિ રવિ ગૃહિણી સમેત સહુ રાંધવાની ઝંઝટમાંથી મુક્ત થઈ, તૈયાર અને સ્વાદિષ્ટ ભોજન તરફ વળ્યા છે, ત્યારે પ્રાણપોષક આહારની ચર્ચા અત્યંત જરૂરી બની છે. આ પુસ્તક ગાંધીજીના જીવનપ્રથા સ્વભાવના ઓછાં જાણીતાં પાસાઓને ઉજાગર કરે છે, જે ખાવા પીવાની આદતો વિશે ચિંતન કરવા માટે પ્રેરણાદાયક અને માર્ગદર્શક બનશે.

ગાંધીજીના આહાર સબબ નોંધપાત્ર બાબત – તેમના શાકાહારી (વેજીટેરિયન) ખોરાકનો આગ્રહ અંગેની છે. ઇંગ્લેન્ડ આવવાની મુસાફરી પહેલાં માતા સમક્ષ લીધેલ પ્રતિજ્ઞા પાલન મિશે શરૂ થયેલી આકરી કસોટી લંડન વસવાટમાં ય એમને છોડતી નથી. સ્વાદ, રુચિ, સોડમ અને પરંપરિત રાંધણ … સઘળું ત્યજવું સહેલું ન હતું, વળી, હાડ ગાળી નાખે એવી ઠંડી, પડકારજનક વાતાવરણમાં ગાંધીજી જે રીતે માંસાહાર ત્યજીને ટક્યા રહ્યા તે પ્રેરણાદાયી ને અનુકરણીય છે.

વિપુલભાઈએ ચીવટપૂર્વક ગાંધીજીના વિચારોમાં આવેલા રચનાત્મક પરિવર્તનોને રસપૂર્વક વણ્યાં છે. આ પુસ્તક ગાંધીજીનાં જીવન તથા સ્વભાવનાં ઓછાં જાણીતાં પાસાંઓ ઉજાગર કરે છે.

વિચારપૂર્વક, વીસ વર્ષની ઉમ્મરે નવા આહાર રૂપી ધર્મમાં પ્રવેશતા યુવાનની મૂંઝવણ અને મુશ્કેલીઓ સમજવા જેવી છે. માછલી ને ઈંડા શાકાહારી ગણાય એ યક્ષપ્રશ્ન ત્યારે ય હતો અને આજે પણ છે. સ્વાતંત્ર્યના લડવૈયા મોહનદાસ કરમચંદ ગાંધીની મહાત્મા સુધીની સફરમાં એમને હિમ્મતવાન અને બળવાન બનાવવામાં આહારની નિમિતત્તા ચુકવા જેવી નથી. 

નિમક સત્યાગ્રહ(દાંડીકૂચ)થી આહારમાં નિમક(મીઠું)ના પ્રમાણનો યાત્રાપથ વિપુલભાઈએ ચીંધી આપ્યો છે. તો સાથોસાથ ચોકલેટ, ચા કોફી ઉપરાંત, ખાંડ, દૂધ ને દૂધની બનાવટો અને એની શારીરિક અસરો વિશે  વિચારશીલ વાર્તાલાપ ગમે એવો છે.

વળી, વણરાંધેલા ખોરાક, કાચાંધાન અને માત્ર ફળાહારના પ્રયોગો અંગેની માહિતિ  સમજવા સરખી છે.

બાપુના ખોરાકના પ્રયોગો કરવાનો શોખ ખાસ્સો પ્રસિદ્ધ છે, પણ એની પાછળનાં કારણો, મુશ્કેલીઓ, સફળતા-નિષ્ફળતાની તારવણી  અહીં મળી રહે છે.

આશા છે સહુને, ખાસ તો, યુવાનોને .. ‘ઝેન જી’ પેઢી આ વાંચશે અને  પોષક આહારની આ જૂની મૂડી એમને ગાંધીજીને જાણવા, સમજવાની વાટ અને સક્ષમતા આપશે. 

એટલે જ, વાંચીએ, સમજીએ અને વંચાવીએ એ મનસા સાથે અટકું.

‘પ્રાણપોષક આહાર માટે ગાંધીની ખોજ’, લેખ : વિપુલ કલ્યાણી કેતન રૂપેરા, પ્રકાશક : ૩એસ પ્રકાશન, અમદાવાદ મૂલ્ય: ૧૦૦ રૂપિયા

07 ડિસેમ્બર 2025
e.mail : anilvyas34@gmail.com

Loading

8 December 2025 Vipool Kalyani
← પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 

Search by

Opinion

  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 
  • ભૂખ
  • ગાંધીબાગ કે ગાંધી ભાગ?

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved