Opinion Magazine
Number of visits: 9449203
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૨૧) : ‘સંયોગાત્’ 

સુમન શાહ|Opinion - Opinion|13 December 2023

સુમન શાહ

૩૯ વર્ષ પૂર્વે, ૧૯૮૪-માં, ભરત મુનિના રસસૂત્રમાંના ‘સંયોગાત્’ વિશે મેં એક વિશિષ્ટ લેખ કરેલો. એ મારા “સંજ્ઞાન” પુસ્તકમાં સંઘરાયો છે. લેખનું શીર્ષક છે : “ભરતનું રસસૂત્ર : ‘સંયોગાત્’ વિશે નવી અર્થઘટન શક્યાતાઓ”. એ શક્યતાઓ આજે પણ નવી જ રહી છે, કેમ કે વિષયના અધિકારી જ્ઞાતાઓ એને અડેલા નહીં, ચૂપ રહેલા. બાકી, મેં તો નમ્રતાથી લખેલું કે -‘આશા છે કે આ શક્યતાઓની વિશેષ ચર્ચા કરીને અધિકારીઓ આ નવી ક્ષિતિજો આંકવામાં મારા સહભાગી બનશે’. ખૅર.

‘સંયોગાત્’ વિશેના મારા એ વિચારોમાંના કેટલાકને થોડી હળવાશ ઉમેરીને આ લેખ-શ્રેણીમાં નવેસર મૂકું :

સાહિત્યકલાનું પરિશીલન કરનાર સૌ કોઈ સ્વીકારશે કે કોઈપણ કૃતિમાં આલેખન પામેલાં વિભાવાદિ હમેશાં શબ્દ સ્વરૂપે હોય છે. એટલે કે, વિભાવાદિનો બોધ શબ્દોની સંયોજનાને આભારી હોય છે. ‘સંયોગ’ સર્જક કરે છે એમ કહેવાનો અર્થ જ એ છે કે આ શબ્દસંયોજના એની સર્જકતાનું કે લેખનશક્તિનું ફળ હોય છે. શબ્દસંયોજના એટલે શું? ભાષાકીય તત્ત્વોનું સર્જકે સિદ્ધ કરેલું લાક્ષણિક સંરચન.

કોઇ શબ્દસંયોજનાને આત્મસાત્ કરીએ એટલે એને શક્ય બનાવનારાં તત્ત્વો વચ્ચેની સમ્બન્ધભૂમિકાઓને આપણે આત્મસાત્ કરી એમ માનવું જોઈશે. એ જ રીતે એમ પણ માનવું જોઈશે કે વિભાવાદિના ‘સંયોગ’-નો મૂળ આધાર સર્જકે સરજેલું આ શબ્દસંયોજન જ છે. ‘આ દુષ્યન્ત છે, આ શકુન્તલા છે, બન્ને આવું આવું અનુભવી રહ્યાં છે’, એવા નિર્ણય  પર આપણે પ્હૉંચીએ છીએ એ આ શબ્દસંયોજના વિના અસંભવિત છે.

આપણે સમજી લેવું જોઈશે કે એ સંયોજનાને જ આપણે કૃતિનો મૂળ પાઠ – ઓરિજિનલ ટૅક્સ્ટ – કહીએ છીએ અને એ પાઠ જ કોઇપણ અર્થપ્રક્રિયાનો મહત્તમ આધાર હોય છે. પ્રારમ્ભે એ અર્થ વિભાવાદિ રૂપે હોય અને વિભાવાદિનો વિશિષ્ટ અર્થ ભલે પછી કાવ્યાર્થ રૂપે વિસ્તરીને રસાનુભવમાં ઠરતો હોય. એ મૂળ પાઠની સંયોજનાનું અપરનામ કવિકર્મ છે, અને એને જ આપણે સર્જનપ્રક્રિયા પણ કહેતા હોઈએ છીએ.

‘ભાવક-પ્રતિભાવ સમ્પ્રદાય’-ના આધુનિક વિચારકો ભાવકને સહસર્જક ગણે છે. ભાવકમાં ભાવયિત્રી પ્રતિભા રાજશેખરે પણ ભાળી હતી. એ દૃષ્ટિએ ભાવકને સર્જકસદૃશ ગણવામાં કશો દોષ નથી થતો. એટલે હું એમ ઉમેરવા માગું છું કે વિભાવાદિનો ‘સંયોગ’ ભાવક પણ કરે છે.

A child bewildered by erotic scene. – શૃંગારનુ દૃશ્ય જોઇને ડઘાઇ ગયેલો બાળક.

Pic courtesy : Shutterstock.com

આપણે જાણીએ છીએ કે સર્જનની પ્રક્રિયા છે તેમ ભાવનની પણ પ્રક્રિયા છે. ભાવક કૃતિના સમ્પર્કમાં મુકાય કે તરત ભાવનની પ્રક્રિયા શરૂ થઇ જાય છે. એનો સાર એ છે કે ભાવક અભિપ્રેત કાવ્યાર્થને માટે સર્જકે સરજેલી એ શબ્દસંયોજનાને અનુવર્તે છે. એટલે કે સૌ પહેલાં કૃતિને તેના મુખ્યાર્થમાં, અભિધેયાર્થમાં, અત્મસાત્ કરે છે. રસસૂત્રના અર્થઘટનકાર ભટ્ટ નાયક આ અભિધાવ્યાપારને રસાનુભવનો પહેલો તબક્કો ગણે છે. એ તબક્કો કૃતિને તેના સુનિશ્ચિત મૂળ પાઠમાં સ્વીકારવાનો તબક્કો છે. બીજા શબ્દોમાં એમ કહેવાય કે એ તબક્કો સર્જકસંયોજિત શબ્દઘટકોની સમ્બન્ધભૂમિકાઓને પામવાનો એટલે કે પેલા ‘સંયોગ’-ને પામવાનો તબક્કો છે.

