આ વખતે surprise થઈ કારણ કે ગાંધીએ જાહેર કરેલું કે કહેવાનું બધું જ કહી દીધું છે. સોનેટની અપેક્ષા ન રાખવી. પણ એ ખોટું ઠર્યું. હરહંમેશની જેમ જ મારા બાણુંમા જન્મદિને સોનેટ અને ગુલાબ હાજર હતાં. અને આંખમાં પાણી સાથે મેં એ સહર્ષ સ્વીકાર્યાં. આ રહ્યું એ સોનેટ !
— પન્ના નાયક
– મંદાક્રાન્તા –
તારે મોઢે પુનરપિ પુન: એકની એક વાત
જાણું, સુણું: “વય વરસ નેવુથી ઝાઝેરી થૈ છે.
ઝાઝું જીવી, ઘણું અનુભવ્યું, સુખ ને દુઃખ ઝાઝું,
તો યે એની નથી નથી કરી મેં ફરિયાદ ઝાઝી.
જુઓ, જુઓ સ્વજન જ ગયાં કૈં દઈ હાથતાળી
બા, બાપાજી, વડીલ જન સૌ, પાંચ ભાઈ, બહેનો
નાના મોટા, ફટ ફટ પડ્યા, હું રહી એક બાકી.
ઠેકાણે છે સુધબુધ બધું ત્યાં સુધીમાં જવું છે,
થાકી છું હું, બસ બહુ થયું. નાથ હે મુક્તિ આપ.
સૂતા ભેગી બસ સરી પડું ચિર નિદ્રા મહીં હું.”
“વ્હેલી મોડી સફર સહુની પૂરી થાશે અવશ્ય,
એ હું જાણું, જવું જ જવું છે તો ભલે તું સિધાવે,
જીવી ઝાઝું જીવતર રૂડું, ધન્ય ને સુખદાયી,
તારા વિના જીવન જીરવાશે નહીં એ ય જાણું.”
− નટવર ગાંધી
![]()


આ ટારઝન જેવા કોઈ કાલ્પનિક પાત્રની કે ઘનઘોર જંગલમાં રહેતા કોઈ ચીલાચાલુ આદિવાસી માણસની વાત પણ નથી. આ એવા એક માણસની વાત છે કે, જેણે બ્રહ્મપુત્રા નદીમાં સાવ બંજર બની ગયેલા ટાપુ પર આખેઆખું જંગલ ઊગાડ્યું છે! એણે ખાલી વૃક્ષો જ વાવ્યાં નથી, પણ એવી સૃષ્ટિ ખડી કરી છે; જેમાં વન્ય પ્રાણીઓ પોતાની જાતે વસવા આવી ગયાં છે – હરણ, વાંદરા, સસલાં, સાપ, વાઘ, હાથી અને ગેંડા સમેત!

૨૦૧૮ની સાલમાં બહુ જાણીતી બનેલી ફિલ્મ ‘હાથી મેરે સાથી’ એના કામના આધાર પર અને મોલાઈ વનમાં બનાવવામાં આવી હતી. જાદવના આ કામનો ચિતાર આપતા એક બાળ પુસ્તકમાં એની આ તસ્વીર એને મળેલી પ્રસિદ્ધિનો ખ્યાલ આપે છે –

‘જય ભીમ’ નારો આજકાલ સંઘર્ષનું પ્રતીક બન્યો છે એના કરતાં આંબેડકરની ભક્તિનું પ્રતીક વધારે બની ગયેલો લાગે છે. આંબેડકરે તો ન્યાય માટે સંઘર્ષ કરવાનું શીખવ્યું હતું, ભક્તિ કરવાનું નહીં. તેમણે પોતે બંધારણ સભામાં તા.૨૫-૧૧-૧૯૪૯ના રોજ છેલ્લું ભાષણ આપતાં કહ્યું હતું કે, “ધર્મમાં ભક્તિ આત્માની મુક્તિનો માર્ગ હોઈ શકે છે. પરંતુ રાજકારણમાં ભક્તિ અથવા વીરનાયકની પૂજા પતન અને છેવટે તાનાશાહીનો માર્ગ નિશ્ચિત બનાવે છે.” આ માણસની ભારત વિશેની દીર્ઘદૃષ્ટિ તો જુઓ! આજના અંધ રાજકીય ભક્તિયુગને કેવી રીતે જોવો જોઈએ?
મહાન વિદ્વાન ભાષ્યકાર અને ૧૯૪૧ના અંગ્રેજ શાસન સામેના પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી એવા વિનોબા ભાવેએ જગતના ઇતિહાસનું એક અભૂતપૂર્વ આંદોલન ચલાવ્યું હતું : ભૂદાન આંદોલન. તેમાં ૧૯૫૦ના દાયકામાં દેશના ધનવાન ખેડૂતોએ ગરીબ ખેતમજૂરોને પોતાની ૫૦ લાખ એકર જમીન દાનમાં આપેલી અને હજારો ગરીબો જમીનના માલિકો બનેલા. આવી અહિંસક ક્રાંતિ જગતના ઇતિહાસમાં, તેની અનેક મર્યાદાઓ છતાં, થઈ હોવાનું જાણમાં નથી.
સાબરમતી આશ્રમના હૃદયકુંજ કરતાં પણ વધારે સાદગીયુક્ત લાગે આ આશ્રમ. એમ થાય કે આવો મહાન માણસ આવી ઝૂંપડીમાં રહેતો હતો! આશ્રમની સૌ પ્રથમ ઝૂંપડી એટલે આદિ નિવાસ. સો રૂપિયાથી વધુ ખર્ચ ન જ થવું જોઈએ એ બાંધવામાં એવી એમણે સૂચના આપેલી! એ ઝૂંપડામાં જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલ સહિતના કેટકેટલા મહાન નેતાઓ આવતા હતા!