બાપુ, તમારા મરી ગયા પછી
દશા અગિયારમું બારમું
તેરમું ચૌદમું
માસિયો છમાસિયો વરસી
બધુંય બરાબર સરાવી દીધું હતું.
મારેતમારે હવે કંઈ નહિ કહીને
દર્ભ વડે પિંડ પણ કાપી નાખ્યા હતા.
અને તે પછી પણ –
ગયાજી જઈને શ્રાદ્ધ સરાવ્યું, પ્રયાગતીર્થ જઈ
સંગમઘાટે નાળિયેર હોમી
તર્પણ પણ કર્યું.
તમે જ કહો બાપુ,
હવે તો મારેતમારે કંઈ નહિ ને ?
—
અને ગાંધીબાપુ
તમારીય આ બધી વિધિ અમે નથી કરી ?
તમે જ કહો !
—
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 227