Opinion Magazine
Number of visits: 9449148
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જય સિયારામ યાને એસ્થેટિક્સ ઑફ ટૉલરન્સ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|11 August 2020

સોવિયેત રશિયામાં ડૉ. ઝિવાગોના લેખક પાસ્તરનાક પર જુલમની વાત બહાર આવી ત્યારે નેહરુએ તે વખતની સાહિત્ય અકાદમીમાં એક ખાસ ઠરાવ પસાર કરાવી સોવિયેત સરકારને સર્જક સાથે ધોરણસરના શાલીન વર્તાવ માટે ચીમકી આપી હતી. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં તેમ જ કાશ્મીર પ્રશ્ને સલામતી સમિતિમાં ભારતની તરફેણમાં ‘વીટો’ વાપરવાની રૂસી પેરવીની જરૂર હતી. છતાં નેહરુએ જાહેર જીવન અને સાહિત્યક્ષેત્રમાં અપેક્ષિત સહૃદયતાના ઉજાસમાં આ ભૂમિકા લીધી હતી. તેમાં હું સહિષ્ણુતા અને સમભાવનું સૌંદર્ય જોઉં છું.

વચલા બધાં વડાપ્રધાનોને ચૂકાવીને પહેલા વડાપ્રધાનની આ વાત સંભારવાનું નિમિત્ત મને અલબત વર્તમાન વડાપ્રધાને પૂરું પાડ્યું છે અને તે માટે હું એમનો ઓશિંગણ છું. ૨૦૧૮ની કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ઝુંબેશ કરતા તેમણે એક ચિત્રકાર કરણ આચાર્યનો વિશેષ ઉલ્લેખ કેમ જાણે કર્ણાટકગૌરવ તરીકે કર્યો હતો અને એ સંદર્ભમાં એમના ચિત્ર (વ્યંગચિત્ર) “એન્ગ્રી હનુમાન”નો ઉલ્લેખ કર્યો હતો. પૌરુષમત્ત આ હનુમાન એ નથી જેને આપણે વાલ્મીકિ રામાયણ મારફત ઓળખીએ છીએ. પ્રથમ મુલાકાત પછી રામ અને લક્ષ્મણ માંહોમાંહે વાત કરે છે કે કેવું સરસ વ્યક્તિત્વ છે હનુમાનનું — આટલી ચોખ્ખી ભાષા બોલે છે. વાલ્મીકિ કહો, તુલસી કહો, કંબન કે ગિરધર કહો આપણી સામે આવતી હનુમાનની મુરત રામ, લક્ષ્મણ અને સીતાનાં ચરણોમાં નમસ્કાર મુદ્રામાં બેઠા હોય એવી છે. સમર્પિત ભક્તહૃદય અને વીરવ્રતી સંકટમોચક એ જરૂર છે, પણ કરણ આચાર્યના મોદીચહેતા એન્ગ્રી હનુમાન એ નથી તે નથી.

આજથી ત્રણેક દાયકા પાછળ ચાલ્યા જાવઃ ઉત્તર પ્રદેશમાં બે જણા ભેગા થાય તો એમનું સ્વાભાવિક અભિવાદન, કહો કે ગૂડ મોર્નિંગ શું હતું – આજે પણ હશે, ‘જય સિયારામ’. પણ કથિત રામ જન્મભૂમિઆંદોલને જે સમો બાંધ્યો એમાં બદલાયેલ તેવર “જય શ્રીરામ”નાં લગભગ યુદ્ધનાદમાં જોવાસાંભળવા મળે છે. લગભગ એમ જ કહો ને કે આપણા ભાઈ દારાસિંહ જે હનુમાન રૂપેરી પડદે લઈ આવ્યા છે તે અને આ મેળમાં છે. વાલ્મીકિ રામાયણ વાંચતા હનુમાન સાથેનો આપણી પહેલી મુલાકાત, ક્યારે થાય છે? જ્યારે રામ અને લક્ષ્મણ પરસ્પર વાત કરતાં કહે છે કે આ કેવી સ્પષ્ટ શુદ્ધ ભાષામાં બોલે છે. તે નક્કી કોઈ સચ્છીલ ચારિત્રવાન વ્યક્તિ લાગે છે. પરાક્રમી ખરા, પણ પૌરુષમત્ત  નહીં. તમે “જય સિયારામ”ને સ્થાને “જય શ્રીરામ”નું સ્થાપન જોશો તો તમને સમજાશે કે જાહેર જીવનમાં સહિષ્ણુતા અને સમભાવનું સૌંદર્ય ન હોય તે શું છે.

મેં જાણીબૂઝીને ભાષાને ધોરણે માંડણી કરી છે. લુઇ મમ્ફર્ડે નગરશાસ્ત્ર વિશે ખાસી મીમાંસા કરેલી છે. મનુષ્યને, નાગરિકને, બાકીનાં પ્રાણીજગતથી જુદું તારવી આપતું તત્ત્વ શું છે એમ પૂછશો તો મમ્ફર્ડ કહેશે કે ભાષા. માર્શલ મેક્લુહાન જેવા બાકીના પ્રાણીજગતથી મનુષ્યની ઓળખ ઓજારો અને તાંત્રિકીને ધોરણે કરે છે. પણ મમ્ફર્ડ કહેશે એની ભાષા તો જુઓ.

(૨૭ મે ૨૦૧૮, ગોવા)

૫મી ઑગસ્ટે વડાપ્રધાને ભૂમિપૂજન પ્રવચનમાં જય શ્રીરામને બદલે સિયારામને ધોરણે વાત કરી, તેમાં અપેક્ષિત પુનર્વિચારનું નૈતિક દાયિત્વ એમને વાસ્તવમાં અભિમત હશે કે કેમ એવી મૂંઝવણવશ, આ એક સાંભરણ

e.mail : prakash.nireekshak@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 10 ઑગસ્ટ 2020; પૃ. 01

Loading

11 August 2020 admin
← સ્ત્રી …
આખો દેશ અડાયા પર બેઠો છે ? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved