મરિઆના બાબરના લેખ [24 મે 2005*] વિશે થોડી વિગત અને સ્પષ્ટતા. ૧૯૪૭માં પાકિસ્તાનમાં હિંદુઓની વસતિ ૨૩ ટકા હતી. પરંતુ તેમાંથી મોટા ભાગના (૨૩ ટકામાંથી આશરે ૨૧ ટકા) હિંદુઓ પૂર્વ પાકિસ્તાનમાં હતા. માટે પાકિસ્તાનમાં હિંદુઓની વસતિ ૨૩ ટકામાંથી ઘટીને ચાર ટકા થઈ તેમ કહેવું સાચું નથી. હાલના અંદાજ પ્રમાણે, ચાર ટકા એટલે સંખ્યાની રીતે ૮૦ લાખ લોકો થયા, એ આંકડા હિંદુઓની વસતિમાં ઘટાડો નહીં, વધારો સૂચવે છે. પૂર્વ પાકિસ્તાનમાંથી હિંદુઓએ ભારતમાં સ્થળાંતર શરૂ કર્યું, જે લગભગ ૧૯૫૫ સુધી ચાલુ રહ્યું ત્યાં તેમનું પ્રમાણ ૨૧ ટકામાંથી ઘટીને ૧૦ ટકા (૧ કરોડ ૭૫ લાખ) જેટલું થયું,
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 28 મે 2020
સંદર્ભ :
* https://opinionmagazine.co.uk/details/5796/corona-kaalmaam-pakistanmaam-laghumateeonee-sthiti
Category :- Opinion / User Feedback
રાજુ સોલંકીના હાઇડ્રોક્સિ-ક્લોરોક્વિન વિશેના લખાણ(નિરીક્ષક, ૧૨-૦૪-૨૦)માં આપેલી પત્રની લિન્ક વિશે કોઈ પત્રકારે વિગતવાર છણાવટ કરવી જોઈએ. તેમાં અમેરિકાના આરોગ્યખાતાએ ભારતની ‘ઈપ્કા’ ફાર્મસી કંપનીની ત્રુટિઓનો ચિતાર આપેલો છે. મને ચિંતા એ છે કે ભારતમાં આવી તો કેટલીયે ફાર્મસી કંપનીઓ પોતપોતાની લેબોરેટરીમાં ડેટા બદલતી હશે અને એને ઓકે કરીને લાંચિયા સાહેબો ખિસ્સાં તરબતર કરતા હશે. એમાં સામાન્ય લોકોના આરોગ્યનું શું?
સૌજન્ય : “નિરીક્ષક” - ડિજિટલ આવૃત્તિ; 14 ઍપ્રિલ 2020
Category :- Opinion / User Feedback