જુઓ, ઘટકોની સમ્બન્ધભૂમિકાઓનો નિર્ણય તો થઇ ગયો છે તેમછતાં ભાવક એ ઘટકોને હવે આપમૅળે જોડે છે. એની સમક્ષ હવે ઊપસી રહેલા અનાવૃત્ત અને સુસ્પષ્ટ વિભાવાદિને એનું ચિત્ત નવેસર સંયોજે છે. એ સંયોજના એના સ્વૈરવિહારને માર્ગ નથી આપતી પણ એના ભાષાકીય સામર્થ્યને તેમ જ એની રસકીય સૂઝસમજને પોતાનામાં ખાસ્સો પ્રવેશ આપે છે. જતિને કે બાળકને શૃંગારરસનું નાટક નથી સ્પર્શતું તેનું કારણ એ છે કે સર્જકે સંયોજેલા કૃતિપાઠને તેઓ આ્મસાત્ નથી કરી શકતા, એટલે કે, અપેક્ષિત વિભાવાદિનો બોધ નથી ગ્રહી શકતા. કૃતિની અર્થસૃષ્ટિમાં તેઓને પ્રવેશ અવશ્ય છે, પણ અપેક્ષિત ‘સંયોગ’ નથી રચી શકતા, ને તેથી નિષ્ફળતા પામે છે.

આ દૃષ્ટિદોર અનુસાર સમજાશે કે જ્યાં લગી વિભાવાદિનો ‘સંયોગ’ ભાવક ન કરે કે ન કરી શકે ત્યાં લગી રસનિષ્પત્તિ અને રસાનુભવની શક્યતા ખાસ્સી આવૃત રહે છે. અહીં ઉમેરવું ઘટે કે ‘સંયોગ’ એ જેટલો, જેવો, જ્યાંલગી રચી જાણશે, તેટલો, તેવો અને ત્યાંલગીનો એનો રસાનુભવ હશે. રસાનુભવની આ વ્યાપક સાપેક્ષતા ભાવકની ‘સંયોગ’ રચવાની શક્તિ કે અશક્તિને આભારી છે.

સાહિત્યક્ષેત્રે આપણે વારંવાર જોયું છે કે ભાવક વડે થતી ‘સંયોગ’-ની આ ઉદ્ભાવના – ફિક્શન –  સમુચિત અને સમરૂપ ન હોય ત્યારે રસાનુભવમાં વિઘ્ન આવે છે. (રસવાદીઓએ એ વિઘ્નો અને તેના ઉપાય દર્શાવ્યા છે.) ભાવકના સહૃદયત્વની સમુદાર સક્રિયતા વડે રસાનુભવ દરમ્યાન એ વિઘ્નોનું કામચલાઉ નિરસન થઈ જાય છે ખરું, પણ કેટલીક વાર ઉત્તમ ભાવકથી પણ વિભાવાદિનો સમીચીન ‘સંયોગ’ નથી જ થઈ શકતો. અને ત્યારે ‘પ્રૉબ્લેમ ઑફ મીનિન્ગ’ કે ‘પ્રૉબ્લેમ ઑફ બીલિફ’ જેવા ‘મૅટાક્રિટિકલ’ પ્રશ્નો ઊભા થાય છે.

અબુ સઇદ ઐયુબે રવીન્દ્રનાથ અને બૉદ્લેરનાં પોતાનાં ભાવન અંગે ઊભા કરેલા પ્રશ્નો આ સ્વરૂપના છે. ઍલિયટે ‘હૅમ્લેટ’ સંદર્ભે ઊભો કરેલો ‘વસ્તુલક્ષી સહસમ્બન્ધક’-નો પ્રશ્ન આ સ્વરૂપનો પ્રશ્ન છે. ઐયુબ મર્યાદાદોષ પોતામાં જુએ છે અને સાહિત્યક્ષેત્રનો ભાવનપરક કોયડો ચીંધે છે, તો ઍલિયટ મર્યાદાદોષ શેક્સપીયરમાં જુએ છે અને સાહિત્યક્ષેત્રનો સર્જનપરક કોયડો ચીંધે છે. અહીં નૉંધવું ઘટે છે કે સંભવિત રસાનુભવ પછી પણ આ કોયડાઓ કોયડા જ રહે છે. 

આનું ફલિત એ છે કે સર્જકે સરજેલો ‘સંયોગ’ એ-ને-એ રૂપમાં ઉદ્ભાવના પામશે એની કોઈ ગૅરન્ટી નથી, બલકે એમાં ઉચ્ચાવચતા રહેવાની.

પણ એટલું અવશ્ય સ્પષ્ટ થશે કે રસસૂત્રમાં નિર્દિષ્ટ ‘સંયોગ’-નો વિચાર હમેશાં સર્જન અને ભાવનનાં બેવડાં કેન્દ્રો પર થવો જોઈશે. નહિતર, સૂત્રબોધ એકાંગી થઇ જશે અને કાવ્યસમજ વિકલાંગ રહી જશે.

= = =

(12/12/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

13 December 2023 Vipool Kalyani
← આંબેડકરની પ્રતિભા રસમી ને રાજકારણી ઉજવણાંની મોહતાજ નથી
પડકાર પેદા કરે તે પહેલાં જ કદ પ્રમાણે વેતરી નાંખવાનો →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved