RSS – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેની શતાબ્દી ઉજવી રહ્યું છે. પરંતુ તેની સ્થાપનાની પૃષ્ઠભૂમિ શું હતી? તેના વિચારોનો સ્રોત શું છે? આ જાણવું જરૂરી છે તો જ તેની 100 વરસની યાત્રા સમજી શકાય.
1924માં, ગાંધી કાઁગ્રેસના પ્રમુખ બન્યા.
1906માં મુસ્લિમ લીગની રચના થઈ હતી. અને હવે, કાઁગ્રેસ પણ બદલાઈ રહી હતી.
કાઁગ્રેસ અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલ સંસ્થા હતી, તેનું નેતૃત્વ ગોખલે, રાનડે અને તિલક જેવી વ્યક્તિઓના હાથમાં આવી ગયું હતું. કાઁગ્રેસ હવે નરમ રહી ન હતી; તે વધુ આક્રમક બની રહી હતી. તે અંગ્રેજો સામે બળવો કરવા લાગી હતી.
આ નેતાઓ ભારતીય રાષ્ટ્રવાદની વ્યાખ્યા ગૂંથી રહ્યા હતા. યુરોપ અને અન્ય ઘણી સંસ્કૃતિઓની જેમ, તે ધર્મ અને વંશીય ઓળખ પર આધારિત હતું.
પરંતુ ભારતમાં, ઓળખની આ રેખા હિન્દુ-મુસ્લિમ રેખા છે. મુસ્લિમ લીગ મુસ્લિમ ચળવળ બની જતાં, કાઁગ્રેસ હિન્દુ ચળવળ તરફ આગળ વધી. બાલ, પાલ અને લાલ હિન્દુ પ્રતીકો પર હિન્દુઓને સંગઠિત કરી રહ્યા હતા.
મહારાષ્ટ્રમાં બાલ(તિળક)ના ગણેશ પંડાલો, બંગાળમાં પાલ(બિપિન ચંદ્ર)ના દુર્ગા પંડાલો અને પંજાબમાં લાલ(લજપત રાય)ની પ્રાદેશિક હિન્દુ સભાઓ …
1910માં કાઁગ્રેસના અધિવેશનમાં મદન મોહન માલવીયએ આ પ્રાદેશિક હિન્દુ સભાઓની જેમ રાષ્ટ્રવ્યાપી ‘હિન્દુ મહાસભા’ બનાવવાની દરખાસ્ત કરી. આ દરખાસ્ત નિષ્ફળ ગઈ.
ગાંધી 1915માં ભારત આવ્યા. અને તેમણે જે કર્યું તેનાથી આ હિન્દુત્વ ચળવળ સંપૂર્ણપણે બદલી નાખી.
તેમણે રાષ્ટ્રીય ચળવળને, કામદારો (અમદાવાદ મિલ ચળવળ), ખેડૂતો (ચંપારણ), લઘુમતીઓ (ખિલાફત ચળવળ) અને બ્રિટિશ વિરોધી ચળવળ(અસહકાર ચળવળ)ના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરી.
તેઓ આ બધું સહન કરી લેત. પરંતુ મુસ્લિમોને સ્થાન આપવું તે ખરાબ બાબત હતી. વધુમાં, સંગઠન દેશસ્થ અને ચિતપાવનીઓ(ગોખલે, રાનડે, તિલક)ના હાથમાંથી સરકી ગયું હતું.
તેથી, આ અસંતુષ્ટ વ્યક્તિઓ કાઁગ્રેસ છોડવાનું વિચારવા લાગ્યા. કાંગ્રેસના રાજ્ય સચિવ અને પશુ ચિકિત્સક હેડગેવારે પોતાના વર્તુળમાં ચર્ચા શરૂ કરી.
આ સમય સુધીમાં, સાવરકર જેલમાંથી મુક્ત થઈ ગયા હતા. તિલકના શિષ્ય મુંજે બંને વચ્ચે સેતુ બન્યા. એક નવા સંગઠનની રૂપરેખા બનવા લાગી. પરંતુ બધું ધીમી ગતિમાં હતું.
1924માં, ગાંધી પ્રમુખ બન્યા. હવે, કાઁગ્રેસ તેમની નીતિઓનું સંપૂર્ણ પાલન કરી રહી હતી. અને હિન્દુ-મુસ્લિમ એકતા, બંધારણ અને પ્રતિનિધિત્વ વિશે મજબૂત રીતે વાતો કરી રહી હતી.
1924માં RSSની રચના થઈ ન હતી. માત્ર એક બેઠક હતી. બે વર્ષની નિષ્ક્રિયતા પછી, તેઓ ફરી મળ્યા. નામ આપવામાં આવ્યું. ઘણાં નામો સામે આવ્યાં – જરી પતાકા મંડળ, હિન્દુ સેવક સંઘ, ભારત ઉદ્ધારક મંડળ, વગેરે. 1926માં, તેનું નામ બદલીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાખવામાં આવ્યું.
સંગઠનનું નામ તો નક્કી થઈ ગયું. હવે તેની વિચારધારા વિકસાવવાની હતી. તો, પ્રેરણા ક્યાંથી મેળવવી? તેથી, વિકસિત દેશો તરફ નજર કરવામાં આવી. યુરોપ તરફ.
