'સાહેબ, હજી બી.એ.નું રિઝલ્ટ નથી આવ્યું, ત્યાં એમ.એ.નું ફોર્મ કેવી રીતે ભરું?'
'ભાઈ, બી.એ. પછી કરો તો વાંધો છે?'
•
કેટલાકને ડાયાબિટીસ હોય છે તો કેટલાકને દોઢ ડા'યાબિટીસ !
•
'સાહેબ, શું લાગે છે, ત્રીજી લહેર આવશે?'
'આવે પણ, કારણ મહેનત તો બધાં જ કરી રહ્યાં છે …'
•
'લગ્ન પછી માણસ શું કરે છે?'
'પસ્તાવો.'
•
'મેળાવડામાં 400ને છૂટ ને મરણમાં 40ને, તો મરણમાં 400ને બોલાવવા શું કરવાનું?'
'10 વખત મરવાનું.'
•
'રખાત અને પત્ની વિશે કૈં કહો.'
'રખાત જાણતી હોય છે કે પત્ની છે જ્યારે પત્ની ન પણ જાણતી હોય કે …'
•
'તમે પુન:લગ્નમાં માનો છો?'
'ના. તું?'
'રાહ જોઉં છું.'
•
'અલ્યા, પત્ની ગુજરી જાય તો તું બીજી કરે?'
'એની ક્યાં માંડે છે! મારા વાળી તો વિધવા પુનર્લગ્નનો લાભ લેવા વ્રત કરે છે.'
000
e.mail : ravindra21111946@gmail.com
![]()


અપવાદો હશે જ, પણ એક સમયે મોટે ભાગની શાળા-કોલેજોમાં 15 જૂનથી શૈક્ષણિક સત્ર શરૂ થઈ જ જતું અને દિવાળીની આસપાસ એ સત્ર પૂરું પણ થતું. એવું જ બીજા સત્રમાં ફેબ્રુઆરી-માર્ચ સુધી શિક્ષણ કાર્ય ચાલતું ને માર્ચ- એપ્રિલ પરીક્ષામાં જતો. લગભગ બધી સ્કૂલો-યુનિવર્સિટીઓ એ પ્રમાણે પરીક્ષાનું શિડ્યુયલ ગોઠવતી ને વિદ્યાર્થીઓ તેને અનુસરતા. આજે એ વ્યવસ્થા લગભગ પડી ભાંગી છે. કોરોનાએ દોઢ વર્ષ શિક્ષણનું બગાડયું છે અને ઓગસ્ટનું સપ્તાહ થવા આવ્યું છે, છતાં પ્રવેશ અને પરીક્ષાઓનું ઠેકાણું પડતું નથી. નવી શિક્ષા નીતિ લાગુ કરી દેવાઈ છે ને એમાં ઘણું બધું સારું હોવા છતાં તે હાલના સંજોગોમાં લાગુ થાય એમ નથી ને ધારો કે લાગુ થાય તો પણ તેની અસરકારકતા ન જણાય તેવી સ્થિતિ છે. ગયે વર્ષે ઓનલાઈન શિક્ષણ લાગુ કરવું જ પડે એમ હતું, પણ તે બધે લાગુ થઈ શક્યું નથી. ભણવા – ભણાવવા કરતાં વિદ્યાર્થીઓ ને સ્કૂલો પરીક્ષામાં વધુ વ્યસ્ત રહ્યાં છે. પરીક્ષાઓ લગભગ ઓપન બુક એક્ઝામ જેવી રહી છે ને બોર્ડ દ્વારા તો પરીક્ષાઓ જ નથી લેવાઈ, છતાં તેના એ1, એ2 ગ્રેડ અપાયાં છે. સી.બી.એસ.ઈ.નાં એક પરિણામમાં તો 500માંથી 498 ગુણ અપાયા છે ને તેમાં ય અંગ્રેજી ને સંસ્કૃત જેવાંમાં 100માંથી 100 અપાયા છે. કોણ જાણે કેમ પણ, ભાષામાં આ પ્રકારનું માર્કિન્ગ સમજાતું નથી. ગણિત, વિજ્ઞાનમાં 100 આવે તે સમજાય, પણ ભાષામાં 100 સમજાતા નથી. એ પછી પણ વિદ્યાર્થીઓની ભાષા કેવી હોય છે તે સૌ જાણે છે.