અંધકારમય દિવસ અને તેજોમય રાત હોય છે,
સૌ સૌના નસીબ, સમય સમયની વાત હોય છે.
સાગર તરીને બહાર આવી ગયા હતા જે તરવૈયા,
કિનારે લપસીને ઊઠે નહિ, કેવી કેવી ઘાત હોય છે.
જીવનભર ઘેરાયેલ રહ્યાં કહેવાતા સ્વજનો વચ્ચે,
ચાર ખભે જવા માટે એક ટળવળતી લાશ હોય છે.
એટલું જ કહીશ, ખુમારી કોઈની ટકી નથી સંસારમાં,
સનાતન સત્ય સ્વીકારી લો, નામ તેનો નાશ હોય છે.
નફરતની આંધીમાં અટવાયેલા હતા તમે ય 'મૂકેશ',
જાગ્યા તો સમજાયું, કોક તો કોકના ખાસ હોય છે.
ન્યુ જર્સી, યુ.એસ.એ.
e.mail : mparikh@usa.com