RSSની વિચારધારા મુખ્યત્વે 1924 અને 1940ની વચ્ચે લખાયેલાં પુસ્તકોમાં સમાયેલી છે. આ સમયગાળા દરમિયાન, ફાસીવાદ ઉભરતી વિશ્વ શક્તિ હતી, અને ઇટાલી તેની મક્કા, મુસોલિની તેનો મસીહા.
ઘણા દેશો તેની સફળતાથી આશ્ચર્યચકિત થયા હતા. ઘણા દેશોમાં ફાસીવાદી ચળવળો ઉભરી રહી હતી. ભારતમાં, સુભાષ, સાવરકર અને ગોલવલકર પણ ખૂબ પ્રભાવિત થયા હતા.
તેથી, જે કોઈ વૈચારિક પુસ્તકોની રચના કરવામાં આવી તેનું મૂળભૂત માળખું આ રીતે રચાયું હતું : ઇટાલિયન ફાસીવાદની નકલ કરી. ઇટાલી જગ્યાએ ભારત મૂક્યું. યહૂદીઓની જગ્યાએ મુસ્લિમો રાખ્યા ! ભારતીય ફાસીવાદી વિચારધારા મેગી નૂડલ્સ કરતાં વધુ ઝડપથી બનાવવામાં આવી હતી. કૃષ્ણ, ગીતા, ચાણક્ય, નીચતા, કપટ, અપ્રમાણિકતા, દ્વેષ અને સંસ્કૃત શ્લોકો વગેરે તેમાં સ્વાદ મુજબ છાંટવામાં આવ્યા હતા અને હિન્દુત્વ તરીકે રજૂ કરવામાં આવ્યા !
તે સમયે, યુરોપમાં, મધર લિબર્ટી, મધર જર્મનિકા, મધર ઇટાલી, મધર બ્રિટાનિકા, વગેરે રાષ્ટ્રીય પ્રતીકો તરીકે લોકપ્રિય હતા. તે બધી સિંહ પર સવારી કરતી હતી, તીક્ષ્ણ હથિયારો લહેરાવતી હતી અને અન્ય રાષ્ટ્રોને ડરાવી રહી હતી.
અહીં ભારતમાં, Abanindranath Tagore – અવનીન્દ્રનાથ ટાગોરે ભારત માતાનું નિર્માણ કર્યું. તે ગરીબ, નિરાધાર દેખાતી હતી, એક જ સૂતરાઉ ડ્રેસ પહેરેલી હતી, તેના ચાર હાથમાં પુસ્તક હતું, ડાંગરનો પૂળો હતો, સફેદ કપડું હતું અને ધાર્મિક માળા હતી. આ માતા બિલકુલ ડરામણી લાગતી ન હતી. તેથી તેને નકારી કાઢવામાં આવી.
ભયાનક બ્રિટાનિયા માતાને સાડી પહેરાવવામાં આવી, તલવારની જગ્યાએ ત્રિશૂળ ગોઠવી દીધું. તેમને સિંહ પર બેસાડવામાં આવી. પાછળ ભારતનો નકશો ચોંટાડવામાં આવ્યો ! ભારત માતા પણ તૈયાર હતી.
હવે, સંગઠન માટે ગણવેશની જરૂર હતી. ફાસીવાદીઓનો બ્રાઉન શર્ટ સફેદ રંગમાં બદલી નાખવામાં આવ્યો હતો (કારણ કે તે અહીં પોલીસ ગણવેશ હતો).
હાફ પેન્ટ, કાળી ટોપી અને પટ્ટો એ જ રહ્યો. ફાસીવાદીઓ પહેલા બંદૂકો રાખતા હતા. અહીં લાકડીઓથી કામ ચલાવ્યું. મૂંજેજી આ બધું જાણવા ઇટાલી ગયા હતા. તેણે મુસોલિનીને સલામ કરી અને તેમને ઇટાલીના શિવાજી કહીને પાછા ફર્યા.
મિત્રો, આ રીતે RSSની સ્થાપના થઈ. આ સિક્કાઓમાં સમાન મુસોલિની શૈલીનો પોશાક, મુસોલિની ટોપી પહેરેલા ત્રણ અંધભક્તો માતા બ્રિટનને મજબૂત ફાસીવાદી સલામ આપતા દર્શાવવામાં આવ્યા છે.
માતાના હાથમાં ત્રિરંગો પણ નથી.
આ બતાવે છે કે તેમનું સોફ્ટવેર 1940 પછી અપડેટ કરવામાં આવ્યું નથી. 1945માં બદનામ થયેલ આ વિચારને વૈશ્વિક કચરાપેટીમાં ફેંકી દેવામાં આવ્યો છે. તે સડી ગયો છે, દુર્ગંધયુક્ત અને ઘૃણાસ્પદ બની ગયો છે.
વૈચારિક રીતે જડ, અને સાવરકર – ગોલવલકરના પાનાઓમાં ફસાયેલા લોકો, એ વિચાર, એ પ્રતીકો અને પોતાના અજ્ઞાનની ઉજવણી કરી રહ્યા છે.
તેઓ તેને સિક્કાઓ પર છાપી રહ્યા છે.
હે રામ !
સૌજન્ય : મનીષ સિંહ, ‘X’
2 ઓક્ટોબર 2025.
કાર્ટૂન સૌજન્ય : મન્સૂર નકવી
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર