ભરબજારે શબ્દ રગદોળાય છે,
શબ્દ અહીંયા જૂઠથી છોલાય છે.
શબ્દ પોતે શસ્ત્ર છે જાણે બધાં,
એ છતાં જાતે કદી વીંધાય છે.
ગર્જના કે વંદના હો ભીતરી,
શબ્દ દ્વારા એ છતી થઈ જાય છે.
શબ્દ વાવાઝોડું ને ધરતીનો કંપ,
શબ્દરેલે સઘળે કાદવ થાય છે.
હા, શુચિતા પામવાની છે પ્રથમ,
શબ્દપશ્ચાત્મંત્ર બનતા જાય છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2017; પૃ. 18