Opinion Magazine
Number of visits: 9449999
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આશાવાદ નહીં, આયોજન અને સાવચેતી

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|19 May 2020

લૉક ડાઉન ખૂલી ગયું તેની રાહત કોને ન હોય? સપ્તાહોથી ઘરમાં પુરાયેલાં અનેક લોકો પાછા આર્થિક પ્રવૃત્તિમાં જોડાઈને પોતાનું-પરિવારનું ક્ષેમકુશળ સાધવા મચી પડશે, તેનો આનંદ પણ ખરો. અમદાવાદ-સુરતના અમુક વિસ્તારો સિવાય રાજ્યભરમાં લૉક ડાઉન હળવું કરવાનો સરકારી નિર્ણય સમજી શકાય એવો છે. તેની પાછળ બે પ્રકારની મજબૂરી કારણભૂત હશેઃ ૧) લૉક ડાઉન રાખીને પણ આપણે કશું ઉકાળી શક્યા નથી. કોરોનાના કેસમાં વધારો જ થતો રહ્યો છે. ૨) આમ ને આમ લૉક ડાઉન ક્યાં સુધી લંબાવ્યા કરવું? હવે ઉઘાડું મૂકી જોઈએ.

કોરોનાનો પ્રકોપ હજુ જરા ય ઓસર્યો નથી અને એ નહીં પ્રસરે, એવું તો જરા ય કહી શકાય તેમ નથી. એવા સંજોગોમાં સરકારી નિર્ણય આંધળુકિયું પણ લાગે. સામે પક્ષે એવી દલીલ કરી શકાય કે, આવા સંજોગોમાં બીજું થઈ પણ શું શકે? એક વાર આર્થિક પ્રવૃત્તિ પહેલાંની જેમ ધમધમતી થઈ જાય, એટલે બધું બરાબર થઈ જશે, એવો આશાવાદ આવા સમયે મન પર સવાર થતો હોય છે. આવા બંને બાજુના વિચાર પછી પણ, ‘બધું ખોલી નાખવાનો નિર્ણય સવળો ન પડ્યો ને અવળો પડ્યો તો તેના માટે કોઈ ‘પ્લાન બી’ સરકાર પાસે હશે?’ એવો સવાલ ચોક્કસ થાય. પછી યાદ આવે કે આખી કોરોના-કટોકટીમાં જે સરકાર પાસે ‘પ્લાન-એ’ જ ન હતો, તેમની પાસેથી આવી અપેક્ષા શી રીતે રાખી શકાય? અને કોઈ પણ સરકાર પાસે જવાબદારી બીજા પર ઢોળી દેવાનો સનાતન ‘પ્લાન-બી’ તો હોય જ છે.

કેન્દ્ર સરકાર હોય કે ગુજરાત સરકાર, કોરોનાકાળમાં તેમનો વહીવટ પાઠ્યપુસ્તકોમાં સામેલ કરવો પડે એવો બની રહ્યો છે. અલબત્ત, એ પ્રકરણનું મથાળું હશેઃ ‘આયોજન કેવી રીતે ન કરવું’. કાર્નિવાલો ને મેળાવડા ને જગતના સૌથી લાંબા ચાલતા ડાન્સ ફૅસ્ટિવલ ને વાઇબ્રન્ટ ને પ્રવાસી ભારતીય દિવસથી માંડીને ‘નમસ્તે ટ્રમ્પ’ સુધી એવો ભ્રમ ઊભો કરવામાં આવ્યો હતો કે બીજું ગમે તે હોય, આપણી સરકારો ને આપણા સાહેબોનું આયોજન એટલે કહેવું પડે. અમદાવાદ-ગાંધીનગર જેવા શહેરોમાં થતા એ તાયફાના જોશીલા પ્રચારની રંગતમાં એ તો ભૂલી જ જવાયું કે આમાનાં મોટા ભાગનાં આયોજનો સરકારનું કામ જ નથી. પ્રજાને મનોરંજનમાં ગુલતાન રાખીને મહત્ત્વના મુદ્દા ભૂલાવી દેવાનું મૉ઼ડેલ તો રોમનું હતું. એકવીસમી સદીમાં લોકશાહીમાં સરકારો એવું શી રીતે કરી શકે? અને એટલું ઓછું હોય તેમ, તેના આયોજન બદલ જશ પણ ઉઘરાવે? બીજી હકીકત એ કે શહેરી આયોજનોમાં કેટલા ચાલુ રૂટની એસ.ટી. બસો બંધ રાખીને, એ બસોને કાર્યક્રમની સફળતા માટે ફાળવાઈ અને એ રુટ પર તે દિવસે લોકોને વિના વાંકે કેટલી હાડમારી વેઠવી પડી, એ મિસમૅનેજમૅન્ટ કે અસંવેદનશીલતાનો હિસાબ માંડવાની સરકારને પરવા ન હતી અને ઘણા નાગરિકોને એ દેખાતો કે જોવો ન હતો.

