જાતે જ સૂઇ ગયા
રેલવેને પાટા ઉપર
નહીં પહોંચાય પગપાળા
વતન સુંધી
તેની મજબૂરીમાં
અને તેમાં ય
ભૂખ મારી નાખે ત્યાં સુધી
મોતની રાહ જોવાનું
અઘરું હતું
મહામારીનો વાંક
કાઢશો નહીં સાહેબ
મહામારીએ તો
રોજગારી છીનવી હતી
જિંદગી નહીં
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 09 મે 2020