ઝંખું છું સમયથી સમયની સારવાર,
લોહીલુહાણ હાલત થયું મન તારતાર.
રહેવા દે એ મન અહિંસાની વાત ન કર,
શકના ઘેરામાં પડ્યા છે ગાંધીના વિચાર.
હાંસિયામાં મૂક્યા છે જો ઘાવ હવે તો,
એકાદ વિચાર નીકળે ટોળાંની આરપાર.
તૂટી રહ્યા શ્વાસ કોઈ તો સાંધવા આવે,
છોડી દે તું ચિંતા સાગર ઈશ્વરને દરબાર.
સમયનાં વર્તુળમાં રહી થાય કદી ના બેર,
ખુદને હૂંફ આપી કાયમી કરી સારવાર.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com