Opinion Magazine
Number of visits: 9456874
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સામાજિક સંકલનાના રાજકારણનો ચૂંટણીપશ્ચાત્ પડકાર વળી વળીને દેખાય છે

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|1 December 2012

ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે દેશમાં કેમ જાણે બે જ મુખ્ય રાજકીય છાવણીઓ જણાતી હતી : કૉંગ્રેસ-યુપીએ અને ભાજપ-એનડીએ. પણ તરત જ દેવે ગૌડાએ ત્રીજા મોરચાની જાહેરાત કરી; અને પછી તો લાલુમુલાયમપાસવાને પોતે ઉત્તર પ્રદેશ અને બિહારમાં સાથે મળીને લડશે એવી જાહેરાત સાથે લગભગ ચોથા મોરચા જેવી એક નવી પરિસ્થિતિ સરજી છે. તેઓ કેન્દ્રમાં અલબત્ત સોનિયા-મનમોહનની સાથે છે, પણ રાજ્યમાં જુદા છે. દરમ્યાન, ડાબેરી પક્ષો સાથે છેડો ફાડી ચૂકેલી કૉંગ્રેસના નેતા પ્રણવ મુખરજી – એમના ગૃહરાજ્યમાં કૉંગ્રેસ અને તૃણમૂલ કૉંગ્રેસ ભેગાં લડી રહ્યાંનો સંકેત આપતાં સોનિયા ને મમતાનાં સહિયારાં પોસ્ટરો મોટે પાયે દેખાઈ રહ્યાં હોવા છતાં – ચૂંટણી પરિણામો પછી ડાબેરી સમર્થનની સંભાવનાઓ બાબત ખુલ્લા પેશ આવી રહ્યા છે. શરદ પવાર (એનસીપી) કૉંગ્રેસ અર્થાત્ યુપીએની સાથે છે, અને ઓરિસ્સામાં બીજુ જનતા દળ સાથે ચૂંટણીસમજૂતી વાટે ત્રીજા મોરચા સાથે !

સાફ જાહેર છે કે કોઈ ચૂંટણીપૂર્વ સમજૂતી કરતાં વધુ તો સંબંધિત સૌનો મદાર ચૂંટણી પછીના સંજોગો ઉપર છે. મિશ્ર સરકારના રાજકારણથી પરહેજ તો અલબત્ત કરી શકાય તેમ નથી; પણ તે ચૂંટણીપશ્ચાત્ હશે. એક રીતે આપણું રાજકારણ ૧૯૯૬નાં ચૂંટણી પરિણામ પછી દેશમાં સંયુક્ત મોરચાનો જે પ્રયોગ શક્ય અને જરૂરી બન્યો હતો તે તરફ પાછું જઈ રહ્યું છે.

પણ દેશનાં વિવિધ રાજ્યોમાં ચૂંટણીપશ્ચાત્ ગણતરીઓનાં ઉપરછલ્લાં ગણિતોથી હટીને એક પ્રવાહ અને પ્રક્રિયા તરીકે આ બધું શું બની રહ્યું છે તે સમજવાનો વિચાર કરીએ તો ખયાલમાં આવે છે કે ગાંધીનેહરુપટેલના વારાની જે સર્વસમાવેશક કૉંગ્રેસ હતી તેના જેવું કાંક સાધવાની ભલે ઉભડક તો ઉભડક પણ આ કોશિશ છે. દલિત-બહુજન મતબૅન્ક અંકે કરીને માયાવતીએ સર્વસમાજની ફોર્મ્યુલા વાટે ઉત્તર પ્રદેશનું શાસન હાંસલ કર્યું તે પછી મુલાયમસિંહ સામે મોટો પડકાર ઊભો થયો છે અને કૉંગ્રેસ તેમજ ભાજપ હવે ત્રીજાચોથા ક્રમ માટે લડી રહ્યાં છે.

સર્વસમાવેશક કૉંગ્રેસમાં ૧૯૬૯માં ભાગલા પડ્યા તે પછીના ઇંદિરાઈ રાજકારણમાં દલિતો અને મુસ્લિમોને મતબૅન્ક તરીકે પોતાની પાંખમાં લેવા પર ભાર હતો. એક પા માયાવતી તો બીજી પા મુલાયમ પ્રકારનાં પરિબળો આ બૅન્કોમાં વડાં ભાગિયાં તરીકે ઉભર્યાં એ જાણીતું છે. લાલુએ બિહારમાં સિદ્ધ કરેલું 'માય' (મુસ્લિમ-યાદવ) જોડાણ પણ જાણીતું છે.