કોરોના-કટોકટીએ સરકારની આયોજન-કુશળતાનો પ્રચારવાયુથી ફાટફાટ થતો ફુગ્ગો ફોડી નાખ્યો છે. વડાપ્રધાનથી માંડીને ગુજરાતના મુખ્ય મંત્રીએ પુરવાર કરી આપ્યું છે કે આટલાં વર્ષે પણ તેમને આયોજન કરતાં આવડતું નથી. એટલું જ નહીં, તેમને એની જરૂર પણ નથી લાગતી. કોમી ધ્રુવીકરણ-રાજકારણના કુટિલ કાવાદાવા – કોઈ પણ ભોગે પોતાના વાવટા ફરકાવવા સિવાયની બીજી બધી ક્ષમતાઓ તેમને મન ગૌણ લાગે છે અને પોતાનું રાજકીય હિત મુખ્ય. વડાપ્રધાન એ ખેલમાં સૌથી મોટા ખેલાડી છે. એટલે લોકરંજનીના ફૂટેજ ખાઈ લીધા પછી હવે જવાબદારી લેવાની આવી ત્યારે તેમણે હાથ ખંખેરી નાખ્યા છે. તેમને લાગે છે કે કોરોનાની ઐસીતૈસી, દિલ્હીના હાર્દ સમા સેન્ટ્રલ વિસ્ટા વિસ્તારનું વીસ હજાર કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્માણ કરવાથી ઇતિહાસમાં તેમનું નામ અમર થઈ જશે. એટલે, આર્થિક તંગીના આવા વસમા ગાળામાં પણ તેમના લાડકા પ્રોજેક્ટને આગળ વધવાની મંજૂરી મળી ગઈ છે. દુનિયાનું ઊંચામાં ઊંચું પૂતળું બનાવી દીધા પછી પણ તેમને ધરવ થયો નથી. ઘણા સમય પહેલાં એક લેખમાં આ પદ્ધતિને મૅનેજમૅન્ટના ‘ડિઝનીલૅન્ડ મૉડેલ’ તરીકે ઓળખાવી હતી, જેમાં દર થોડા સમયે તમારે (કશું નક્કર નહીં કરવાની અવેજીમાં) નવી રાઇડ ઉમેરતા રહેવું પડે.

લૉક ડાઉનના બબ્બે મહિના થવા આવ્યા. છતાં સડકો પર ચાલતા ને વતન પાછા જવા માટે હિંસાનો આશરો લેતા શ્રમિકો આ સરકારોની ફક્ત નિષ્ફળતા જ નહીં, અસંવેદનશીલતાનું પણ પ્રતીક છે. આ મામલે સરકારી અસંવેદનશીલતાની ઊંચાઈ સરદારના પૂતળાને પણ આંબી ચૂકી છે. વડાપ્રધાનને એ વાતની હૈયાધારણ હશે કે ચૂંટણીઓ તો હજુ ચાર વર્ષ દૂર છે. ત્યાં સુધી આપણા ડિઝનીલૅન્ડમાં સર્જિકલ સ્ટ્રાઇક જેવી એકાદી એકાદ ‘એડવૅન્ચર રાઇડ’ આણી દઈશું એટલે થયું. તેમનો આવો આત્મવિશ્વાસ ખોટો પાડવાનું કામ કોઈ રાજકીય પક્ષ નહીં કરે. એ નાગરિકોએ જ કરવું પડશે.

દરમિયાન, માસ્ક ચુસ્ત રીતે પહેરવો, માસ્કના આગળના ભાગને હાથ અડાડવો નહીં, રોજ માસ્ક સાબુના પાણીથી ધોવો, હાથ પણ સાબુથી ધોતા રહેવું — આ બધી કોરોનાકાળના આરંભે અપાયેલી જાણકારીનો હજુ પણ ચુસ્તીપૂર્વક જ અમલ કરવાનો રહે છે. બહાર હરવાફરવાનું શરૂ કરી દેનારા સૌએ તો ખાસ — અને તે સરકારે કહ્યું છે માટે નહીં, પોતાની ગરજે, પોતાના પરિવાર માટે. કેમ કે, કોરોના વાઇરસને આપણે આશાવાદી હોઈએ કે નિરાશાવાદી, તેનાથી કશો ફરક પડતો નથી.

e.mail : uakothari@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 19 મે 2020

Loading

19 May 2020 admin
← કામદારો માટે કોરોના કરતાં લૉક ડાઉન બદતર છે
લોકડાઉનમાં લોકો (ગો)ડાઉન? →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved