
મહાદેવી વર્મા
મહાદેવી વર્મા દ્વારા લખાયેલાં રેખાચિત્ર અને સંસ્મરણો ભારતીય સાહિત્યનો વારસો છે. તેમની પાસે જવાહરલાલ નેહરુ વિશે એક એવું સંસ્મરણ પણ છે, જેનું શીર્ષક છે : ‘જવાહરભાઈ’.
મહાદેવી નેહરુ સાથેની તેમની પ્રથમ મુલાકાત વિશે લખે છે કે તે સમયે તે અલ્હાબાદમાં ક્રાસ્થવેટ ગર્લ્સ કોલેજમાં ધોરણ 7ની વિદ્યાર્થિની હતી. એક દિવસ તેને આચાર્ય કુમારી તુલાસકર સાથે આનંદ ભવન જવાનો મોકો મળ્યો અને તે શાળાના ગણવેશમાં જ બિસ્તરા લઈ તેની શિક્ષિકા સાથે આનંદ ભવન જવા રવાના થઈ. નેહરુ સાથેની આ પ્રથમ મુલાકાતમાં, મહાદેવી તેમના મનમાં પડેલી ઊંડી છાપ વિશે લખે છે કે ‘તેમની દૃષ્ટિમાં સ્વપ્નિલ વિશેષતા હતી. સામે ઊભેલી વ્યક્તિને લાગ્યું કે જાણે એ આંખો તેની બહાર કંઈક જોઈ રહી છે.’
જ્યારે તે તેની શિક્ષિકા સાથે આનંદ ભવનથી પરત ફરવા લાગી, ત્યારે તે બેગ ભૂલીને બહાર આવી ગઈ. નેહરુ મહાદેવીનો થેલો બહાર લાવ્યા અને તેમને પૂછ્યું, ‘આ પુસ્તકો તમારા છે?’ જ્યારે મહાદેવીએ સ્વિકાર કરતાં માથું હલાવ્યું, ત્યારે નેહરુએ ઠપકો આપ્યો અને કહ્યું – ‘શું હાસ્યાસ્પદ વાત છે! પુસ્તકો ફેંકતા ફરી રહ્યાં છો. વાંચતા શું ધૂળ હશો?’
મહાદેવી લખે છે કે ‘શું હાસ્યાસ્પદ વાત છે’ વાળો ઠપકો તેમને નેહરુ દ્વારા પછી પણ ઘણી વખત સાંભળવા મળ્યો હતો.
એક મોટર અકસ્માતમાં મહાદેવીનો પગ ભાંગી ગયો, નેહરુએ કહ્યું ‘કેટલી હાસ્યાસ્પદ વાત છે, તમે તમારો પગ જ ભાંગી નાખ્યો.’ જ્યારે મહાદેવી ઘણા મહિનાઓ સુધી અસ્વસ્થ રહ્યાં ત્યારે નેહરુએ કહ્યું હતું કે ‘શું હાસ્યાસ્પદ વાત છે, તમે વારંવાર બીમાર પડો છો.’ મહાદેવી લખે છે કે તેણે ત્યારથી નહેરુને સેંકડો વખત જોયા હતા, પરંતુ ‘કોઈપણ સંજોગોમાં તેમના માનવીય રૂપમાં કોઈ ફરક જોવા મળ્યો નહીં.’
તેમણે વડા પ્રધાન તરીકે નેહરુની મુલાકાતનો રસપ્રદ અહેવાલ આપ્યો છે. બન્યું એવું કે લેખકોના કોપીરાઈટ સંબંધિત મુદ્દા અંગે મૌલાના આઝાદ સાથે વાત કરવા મહાદેવીને દિલ્હી જવું પડ્યું. તેમણે નેહરુને મળવાનું પણ નક્કી કર્યું, પરંતુ મહાદેવીએ આ મુલાકાતનો સમય અગાઉથી નક્કી કર્યો ન હતો. જ્યારે તે નેહરુને મળવા તીન મૂર્તિ પહોંચ્યાં, ત્યારે તેમના અંગત સચિવે કહ્યું કે પૂર્વ-નિર્ધારિત સમય વિના તેમને મળવું શક્ય નથી, અને ‘અહીં તો લોકો 10-10 દિવસ રાહ જોઈ પડ્યા રહે છે’.
વાત મહાદેવીને ચુભી ગઈ. તેણે વળતો જવાબ આપ્યો, ‘તે વડા પ્રધાનની વ્યસ્તતાનો પુરાવો હોઈ શકે છે, પરંતુ જેઓ 10-10 દિવસ પડ્યા રહે છે, તેમની નવરાઈનો ચોક્કસ પુરાવો છે. તમે જાઓ અને તેમને જાણ કરો કે મહાદેવી પ્રયાગથી આવ્યાં છે અને તેમને આજે જ પાછા ફરવાનું છે. તેમને મળવાની રાહ જોવામાં તે જીવનના કિંમતી 10 દિવસ ગુમાવી શકે તેવી સ્થિતિમાં નથી.’
પછી તો શું ! જવાહરલાલ પોતે બહાર આવ્યા અને મહાદેવીને પોતાની સાથે અંદર લઈ ગયા અને કહ્યું, ‘અહીં બેસો, મને અલ્હાબાદની સ્થિતિ કહો. તને કોણે શું કહ્યું? ‘એના પછી મને જીદનું ન યાદ રહ્યું કે ન ફરિયાદ કરવાનું. પોતે વ્યસ્ત હોવા છતાં બીજાના આત્મવિશ્વાસ અને સુવિધાની ચિંતા કરવાનું તેઓ ભાગ્યે જ ભૂલતા હતા.’
એક રસપ્રદ ઘટના ભોજનના આમંત્રણ સાથે પણ જોડાયેલી છે, જે કદાચ વર્તમાન સમયમાં વધુ સુસંગત છે. એકવાર મહાદેવી અને મૈથિલીશરણ ગુપ્ત નેહરુને મળવા ગયાં. નેહરુએ બંનેને રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું. જ્યારે તેમને ખબર પડી કે મહાદેવી મૈથિલીશરણ ગુપ્તની જેમ શાકાહારી છે, ત્યારે નહેરુએ મહાદેવીને મજાકમાં કહ્યું, ‘શું તમે હજુ પણ ઘાસપાત ખાઓ છો’. મૈથિલીશરણજીએ જવાબ આપ્યો, ‘તમે બધાએ અમારા માટે શું બાકી રાખ્યું છે.’ પછી નેહરુએ શાકાહારી ભોજન તૈયાર કરવાની વ્યવસ્થા કરી. રાત્રિભોજનમાં શાકાહારી અને માંસાહારી બંને વ્યવસ્થા હતી. નેહરુએ મહાદેવીની થાળી પોતાની પાસે રાખી અને તેમને આત્મીયતાથી કહ્યું, ‘તમે જે નથી ખાતાં, તે બીજાને ખાતા જોઈને નાક ન ચડાવો, બરાબર!’
મહાદેવી આ અનોખા સંસ્મરણના અંતે લખે છે : ‘આજે તેઓ તેમના સ્વપ્નદૃષ્ટિ સાથે અદૃશ્ય થઈ ગયા છે, તેમણે સ્વપ્નદૃષ્ટા હોવાની કિંમત ચૂકવી છે અને દેશે એક સ્વપ્નદૃષ્ટા મેળવવાનો.’
[સંદર્ભ : મહાદેવી સાહિત્ય સમગ્ર, ખંડ-2.]
સૌજન્ય : હિદાયતભાઈ પરમારની ફેઇસબૂક દીવાલેથી સાદર