એક પક્ષ પ્રભાવ પ્રથાના કાળે કૉંગ્રેસ સૌનો પક્ષ હતી, પણ એમાંથી ઓબીસી તબકાને મુલાયમસિંહ ખેંચી ગયા તો દલિત તબકાને માયાવતી લઈ ગયાં. બાકી રહ્યો ઉજળિયાત મધ્યમવર્ગ જેમાં કૉંગ્રેસ સાથે ભાજપની સ્પર્ધા રહી. પરિણામે બેઉ આજે ઉત્તર પ્રદેશ અને બિહારમાં ત્રીજાચોથા સ્થાનની ફિરાકમાં છે. અલબત્ત, બિહારમાં નીતીશકુમાર અને જનતા દળ ( યુ)ની બાંય પકડીને ભાજપ કંઈ આશ્વસ્ત હોય એ જુદી વાત છે.

૧૯૯૨ના બાબરીધ્વંસ સાથે પોતાને ટોચ પર માનતો ભાજપ તે પછી ૧૯૯૩ની રાજ્યચૂંટણીમાં કદ મુજબ વેતરાઈ ગયો, કેમકે ત્યારે મુલાયમસિંહ અને માયાવતી ભેગાં થઈ ગયાં હતાં. કૉંગ્રેસ તો ભાજપે ખેંચેલ શહેરી મધ્યમવર્ગ અને મુલાયમે ખેંચેલ ઓબીસી તો માયાવતીએ ખેંચેલ દલિતને કારણે કદ મુજબ વેતરાયેલ હતી જ.

ઉજળિયાત મધ્યમ વર્ગ તેમજ ઓબીસી અને દલિત, દરેકને નામે અલગ અલગ રાજકીય દુકાનદારીએ વિખંડિત જનાદેશ અને વિખંડિત રાજકારણનો માહોલ બનાવ્યો છે. ભાજપે દાખલ કરેલ 'હિંદુ' પરિમાણમાં એનો જવાબ નથી; કેમકે તે વળી હિંદુ વિ. મુસ્લિમ તરેહના ખાનામાં લોકને વહેંચી નવું વિખંડન સરજે છે. યુપીએ અને એનડીએ પોતપોતાની રીતે આ વિખંડનને બદલે 'સર્વ' માટેની કોશિશો છે જે આપણને માયાવતી-બહુજનસમાજ પાર્ટીની સર્વસમાજ ફોર્મ્યુલામાં પણ અનુભવાય છે.

તેથી ચૂંટણીપશ્ચાત્ જે પણ સામસામા જમાવડા સરજાય એમણે ગૃહના અંકગણિત સાથે કામ પાડવા ઉપરાંત જે મનોગણિત જોડે કામ પાડવાનું છે તે વ્યાપક સામાજિક સંકલનાના રાજકારણના નિર્માણનું હોવું જોઈશે. અડવાણીના મંદિરવાદે અને વીપીના મંડલવાદે, જે કરવાનું હતું તે કર્યું. નમોના મંડલમંદિર સંમિશ્ર અભિગમે પણ જે કરવાનું હતું તે કર્યું. પાયાનો સવાલ, સમતામંડિત એવા નવા સમાજ માટે સૌના રાજકારણને ધોરણે વિકલ્પ તરીકે ઉભરવાનો છે. ત્રીજાચોથા મોરચાઓ કે બીજા (કૉંગ્રેસ સાથે મળીને/ ટેકાથી) આવું વલણ કેળવી શકશે કે કેમ તે બાબતે આપણે સ્વાભાવિક જ ચોક્કસ નથી. ૨૦૦૯ ની સંભવિત મોરચા સરકાર અને ૨૦૧૨ લગીમાં સંભવિત નવી ચૂંટણી વચ્ચે સામાજિક સંકલનાનું ગાંધીનેહરુપટેલ કે પછી ગાંધીલોહિયાજેપીઆંબેડકર એવા કોઈ રાજકીય સંગઠન-સંકલનની ભૂમિકા બનશે ? ન જાને.

Loading

1 December 2012 admin
← રાજ્યમાં મહિલા નીતિની વ્યાપક ચર્ચા જરૂરી
Modi’s McLuhan moment →

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved