શ્રી પ્રભુભાઈની ડાયરી મોકલીને તમે તો ખૂબ આનંદ આપ્યો. આ પ્રવાસનું આમ ફર્સ્ટ હેન્ડ વર્ણન હશે તે કલ્પના જ નહોતી. મેં મારા પિતાશ્રી પાસેથી આ પ્રવાસની વાતો થોડા વિસ્તારથી સાંભળેલી. તે પછી તેન્ડુલકરની 'મહાત્મા'માં જેટલું છે તે વાંચ્યું. આ બંને અને દીનવારી પરથી મેં પણ એક લેખ 1995 ઓક્ટોબરમાં (યાત્રાના 70 વરસે) ભુજના જાણીતા દૈનિક "કચ્છમિત્ર"માં લખેલો.
પરંતુ આટલી બધી વિગતો અસ્તિત્વમાં છે તે ક્યાંથી ખ્યાલ હોય. સરોજબહેનનો આભાર માનીએ તેટલો ઓછો.
તમને ખ્યાલ જ હશે કે જે ચાર જણ ન્યાત બહાર મુકાયા તેમાંથી એક આપણા દીપકભાઈના દાદાજી શ્રી ગુલાબશંકર ધોળકિયા હતા. પાછળથી તેઓ કોન્સ્ટિટ્યૂએન્ટ એસેમ્બલી(કે પછી સંસદ ?)માં પણ હતા. દીપક પોતે કહેશે. (દીપક, મને ચોથા સજ્જનની ઓળખાણ પણ કરાવશો.)