વીસમી સદીના સર્વોત્તમ રશિયન કવિઓમાં મરિના સ્વેતિવા(Marina Tsetaeva, 1892-1941)નો સમાવેશ થાય છે. સામ્પ્રત પરિસ્થિતિના સંદર્ભે એમનું કાવ્ય ‘I know the Truth-Give up all other Truths’ યાદ આવ્યું; મારો અનુવાદ અહીં મૂકું છું.
— નંદિતા મુનિ
હું સત્ય જાણું છું—બીજાં બધાં સત્ય પડતાં મૂકો!
પૃથ્વી પર લોકોએ ક્યાં ય સંઘર્ષ કરવાની જરૂર નથી.
જુઓ – સાંજ પડી, જુઓ, રાત થવા આવી :
કવિઓ, પ્રણયીઓ, સેનાધીશો – તમે શાની વાત કરો છો?
પવન પડી ગયો છે, ભૂમિ ઝાકળથી ભીંજાઈ ગઈ છે.
આકાશમાં તારકોનો ઝંઝાવાત શાંતિમાં શમી જશે.
અને જલદી આપણે બધાં ભૂમિની નીચે નિદ્રાધીન બનીશું, – આપણે
જે ક્યારે ય ભૂમિની ઉપર તો એકમેકને શાંતિથી પોઢવા નથી દેતા.
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર