Opinion Magazine
Number of visits: 9585152
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્ફુલ્લિન્ગ (6) સાહિત્યસર્જન પછીની ભાવિ કોઈપણ જાહેર વાત વિશે 

સુમન શાહ|Opinion - Literature|27 December 2025

સુમન શાહ

સાહિત્યસર્જન પછીની ભાવિ કોઈપણ જાહેર વાત Objective હોવી જોઈએ. આ ઉલ્લેખ ૨૦૨૫ જેટલા વર્તમાન સમયમાં ય કરવો પડે છે, એ શરમજનક છે. 

objective એટલે વસ્તુલક્ષી, અને વસ્તુલક્ષી શું તે જો સમજાવવું પડે, તો એ પણ શરમજનક છે. 

એ જાહેર વાત કરનારો જો વસ્નતુલક્ષી નહીં રહ્યો હોય ને વ્હાલાંદવલાંલક્ષી રહ્યો હશે તો કૃતિની સાહિત્યિક ગુણવત્તા, કલાસૌન્દર્ય વિશે સંકેત, કૃતિ વડે સાહિત્યના ઇતિહાસમાં કશું ઉમેરાયું કે કેમ, વગેરે તત્ત્વોને પામી નહીં શકે, અને તેથી આપણને દર્શાવી નહીં શકે. આ ઉલ્લેખ કરવો પડે છે એ પણ શરમજનક છે. 

આપણે ત્યાં, અનેક સાહિત્યિક વાદ આવ્યા, કોઈ કોઈ સ્થિર થયા, મોટા ભાગના હમ્મેશને માટે ગયા, પણ એક પહેલેથી સ્થિર અને સુદૃઢ રહ્યો છે, એનું નામ છે, મારા-તારાવાદ. એથી સરજાયેલી આપણી મનોવસ્થા રુગ્ણ અને દયનીય છે. 

હવે, એમાં ઉમેરાયાં છે પુસ્તકનાં લોકાર્પણો કે વિમોચનો. એમાં objectivity નથી, બલકે પુસ્તકને જ object ગણી લેવાયું છે!

મારી દૃષ્ટિએ લોકાર્પણ સાહિત્યિક સ્વાસ્થ્યનો નાશ કરનારો અને ગંદકી ફેલાવનારો ચેપી રોગ છે. 

લોકોને એટલે કયા લોકોને પુસ્તક અર્પણ કરાય છે, એ લાજવાબ સવાલ છે. પુસ્તકમાં શું છે એ વિશે ભાગ્યે જ કશું કહેવાય છે. એથી પુસ્તકનું વિમોચન નથી થતું. એ બચારું તો રંગરંગીન ગ્લૉસી પેપરમાં બંધાયેલું ને તેથી ગૂંગળાયેલું રહે છે. પુસ્તકની વાત માંડતા એકાદ વક્તવ્યનો અભાવ હોય તો પુસ્તકના સત્ત્વનો સાક્ષાત્કાર નથી થતો.

લોકાર્પણની ભયાનક આડપેદાશ એ છે કે તે પછી એ પુસ્તકની જવલ્લે જ કશી વાત થાય છે. મોટાભાગનાં લોકાર્પણો એ અર્થમાં સાહિત્યઘાતક નીવડે છે. 

પ્રકાશકો પણ ચુમાતા રહે છે કેમ કે લોકાર્પણને જ કારણે પુસ્તકો વેચાય, એમ નથી થતું. ધંધો વિકસ્યો કે લોકાર્પણ પાછળ નર્યો ખર્ચો થયો — એ વિશે વધુ તો એઓ જાણે છે ને સાચું કહે તો આપણને ખબર પડે. 

આપણે ત્યાં આજકાલ સદ્ સમીક્ષાઓ ખાસ જોવા નથી મળતી એનું એક મહા કારણ 

લોકાર્પણો છે.

ચકમકતા નવા વાઘા સજીને પુસ્તક ધરીને ઊભેલા સાત-આઠ જણમાં મોટાભાગનાઓને સાહિત્ય સાથે કશી લેવાદેવા નથી હોતી. એટલે એમાં એક પણ સાહિત્યકાર ન દેખાય તો મને તો એ દૃશ્ય જોઈને ચીતળી ચડે છે. ચીતળી બીભત્સ રસનો સ્થાયી ભાવ છે. 

એ લોકોને શા કારણોથી જોડવામાં આવે છે, એ જાણીતું છે, તેમછતાં, કહું કે આખી ઘટના બજારુ અને બિનસાહિત્યિક છે. 

સૌ સાહિત્યકારો એથી લલચાય છે, એને સ્થાને સૌ એનો ધરાર વિરોધ કરે, એ સાહિત્યધર્મ છે.  

નહિતર, એ પ્રજ્ઞાપરાધ છે.  

= = =

(271225A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

27 December 2025 Vipool Kalyani
← સરકારે શ્રમિકોને ભગવાન ભરોસે છોડી દીધાં છે !

Search by

Opinion

  • સરકારે શ્રમિકોને ભગવાન ભરોસે છોડી દીધાં છે !
  • બળાત્કાર પીડિતાનું કોઈ નથી, ઈશ્વર પણ નહીં !
  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved