Opinion Magazine
Number of visits: 9449459
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નવી શિક્ષા નીતિમાં ‘શિક્ષા’ કેટલી ને શિક્ષણ કેટલું?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|4 August 2020

૨૯ જુલાઈએ કેબિનેટે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી દીધી છે ને તે સંસદની મંજૂરી મેળવી લેશે તો ૨૦૨૧થી લાગુ થાય એમ બને. ૩૪ વર્ષે શિક્ષણની નીતિ બદલવાનું સૂઝ્યું છે તે આવકાર્ય છે. બીજું, આઝાદી પછી કદાચ પહેલીવાર માતૃભાષા અને પ્રાદેશિક ભાષાનું આટલું મહત્ત્વ શિક્ષણ નીતિમાં સ્વીકારાયું છે. આટલાં વર્ષોમાં અંગ્રેજી આપણા લોહીમાં એટલું ઘૂસી ગયું છે કે માતૃભાષા કે પ્રાદેશિક ભાષામાં શિક્ષણ આપવાની વાત કેટલી સ્વીકારાશે તે પ્રશ્ન જ છે.

સી.બી.એસ.ઈ. એવા વિદ્યાર્થીઓ માટે છે જેમના વાલીઓની બદલી ભારતમાં ગમે ત્યાં થાય છે. ધારો કે કોઈ અધિકારીની ગુજરાતથી બંગાળમાં બદલી થાય છે ને એના સંતાનને અમદાવાદની સ્કૂલમાંથી કલકત્તાની સ્કૂલમાં જવાનું થાય છે તો માતૃભાષામાં શિક્ષણ કેટલું ખપ લાગે તે વિચારવાનું રહે. જેને ગુજરાતીમાં શિક્ષણ અપાતું હોય તેણે કલકત્તા જઈને બંગાળી શીખવાનું થાય, કારણ ત્યાંની માતૃભાષા તો બંગાળી છે ! હવે એ જ વાલીની વરસેકમાં ચેન્નાઈ બદલી થાય છે તો તેણે ત્યાંની માતૃભાષા કે પ્રાદેશિક ભાષામાં શીખવાનું? એમ કરવા જાય તો વાલી ને વિદ્યાર્થીની શી દશા થાય તે સમજી શકાય એવું છે. પણ, આ સી.બી.એસ.ઈ. પૂરતો જ પ્રશ્ન છે ને ત્યાં માતૃભાષા એક નથી. એવી સ્થિતિમાં અંગ્રેજી કે હિન્દીમાં જ શિક્ષણ આપવાનું વધારે હિતાવહ ગણાય. અહીં માતૃભાષાનો આગ્રહ રાખી શકાય નહીં.

વારુ, જે એક જ રાજ્યમાં છે ત્યાં જે તે પ્રદેશની ભાષા કે માતૃભાષામાં શિક્ષણ આપવામાં કોઈ મુશ્કેલી ન પડવી જોઈએ. જો કે માતૃભાષામાં શિક્ષણ, પ્રિ-પ્રાયમરી કે પાંચ ધોરણ સુધી સીમિત ન થવું જોઈએ. ગુજરાત જેવામાં તો તે ૧૨ ધોરણ સુધી વિસ્તરવું જોઈએ.

આ તબક્કે પ્રિ-પ્રાયમરી કે આંગણવાડીનો વિચાર પણ કરવા જેવો છે. આમ તો નવી શિક્ષણ નીતિ પ્રમાણે એનું શિક્ષણ માતૃભાષામાં કે પ્રાદેશિક ભાષામાં જ થવું જોઈએ, પણ એ વ્યવહારુ કેટલું તે પ્રશ્ન છે. સાધારણ રીતે તો માતાપિતા એવી ઘેલછાનો શિકાર હોય છે કે તેમનું બાળક અંગ્રેજી જ શીખે. કે.જી.-નર્સરી નામો જ જુઓને. તે અંગ્રેજીનો જ મહિમા કરે છે. તેને કોઈ સંસ્થા પૂર્વ પ્રાથમિકને નામે ઓળખાવતી નથી. સંસ્થાનું નામ પણ મોટે ભાગે અંગ્રેજીનો જ મહિમા કરતું હોય છે. નવી શિક્ષણ નીતિમાં પૂર્વ પ્રાથમિક શિક્ષાનો વિચાર થયો છે. એનો અર્થ એવો થાય કે સરકારે પૂર્વ પ્રાથમિકની વ્યવસ્થા હાથમાં લીધી છે. અહીં પ્રશ્ન ફીનો આવવાનો. અત્યારની સ્થિતિ એવી છે કે એવી સંસ્થાઓ ખાનગી રહે ચાલે છે ને એની તગડી ફી લેવાય છે. હવે જો પ્રાથમિક શિક્ષણ મફત આપવાનું સરકાર ઠરાવી બેઠી હોય તો પૂર્વ પ્રાથમિક શિક્ષણ સરકાર મફત કરવાની છે? એ મફત કરવું જોઈએ, કારણ સરકારે નવી નીતિમાં તેનો ઉલ્લેખ એમ કર્યો છે કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ તેની જવાબદારી છે.

એકાદ દિવસ પર જ વડા પ્રધાને ટ્વીટર પર ભારતીય ભાષાઓનો મહિમા કરતા કહ્યું છે કે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં અપાતાં, બાળક સહેલાઈથી બધું શીખી શકશે. એ સાચું છે. કેટલી બધી ભાષાઓનો ખજાનો ભારત પાસે છે! હું નથી માનતો કે કોઈ દેશ પાસે આટલું ભાષા વૈવિધ્ય હશે. એ પણ સારી વાત છે કે સંસ્કૃત પણ ગંભીરતાથી શીખવાશે. વડા પ્રધાને લોક્લનું મહત્ત્વ તો સ્વીકાર્યું જ છે, તે સાથે જ ગ્લોબલનો સ્વીકાર પણ કર્યો છે. અહીં જ વૈશ્વિક કક્ષાનું શિક્ષણ મળી રહે તો વિદેશ જતું યુવાધન દેશમાં જ રહે એ મોટો લાભ છે. વિદેશની યુનિવર્સિટીઓને અહીં આમંત્રિત કરીને, વૈશ્વિક કક્ષાનું શિક્ષણ આપવા ઘણી વિદેશી ભાષાઓ શીખવવાની વાત પણ વડા પ્રધાને કરી. જો કે ચીની ભાષાને છેલ્લી ઘડીએ પડતી મૂકવાની વાત બરાબર નથી. એ ખરું કે ચીના ખરાબ છે એટલી ચીની ભાષા ખરાબ નથી, છતાં એ પોલિસી હોય તો તેને માન આપવું જ રહ્યું.

એટલું છે કે એક આદર્શ તરીકે આ પોલિસીમાં કેટલુંક ખરેખર સારું છે, પણ આપણા ભ્રષ્ટ તંત્રોમાં એ કેટલું પ્રેક્ટિકલ છે તે જોવાનું રહે. એક તરફ લાખો શિક્ષિત બેકારો છે. તેની સામે શાળા પાસે પૂરતી સંખ્યામાં શિક્ષકો નથી. આવું કરનારા શિક્ષણ વિભાગના જ અધિકારીઓ છે. પૂરતાં પાકાં મકાનો શાળાઓ માટે નથી, ત્યાં વિદેશી યુનિવર્સિટીઓને અહીં શિક્ષણ આપવા તેડવાની વાત કેટલી ગળે ઊતરે? એ બધું મફતમાં થવાનું છે? એને માટેનું જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ તેની ત્રેવડ છે ખરી? કે એને અહીં બોલાવીને અછતનો પાઠ આપણે ભણાવવા માંગીએ છીએ? સવાલોનો સવાલ તો એ પણ છે કે જો એ વ્યવસ્થા એમને માટે સરકાર ઊભી કરવાની હોય તો એવી વ્યવસ્થા અહીંના લોકોને માટે કરવામાં દુખાવો કેમ થાય છે? એ યુનિવર્સિટીઓ અહીં આવીને મફત ભણાવવાની છે? તો એમ સમજવું કે હુંડિયામણ કમાવવાની નવી સગવડ આપવાની સરકારની ગણતરી છે? જો વિદેશી યુનિવર્સિટીઓ અહીં આવીને રોકાણ કરવાની હોય તો એ નફો કોનામાંથી રળશે? કે આ બધું દયા, દાન ધરમમાં થવાનું છે? આપણા ધંધા મંદા ચાલતા હોય ત્યાં વિદેશીને ધંધાની સગવડ ઊભી કરવાનું યોગ્ય ખરું? એમાં વળી અત્યારે આત્મનિર્ભરતાનો વાવર ચાલે છે ત્યાં વિદેશી યુનિવર્સિટીઓને તેડવાથી કયો હેતુ સરશે?

વારુ, જે આપણી સંસ્થાઓ છે તેનું શું કરવાનું છે? એને સુધારવાની છે કે એ બંધ કરીને વિદેશી સંસ્થાઓ માટે દરવાજા મોકળા કરી આપવાના છે?

નવી શિક્ષા નીતિમાં એક વાત એવી પણ છે કે આર્ટ્સ કે સાયન્સ જેવું જડ વિભાજન હવે નહીં રહે. ઘણી વખત એવું બને છે કે કોઈ વિજ્ઞાન શાખામાં પ્રવેશ મેળવે ને સમય જતા ન ફાવે ને વિદ્યાર્થી કોમર્સ કે આર્ટ્સમાં જવા માંગે તો તેણે નવો પ્રવેશ જે તે વિદ્યાશાખામાં લેવો પડે. નવી નીતિમાં એવું નથી. કોઈ વિજ્ઞાનનો વિદ્યાર્થી સંગીત કે અર્થશાસ્ત્ર શીખવા માંગે છે કે કોઈ ગુજરાતી ભણતો વિદ્યાર્થી ફિઝિક્સ પણ શીખવા માંગે છે તો તે ગુજરાતી સાથે જ ફિઝિક્સ શીખી શકે એવી સગવડ ઊભી કરવામાં આવશે. આવું બધું થઈ શકે તો તેનો આનંદ જ થાય, પણ ફરી પેલો સવાલ આવે કે એ પ્રેક્ટિકલ કેટલું છે? જરા વિચારો કે આપણે ત્યાં આર્ટ્સ, કોમર્સ, સાયન્સની સ્પષ્ટ ઓળખ દાયકાઓથી ધરાવતી કોલેજો છે. ત્યાં કોલેજો કે સ્કૂલોમાં, એકમાં અનેકની અનુકૂળતા કરવાનું સહેલું છે? એક દાખલો જોઈએ. એક વિદ્યાર્થી કોમર્સ કોલેજમાં અર્થશાસ્ત્ર શીખે છે. એને એકાએક કેમિસ્ટ્રી શીખવાનું મન થયું ને તે અર્થશાસ્ત્ર સાથે કેમિસ્ટ્રી શીખવા માંગે છે તો કોમર્સ કોલેજે કેમિસ્ટ્રી શીખવવાની વ્યવસ્થા કરવાની રહે. તેણે કેમિસ્ટ્રી શીખવવા માટે સ્ટાફની, લાઈબ્રેરીની, લેબોરેટરીની એમ બધી જ વ્યવસ્થા ઊભી કરવી પડે. આ સહેલું છે? એવી જ રીતે બોટની શીખતા કોઈ વિદ્યાર્થીએ ફાઈન આર્ટ્સનો કોર્સ કરવો છે, તો સાયન્સ કોલેજે ફાઈન આર્ટ્સની કોલેજનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ સમાંતરે ઊભું કરવું પડે. એ સહેલું છે?

ધારો કે ૨૦૨૧થી નવી શિક્ષણ નીતિ અમલમાં આવે છે તો અત્યારની જે આર્ટ્સ, કોમર્સ કે સાયન્સની કોલેજો છે ને તે એક બેની સંખ્યામાં કે એકાદ શહેરમાં જ છે એવું નથી. આખા દેશમાં તે હજારોની સંખ્યામાં છે. તેનું શું કરવાનું? તેને ભંગારમાં કાઢવાની છે? એના પાટિયાં બદલીને સરકાર કહે છે તેમ આર્ટ્સમાં વિજ્ઞાન કે વિજ્ઞાનમાં કોમર્સની વ્યવસ્થા કરીને કોલેજે તેની આર્ટ્સ કે કોમર્સ કે વિજ્ઞાનની હાલની ઓળખ ગુમાવીને નવો અવતાર ધારણ કરવાનો છે ને એ સહેલું છે? વ્યવહારુ છે? આ રીતે સ્નાતક થયેલાઓને જે ડિગ્રી અપાશે તે કયા નામથી અપાશે? વિદ્યાર્થીને સામાન્ય ડિગ્રી આપવાની થશે? તે વિજ્ઞાન શીખ્યો છે કે સંગીત તે પણ તરત ખબર નહીં પડે. આપણામાં એટલી સમજ તો છે કે મદ્રાસી હોટેલમાં આપણે ગુજરાતી થાળી નથી માંગતા. ગુજરાતી થાળી ખાવી હોય તો મદ્રાસી હોટેલમાં જતા જ નથી. ધારો કે એમાં બેસી પણ જઈએ ને એમ થાય કે ગુજરાતી જ ખાવું છે તો ત્યાંથી ઊઠીને ગુજરાતી થાળીની હોટેલે જ પહોંચીએ છીએ. પણ એ મુદ્દે મદ્રાસી હોટેલવાળા સાથે ઝઘડો નથી કરતા કે ગુજરાતી થાળી કેમ નથી?

એવાં કેટલાંય લોકો છે કે વિજ્ઞાનના સ્નાતક થયા પછી જુદી સંસ્થામાં જઈને સંગીત કે પેઈન્ટીંગ શીખ્યા હોય. એમાંના કોઈએ સાયન્સ કોલેજમાં તબલાં ઠોકવાનો આગ્રહ નથી રાખ્યો, પણ સરકારને એવું થયું છે કે એકમાં છો બીજું ઘૂસતું! એણે થોડું ભણવા/ભણાવવાનું છે કે સંતાપ? પણ એમાં બાવાના બે ય બગડી શકે તે ધ્યાનમાં રાખવા જેવું છે. કળા, સાહિત્ય કે વિજ્ઞાન કોઈને માટે પણ શીખવાની વ્યવસ્થા થવી જ જોઈએ. એનો વાંધો જ નથી, પણ એમાં કોલેજો કે સ્કૂલોની ખીચડી કરવાથી કયો વિશેષ હેતુ સરે છે તે નથી સમજાતું.

૦

e.mail : ravindra21111946@gmail.com

સૌજન્ય : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 ઑગસ્ટ 2020

Loading

4 August 2020 admin
← ગાંધીજીએ સૌથી ઓછો પ્રવાસ કાઠિયાવાડમાં કર્યો હતો
સાંસદ આદર્શ ગામ યોજના : ફેરવિચારની જરૂર →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved