(હરનિશ જાની સ્મૃિતકાવ્ય)
અહો દિલોજાની ! હસમુખ સખા મુક્ત મનના !
પિતા, નેતા, કિસ્સા અમરિકનની વાત કરતા !
હસું છું, રોઉં છું ક્ષણ સકલને યાદ કરતાં
વીતી જે મ્હેિફલે, અવર મિલને, સૌ સ્વપનમાં.
આમારા સૌયેમાં શું હરનિશ, વાચાલ તું જ છે?
અરે, સ્કંધે મંડ્યો અનવરત વેતાલ તું જ છે;
બધી તાળીઓમાં ભીતર ભરિયો તાલ, તું જ છે;
ન કે વર્ષે વર્ષે, અહરનિશ નાતાલ તું જ છે.
દિનોનાં દૈન્યોથી મીત, સભર પ્રત્યે તું લઈ જા,
અને ‘છેને, છેને’ કહી અવનવી વાત કહી જા.
ભલે જાવાનો હો અગમ જ ભણી, તો તું ભઈ જા;
તું-હીણો હું છું તો તુજ હસનનાં દાન દઈ જા.
જનોની ચર્ચા તો જગત વીંટતી ચોગમ રહે,
અને વેગે વાણી સકલ જીભની તે ગમ વહે,
વહો એવી નિત્યે અમ જીભનીયે શુદ્ધ ઝરણી,
ખુશીના, હાસોના રસબસ મહાસાગર ભણી.
* * *
(વાતોડિયા હાસ્યલેખક હરનિશના મૃત્યુ પછીનું આ સ્મૃિતકાવ્ય ન્હાનાલાલના ‘પ્રભો! અંતર્યામી!’ સ્તુિતકાવ્યની પંક્તિઓનો પડઘો પાડે છે, જે વાચક વરતી જશે.)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2018; પૃ. 09